હવેથી ક્યારે પણ આ રીતે ના તોડતા તુલસીના પાન, નહિં તો થશે અધધધ…નુકસાન
હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ ને પ્રિય એવા તુલસી સાથે જોડાયેલી અનેક પૌરાણિક માન્યતાઓ છે, તેમજ ઘરે તુલસી નો છોડ રોપવા અને તેનું સેવન કરવાના ઘણા વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે. તુલસી નો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે જે વાતાવરણ ને શુદ્ધ કરે છે, ઘરમાં સકારાત્મકતા લાવે છે. આ સાથે જળ ચઢાવવા, તેની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સુખ મળે છે. આજે આપણે જાણીએ છીએ કે તુલસીના પાંદડા તોડવાની સાચી રીત કઈ છે.
કહેવામાં આવે છે કે જે જગ્યા પર તુલસી નો છોડ રાખેલો હોય ત્યાં ભગવાન નો વાસ હોય છે. સાથે જ ઘરના આંગણામાં તુલસીના છોડને રાખવાથી દરેક નકારાત્મકતા દૂર થઈ જાય છે, અને સકારાત્મકતાનો વાસ થાય છે. તુલસીના છોડ વિશેની અમુક મહત્વપૂર્ણ વાતો આપણા ધર્મ શાસ્ત્રોમાં બતાવામાં આવેલી છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.
તુલસીના પાન તોડવાની યોગ્ય રીત
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં અને ન તો તુલસીના છોડને પાણી ચઢાવવું જોઈએ. આ ઉપરાંત અમાસ, ચતુર્દશી અને દ્વાદશી પર તુલસીના પાન તોડવા પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીના પાન તોડવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.
સૂર્યાસ્ત પછી તુલસીના પાન ક્યારેય તોડવા ન જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા તુલસી એ દેવી રાધાનું એક સ્વરૂપ છે, અને સાંજે શ્રી રાધરાણી શ્રી કૃષ્ણ સાથે રાસ માટે જંગલમાં જાય છે. આવી સ્થિતિમાં, સાંજે તુલસીના પાન તોડવાથી રાસમાં અડચણ આવે છે. આ સિવાય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન પણ તુલસીના પાન તોડવા ન જોઈએ.
તુલસીના છોડને સ્નાન કર્યા વિના સ્પર્શ ન કરવો જોઇએ. આ સિવાય ભગવાન ને અર્પણ કરવા માટે તુલસીના પાન નો ઉપયોગ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે પાંદડા અગિયાર દિવસથી વધુ જૂનાં ન હોવા જોઈએ. આ સિવાય તુલસીના પાંદડા ક્યારેય નખ થી તોડવા ન જોઈએ. પરંતુ તેને આંગળી ની મદદથી તોડવું જોઈએ.
જો શક્ય હોય તો, તેને તોડવાને બદલે, કૂંડામાં પહેલા થી તૂટેલા પાન નો ઉપયોગ કરવો જોઈએ. સુકા તુલસી નો છોડ ક્યારેય ઘરમાં ન રાખવો, તે અશુભ છે. જો તે સુકાઈ જાય છે, તો છોડને પવિત્ર નદીમાં વિસર્જિત કરો. ધર્મ શાસ્ત્રો અનુસાર તુલસીના પાન ને શિવજી અને ગણેશજી ને અર્પણ ન કરવા જોઈએ.
તુલસી ના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ પણ તેને સીધે સીધા જ ગળે ઉતારી દેવા જોઈએ. તુલસીના પાનને ચાવીને ખાવા અશુભ માનવામા આવે છે. તુલસીના છોડને પાણી આપવાના સમયે આ વિશેષ મંત્ર બોલવામાં આવે તો સમૃદ્ધિ નું વરદાન અનેક ગણું વધી જાય છે. રોગ-શોક,બીમારી-વ્યાધિ વગેરેથી છુટકારો મળે છે.