રસીકરણના પેકેજથી લોકોને આકર્ષતી હોટલ સામે સરકારની લાલ આંખ, બંધ કરવાની ચેતવણી આપતાં કહ્યું કે…
સરકારે ખાનગી હોસ્પિટલો અને હોટલ દ્વારા અપાયેલા રસીકરણ પેકેજને રસી અભિયાનનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કેન્દ્ર સરકારે શનિવારે એક નોટિસ ફટકારી હતી કે, ખાનગી હોસ્પિટલો દ્વારા હોટલોના સહયોગથી આપવામાં આવતા કોવિડ -19 રસીકરણ પેકેજો રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે અપાયેલા માર્ગદર્શિકા વિરુદ્ધ છે. સરકારી માર્ગદર્શિકા મુજબ કોવિડ -19 સામે રસીકરણ ફક્ત ખાનગી કેન્દ્રો, સરકારી અથવા ખાનગી કચેરીઓ કે જે સરકારી કેન્દ્રો અથવા ખાનગી હોસ્પિટલો દ્વારા સંચાલિત હોય ત્યાં જ થઈ શકે છે. અસ્થાયી ધોરણે ઘરની નજીકના કેન્દ્રોમાં વૃદ્ધો અને જુદી જુદી રીતે સક્ષમ લોકો માટે પણ રસીકરણ કરી શકાય છે.
હવે આ નિયમોને અનુસરીએ તો સ્ટાર હોટલોમાં કરવામાં આવતું રસીકરણ એ નિયમોની વિરુદ્ધ છે અને તરત જ તેને અટકાવવું જોઈએ. આરોગ્ય મંત્રાલયે આ નોટિસ ફટકારી છે અને આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે આ નિયમો તોડનારાઓ વિરુદ્ધ જરૂરી કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન દ્વારા આવી ઓફરને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે હોટલોમાં રસીકરણના પેકેજો કોવિડ -19 નિયમોની વિરુદ્ધ છે. કાનૂની કાર્યવાહી થશે. કેટલીક હોસ્પિટલોનું દુર્ભાગ્ય છે કે હોટલ સાથે જોડાણમાં લોકોને રસીકરણ પેકેજ આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને પેકેજ આપનારાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયની નોટિસ અનુસાર આ નિયમનો ભંગ કરનારાઓ સામે જરૂરી કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આના પર પગલાં લેવાનું કહીને કહ્યું છે કે, કોવિડ -19 રસીકરણ અભિયાન કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ જ દેશમાં ચલાવવું જોઈએ.
નફો કરનારાઓ માટે કોરોના સમયગાળો આવકનું સાધન બની રહ્યો છે. આવી સ્થિતિમાં તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સા બન્યા છે જ્યારે લોકોને આ પ્રકારના પેકેજો આપવામાં આવ્યા હતા. આવી ઘણી હોટલોના રસીકરણ પેકેજો પ્રકાશમાં આવ્યા છે, જેની દેશના જુદા જુદા ભાગોથી ટીકા થઈ રહી છે. તેથી હવે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે એવું સરકારે કહ્યું છે.
ઉલ્લેકનીય છે કે હાલમાં કોરોનાની ઘાતક નિવડેલી બીજી લહેર વખતે સર્જાયેલી અફડાતરફીનો માહોલ સૌથી વધુ જોખમી બન્યો હતો. એવામાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો ? આની દહેશતને લીધે પૂર્વ તૈયારી રૂપે આજે રાજ્યના તમામ સીડીએચઓની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં દરેક સિવીલ હોસ્પિટલ, સીએચસી, પીએચસી સહિતના દવાખાનાઓમાં ઓક્સિજનની શું સુવિધા છે, બેડ કેટલા છે, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ કેટલો છે અને કેટલો ઘટે છે, વેન્ટીલેટરની શું સ્થિતી છે. આ બધી વિગતો મેળવવામાં આવી હતી.