ભારતના આ ગામમાં 5 દિવસ સુધી કપડાં નથી પહેરતી સ્ત્રીઓ, જાણો શુ છે કારણ

દુનિયા 21મી સદીમાં પહોંચી ચુકી છે પણ આજે પણ અમુક એવી પરંપરાઓ છે જેમના વિશે જાણીને તમને નવાઈ લાગશે. તમે વિશ્વાસ નહિ કરી શકો કે ભારતમાં હજી પણ એવું થાય છે. દેશના દરેક પ્રદેશમાં હજી પણ અમુક જુના રીતરિવાજ છે જેનું પાલન કરવામાં આવે છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની મણિકર્ણ ઘાટીના પીણી ગામમાં હજી સુધી અજીબોગરીબ પરંપરાને નિભાવવામાં આવે છે.

image soucre

પીણી ગામમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં આ અજીબોગરીબ પરંપરાને નિભાવવામાં આવે છે. હિયાની સ્ત્રીઓ ઘણા વર્ષોથી આ પરંપરાને નિભાવતી આવી રહી છે. માન્યતા છે કે પરિણીત સ્ત્રીઓને પાંચ દિવસ સુધી વસ્ત્ર ન પહેરવા જોઈએ. જો કોઈપણ સ્ત્રી કપડાં પહેરી લે છે તો એને કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે અને એના ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ પરંપરાને ગામના દરેક ઘરમાં નિભાવવામાં આવે છે.

image soucre

એ સિવાય આ પાંચ દિવસ સુધી પતિ પત્ની અંદરોઅંદર વાતચીત પણ નથી કરતા. એ એકબીજાથી દૂર રહે છે. સ્ત્રીઓ જ્યારે આ પરંપરાનું પાલન કરી રહી હોય તો પુરુષોને દારૂનું સેવન નથી કરવાનું હોતું. સ્થાનીય લોકોનું માનવું છે કે એવું ન કરવામાં આવે તો દેવતા નારાજ થઈ જાય છે.

image soucre

વાત જાણે એમ છે કે કહેવામાં આવે છે કે લાહુઆ ઘોડ દેવતા જ્યારે પીણી ગામમાં આવ્યા હતા તો અહીંયા એ સમયે રાક્ષસોનો આતંક હતો પણ દેવતાના પીણી ગામમાં આવતા જ રાક્ષસોનો વિનાશ થઈ ગયો. એ પછીથી જ આ પરંપરા ચાલતી આવી છે જેને હજી પણ ત્યાંના લોકો નિભાવી રહ્યા છે. લોકો કહે છે કે સદીઓ પહેલા એક રાક્ષસ સુંદર કપડાં પહેરનારી સ્ત્રીઓને ઉઠાવીને લઈ જતો હતો. માન્યતા છે કે લાહુઆ દેવતા આજે પણ આ ગામમાં આવે છે અને બુરાઈઓ વિરુદ્ધ લડે છે.

image soucre

જો કે સમયની સાથે ઘણી વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે. હવે આ પરંપરાનું પાલન કરવા માટે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી કપડાં નથી પહેરતી. હવે એ ખૂબ જ પાતળું કપડું પહેરે છે પણ પહેલા પાંચ દિવસ સુધી મહિલાઓ કપડાં નહોતી પહેરતી. એ ફક્ત ઉનના બનેલા પટ્ટા ઓઢીને રહેતી હતી. એ દિવસોમાં ગામમાં કોઈ માસ મદિરાનું સેવન પણ નથી કરતું.