જ્યારે રણધીર કપૂરે કહ્યું હતું કે અમારી પાસે પોતાનું બિલ ભરવાના પૈસા નહોતા, જાણો શુ છે કારણ
રણધીર કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એક શાનદાર અભિનેતા છે, જેમણે ઘણી ફિલ્મોમાં પોતાના અદભૂત અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ઉપરાંત, અભિનેતા ‘કપૂર ખાનદાન’સાથે પણ સંબંધ ધરાવે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે રણધીર કપૂર લકઝરી લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. અભિનેતાને બે પુત્રીઓ છે, કરીના કપૂર અને કરિશ્મા કપૂર, જેઓ તેમની જેમ શાહી જીવન જીવે છે અને તે બંને પોતાની લક્ઝરી વસ્તુઓના કારણે ચાહકોમાં ઘણી વખત ચર્ચાનો વિષય બને છે.પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે એક સમય એવો હતો જ્યારે કપૂર પરિવાર સાથે જોડાયેલા રણધીર કપૂરને તેમના બિલ ચૂકવવા માટે સખત મહેનત કરવી પડતી હતી. આટલું જ નહીં, તેમની બે દીકરીઓની ફી ચૂકવવી પણ તેમના માટે મુશ્કેલ હતું.
રણધીર કપૂરે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કપૂર પરિવારમાંથી હોવા છતાં પણ તેમણે તેમના જીવનમાં એવા ઘણા દિવસો જોયા છે જ્યારે તેમની પાસે તેમના બાળકોની ટ્યુશન ફી ભરવા માટે પૈસા નહોતા.
રણધીર કપૂરે પોતાના એક ઈન્ટરવ્યુમાં જૂના દિવસો યાદ કર્યા અને આશા વ્યક્ત કરી કે કાશ તેઓ હવે યુવાન હોત. અભિનેતાએ કહ્યું હતું કે, ‘કાશ… હું હજી પણ યંગ હોત. આજના સમયમાં કલાકારો ઘણા પૈસા કમાય છે પરંતુ પૈસા કમાવવા માટે અમારે ઘણી મહેનત કરવી પડી હતી. મેં મારા બાળકોની ટ્યુશન ફી, મારા વીજળીના બિલ, બબીતાનો ખર્ચ, મારો સ્કોચ આ બધું મારી ફિલ્મોમાંથી કમાતા પૈસાથી ચૂકવ્યું છે.
રણધીરે આગળ કહ્યું, ‘આજના સેલેબ્સ કામને લઈને ખૂબ જ સિલેકટિવ થઈ ગયા છે. તે લોકો વર્ષમાં એક ફિલ્મ કરે છે અને ડોર્સમેન્ટ, ઈવેન્ટ્સ અને અન્ય રીતે પણ ઘણી કમાણી કરે છે. અમારા જમાનામાં કલાકારો વર્ષમાં એક ફિલ્મ કરતા ન હતા. જો અમે કામ નહીં કરીએ, તો અમારી પાસે બિલ ભરવા માટે પણ પૈસા નહોતા હોતા
રણધીર કપૂરે વર્ષ 1971માં બબીતા સાથે લગ્ન કર્યા હતા. અગાઉ બંને એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા છે. લગ્ન પછી બબીતાએ કરિશ્મા અને કરીનાને જન્મ આપ્યો. જો કે, બબીતા અને રણધીરનું લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં. લગ્નના થોડા વર્ષો પછી પરસ્પર તણાવને કારણે બંને અલગ થઈ ગયા હતા.
જ્યારે બબીતા તેની બે દીકરીઓ સાથે ઘર છોડીને ચાલી ગઈ ત્યારે રણધીર પણ તેના માતા-પિતા સાથે રહેવા લાગ્યા હતા. જો કે, તેમના સંબંધોની ખાસ વાત એ છે કે આજે પણ રણધીર અને બબીતા અલગ રહી રહ્યા છે, પરંતુ આટલા વર્ષોથી અલગ રહેવા છતાં રણધીર અને બબીતાના છૂટાછેડા થયા નથી.