આશ્ચર્યજનક ખુલાસા, ફક્ત દસ ટકા લોકો જ કરે છે અભ્યાસ બાબતે ફોનનો ઉપયોગ બાકીના ૫૯ ટકા બાળકો ફક્ત ચેટીંગ માટે વાપરે છે ફોન
બાળકોના અધિકારો માટે ની સર્વોચ્ચ સંસ્થા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) ના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઓગણસાઠ ટકા બાળકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ સાથે ચેટિંગ માટે સ્માર્ટફોન નો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે માત્ર દસ ટકા લોકો જ તેનો ઉપયોગ ઓનલાઇન અભ્યાસ માટે કરવાનું પસંદ કરે છે.
એક અધ્યયન દ્વારા કહેવામાં આવ્યું છે કે, લગભગ ઓગણસાઠ ટકા બાળકો ચેટિંગ કરવા માટે તેમના સ્માર્ટ ફોન/ઇન્ટરનેટ ઉપકરણો નો ઉપયોગ કરે છે. માત્ર દસ ટકા બાળકો કંઈક અભ્યાસ કરવા અથવા શીખવા માટે સ્માર્ટફોન નો ઉપયોગ કરે છે. ‘
બાળકો પર મોબાઇલ ફોન અને અન્ય ઇન્ટરનેટ ઉપકરણો નો ઉપયોગ કરવાની અસર શોધવા માટે બાળકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ત્રીસ ટકા બાળકો પાસે પોતાનો સ્માર્ટફોન છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ” એ નોંધવું પણ રસપ્રદ છે કે આઠ થી અઢાર વર્ષ ની વય ના ત્રીસ ટકા બાળકો પાસે તેમના પોતાના સ્માર્ટ ફોન છે, અને તેઓ તમામ હેતુ ઓ માટે તેનો ઉપયોગ કરે છે.”
નવાઈ ની વાત એ છે કે દસ વર્ષ ના સાડત્રીસ ટકા બાળકો નું ફેસબુક એકાઉન્ટ છે, જ્યારે એક જ ઉંમરના ૨૪.૩ ટકા બાળકો નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેર વર્ષ થી વધુ વયના બાળકોમાં વિવિધ સ્માર્ટફોન ઝડપ થી વધી રહ્યા છે. જોકે લેપટોપ અને ટેબલેટ નો ઉપયોગ કરતા બાળકો ની સંખ્યા સ્થિર છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ બતાવે છે કે માતા પિતા બાળકો ને લેપટોપ ને બદલે જુદા જુદા સ્માર્ટફોન આપવાનું પસંદ કરે છે.
દેશભર ના છ રાજ્યો ની લગભગ સાઠ શાળા ઓ ની માહિતી ના આધારે સંશોધન અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. પાંચ હજાર આઠ સો અગિયાર લોકો એ ભાગ લીધો હતો. જેમાં શાળા એ જતા ત્રણ હજાર ચાર સો એકાણું બાળકો, એક હજાર પાંચ સો ચોત્રીસ વાલીઓ, સાત સો છ્યાસી શિક્ષકો એ ભાગ લીધો છે.
અહેવાલોમાં એ પણ જાણવા મળ્યું છે કે, સૂતા પહેલા સ્માર્ટ ફોન ના ઉપયોગ ની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આમાં સ્લીપ ડિસઓર્ડર, નિદ્રાહીનતા, ચિંતા અને થાક નો સમાવેશ થાય છે. બાળકો ને વલણમાં નવીનતમ ટેકનોલોજી થી વંચિત ન જ રાખવા જોઈએ પરંતુ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો અને સાચો ઉપયોગ કરવા અંગે તેઓને સમજાવવા જોઈએ.
તેઓને સેલફોન ના જોખમો થી પરિચિત બનાવો અને તેમના સામાજિક જીવન ને કેવી રીતે દિશા આપવી તે અંગે શિક્ષણ શાસ્ત્રીઓ તેમજ અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરી તેઓને જીવન સંતુલિત બનાવવા અંગે જાગૃત કરો. તેમને સમજાવો કે, કોઈપણ વસ્તુનો અતિ ઉપયોગ નુકસાનકારક જ સાબિત થાય છે.