શ્વેતા તિવારીએ 40 વર્ષની ઉંમરમાં આ રીતે ઘટાડી દીધું 10 કિલો વજન, જાણો અને તમે પણ થઇ જાવો સ્લિમ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સેલેબ્રીટી એક ઉમરના પડાવ પર તે પોતાના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી શકતા નથી. તેમના શરીરમા અનેકવિધ પ્રકારના હોર્મોનલ અસંતુલિત થતા હોય છે જેના કારણે તે પોતાના શરીરને ફીટ રાખવા માટે સક્ષમ નથી રહેતા ત્યારે આજે ટીવીજગતની એક ભૂતપૂર્વ અભિનેત્રીએ આજે ૪૦ વર્ષની ઉમરે પણ ૧૦ કિલો વજન ઘટાડીને લોકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

Here is how 40-year-old Shweta Tiwari lost her weight, reduced 10 kilo by this way
image source

શ્વેતા તિવારીએ હાલ સાબિત કરી બતાવ્યુ છે કે, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની કોઈ જ ઉંમર નથી હોતી. આ અભિનેત્રીમા હાલના સમયમા ઘણા મોટા ફેરફારો થયા છે. ૪૦ વર્ષીય આ ટેલીવિઝન અભિનેત્રીએ લગભગ ૧૦ કિલો વજન ઘટાડવામા સફળ રહી. તેમના શરીરનુ આ બદલાયેલુ સ્વરૂપ સોશિયલ મીડિયા પર લોકોને ખુબ જ પ્રેરણા આપી રહ્યુ છે.

image source

લોકોને તે જાણવાની ઇચ્છા છે કે, તેણે તેને કેવી રીતે શક્ય બનાવ્યું છે. જો કે, જીવનમા કોઈ હેતુ પ્રાપ્ત કરવા માટે સમર્પણ, હિંમત અને ઇચ્છાશક્તિ જરૂરી છે. આ અભિનેત્રીનો તંદુરસ્તી માટેનો સફર કોઈ નાનો નહોતો. આ અભિનેત્રીએ વર્કઆઉટ સાથે ડાયેટ ચાર્ટનું સખત રીતે પાલન કર્યું હતુ. તેણીએ ૪૦ વર્ષની ઉંમરે પણ જે ચમત્કારિક રીતે ૧૦ કિલો વજન ઘટાડ્યુ છે તે ખુબ જ વખાણવા લાયક છે.વજન ઘટાડવાની મુસાફરી વિશે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે, તે કેવી રીતે શક્ય બન્યુ?

image source

તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરી છે. આ ફોટોમા તેનો ન્યુટ્રિશનિસ્ટ જોવા મળી રહ્યો છે. તેણીએ જણાવ્યુ કે, વજન ઘટાડવાની તેની યાત્રા જરાપણ સહેલી નથી. તેના સમર્પણ, આત્મસંયમ અને ઇચ્છાશક્તિની સાથે તેણે આ વજન ઘટાડવા માટેનો સંપૂર્ણ શ્રેય તેમના ન્યુટ્રિશનિસ્ટને આપ્યો છે.

image source

તેની પોસ્ટ પર તેમણે લખ્યું છે કે તેમની ન્યુટ્રિશનિસ્ટ કિનીતા કાકડિયા પટેલે તેણીને અમુક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભોજન માટેનો એક ડાયટ પ્લાન બનાવ્યો હતો. આ અભિનેત્રી કહે છે કે, તેમને એવું લાગ્યું કે જાણે કે આ કોઈ મિશન છે. આ અભિનેત્રીના ન્યુટ્રિશનિસ્ટે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેના માટે ડાયેટ પ્લાન બનાવતી વખતે તેને વિવિધ ફૂડ્સના મિશ્રણનો ઉપયોગ કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ન્યુટ્રિશનિસ્ટ્સે જણાવ્યુ કે, આ અભિનેત્રી આહારમાં કઠોળ, બ્રાઉન રાઇસ, ઓટ્સ, મોસમી અને વિટામિન-સી સમૃદ્ધ ફળો, બદામ અને માંસના પાતળા ટુકડાઓનો સમાવેશ કરતી હતી. આ અભિનેત્રીએ વજન ઓછુ કર્યા પછી પણ પોતાનો સ્વસ્થ આહાર તો ચાલુ જ રાખ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!