અરબાઝ ખાને કર્યો ખુલાસો, કહ્યું કે મુશ્કેલ સમયને ઠીક કરવા માટે મલાઈકાથી અલગ થવું જરૂરી હતું.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નના 19 વર્ષ પછી, બંનેએ તેમના અલગ થવાની ખબરથી એમના ફેન્સને સંપૂર્ણપણે સ્તબ્ધ કરી દીધા હતા. બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. અરબાઝ ખાને એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેમને લાગ્યું કે તેમના માટે અલગ થવું ખૂબ જ જરૂરી છે.
એક મીડિયા વેબસાઈટ સાથેની ખાસ વાતચીતમાં અરબાઝ ખાને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મુશ્કેલ સમયને ઠીક કરવા માટે મારા અને મલાઈકા માટે અલગ થવું ખૂબ જ જરૂરી હતું. અમારા પુત્ર અરહાન ખાન માટે આ ખૂબ જ મુશ્કેલ પગલું હતું. જો કે મલાઈકા પાસે પુત્ર અરહાનની કસ્ટડી છે, પરંતુ હું હંમેશા મારા પુત્ર માટે ઉભો રહ્યો છું.
અરબાઝ ખાને આ ખાસ વાતચીતમાં આગળ કહ્યું, ‘અરહાનની કસ્ટડી મલાઈકા પાસે છે, તે તેની સાથે રહે છે અને મેં ક્યારેય મારા પુત્રની કસ્ટડી માટે લડાઈ નથી કરી. હું માનું છું કે બાળકનો ઉછેર તેની માતા કરતાં વધુ સારી રીતે કોઈ કરી શકે નહીં. અરહાન ખૂબ જ સમજદાર છે અને હું તેની સમજદારી પર સવાલ ઉઠાવતો નથી.
જ્યારે અરબાઝ ખાનને પૂછવામાં આવ્યું કે શું આ બંને માટે તેમના પુત્ર અરહાનને સમજાવવો મુશ્કેલ છે, તો અરબાઝ ખાને જવાબ આપતા કહ્યું, ‘મારો પુત્ર તે સમયે 12 વર્ષનો હતો અને તે જાણતો હતો કે આ બધું શું થઈ રહ્યું છે. આ તેના માટે આશ્ચર્યજનક ન હતું. એને બધું જ સમજાતું હતું. એવું કહેવાય છે કે જ્યારે કંઇક થાય છે, ત્યારે બાળકોને પણ બધી ખબર પડે છે, અમારી સાથે પણ એવું જ હતું.
અરબાઝ સાથેના સંબંધો તોડ્યા બાદ મલાઈકાએ કહ્યું હતું કે- ઘણીવાર કોઈ તમારી તરફ આંગળી ચીંધે છે, મને લાગે છે કે આ માનવ સ્વભાવ છે જેને બદલી શકાતો નથી. અમે આ સંબંધથી ખુશ ન હતા. અમે એકબીજાને ખુશ રાખી શક્યા નહોતા, જેના કારણે આજુબાજુના લોકો પર પણ તેની અસર થઈ રહી હતી.
મલાઈકા અરોરા સાથે ડિવોર્સ લીધા પછી અભિનેતા અરબાઝ ખાનની જિંદગીમાં મોડલ જોર્જીયા એન્ડ્રિયાનીની એન્ટ્રી થઈ. બન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જ બન્ને માલદીવમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા દેખાયા હતા. અરબાઝે આ દરમિયાન અમુક એમના અમુક ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે. માલદીવમાં અરબાઝ અને જોર્જીયા એકબીજાની સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.