2007માં પાકિસ્તાનને હરાવીને પહેલો T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર, સટ્ટા બજારમાં કેવો છે ભારતનો ચાન્સ
ભારત પાકિસ્તાન વચ્ચેનો કોઇ વિવાદ હોય, સરહદ પરનુ યુધ્ધ હોય કે પછી ક્રિકેટનુ મેદાન જ કેમ ન હોય.. વિશ્વભરની આંખો આ સમયે તે મુદ્દા પર હોય છે.. અને તેવો જ મુદ્દો ફરી એકવાર આવતીકાલે એટલે કે 24 ઓક્ટોબર અને રવિવારે આવશે.. જ્યારે ભારત અને પાકિસ્તાન ક્રિકેટનો જંગ રમવા માટે યુધ્ધભૂમિ સમાન મેદાને ઉતરશે.. જો કે આ મેચમાં જીત કોઇ એકની જ થશે..પરંતુ કોની જીત થશે તેના માટેના ક્યાસ લગાવાઇ રહ્યા છે.. અને ક્યાસ લગાવવા માટેની જગ્યા સટ્ટા બેટિંગમાં હાલ ભારત હોટ ફેવરિટ છે.
વર્ષ 2007માં પાકિસ્તાનને હરાવીને પહેલો T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર છે. અને ભારતનું T20 વર્લ્ડ કપ અભિયાન રવિવારે પાકિસ્તાન સામે શરૂ થશે. કુલ 33 મેચોમાં ભારતે 20 મેચ ભારતે જીતી છે. ટુર્નામેન્ટમાં માત્ર શ્રીલંકાની વિજેતા ટકાવારી (65%) ભારત (64%) કરતા વધારે છે. તાજેતરની આઈપીએલમાં ભારતીય ક્રિકેટરોના આ ઉત્તમ રેકોર્ડ અને પ્રદર્શનના આધારે ભારત બુકીઓની દુનિયામાં પણ ફેવરિટ છે. ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ BET265 અને LADBROKES મુજબ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ ટાઇટલ માટે ટોચના દાવેદાર છે. બુકીઓની નજરમાં ભારત ટી -20 વર્લ્ડકપનું ટાઇટલ જીતશે. તે પછી સૌથી મોટો દાવ ઈંગ્લેન્ડ પર છે.
- ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ અનુસાર ટોચની 7 ટીમોમાં દક્ષિણ આફ્રિકા પાસે વર્લ્ડ કપ જીતવાની સૌથી ઓછી તકો છે.
- લેડબ્રોક્સે ભારત અને ઈંગ્લેન્ડ પછી ઓસ્ટ્રેલિયાને લીધુ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને ખિતાબના સમાન દાવેદાર તરીકે મૂક્યા.
- Bet365એ ભારત અને ઈંગ્લેન્ડ પછી વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડને સ્થાન આપ્યું છે. તેના પછી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ છે.
- World ટી -20 વર્લ્ડકપમાં ભારતના મજબૂત દાવા માટે ઘણા કારણો છે જે લગભગ સાડા પાંચ વર્ષ પછી યોજાનાર છે.
વિરાટ કોહલીની આ ટીમ આક્રમકતા, ઉત્સાહ અને ક્યારેય હાર ન માનવાની ભાવનાથી ભરેલી છે. ટી-20 ક્રિકેટનું શ્રેષ્ઠ દિમાગ એમએસ ધોનીના રૂપમાં ટીમ ઈન્ડિયા પાસે છે.
ભારત તેની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામિબિયા સામે રમાશે. તમામ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ સેમિફાઇનલ 10 નવેમ્બરે અને બીજી 11 નવેમ્બરે રમાશે. ફાઇનલ 14 નવેમ્બરે દુબઇમાં થશે.
વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે ટૂર્નામેન્ટમાં 777 રન છે.2007માં પ્રથમ ટી 20 વર્લ્ડ કપથી 2021 સુધીમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વખતે ટીમને એક ઇનિંગમાં બે રિવ્યુ મળશે. 10 ઓવર પછી ટીબ્રેક પણ હશે, જે ટીમોને રણનીતિ બદલવાનો સમય આપશે.
પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતમાં T20 ક્રિકેટનો નવો યુગ શરૂ થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી ટુર્નામેન્ટ એ જીતનું પરિણામ છે. જોકે ત્યારપછીના પાંચ વર્લ્ડ કપમાં ભારત એ જ સિદ્ધિનું પુનરાવર્તન કરી શક્યું નથી. 2014 ટી 20 વર્લ્ડ કપમાં ભારત ટાઇટલની ખૂબ નજીક હતું પરંતુ શ્રીલંકાએ ફાઇનલમાં 6 વિકેટે હાર આપી હતી.
છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો જલવો રહ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તે એકમાત્ર એવો ખેલાડી છે જેને બે વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો છે. તેણે છેલ્લા બે વર્લ્ડ કપ (2014 અને 2016)માં આ સિદ્ધિ મેળવી હતી.