સામંથા અને નાગાના ડિવોર્સ પર વિફરી કંગના રનૌત, આ એક્ટરને ગણાવ્યા જવાબદાર

સાઉથ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ્સમાંથી એક નાગા ચૈતન્ય અને સામંથા અક્કીનેનીએ આખરે અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. છેલ્લા ઘણા સમયથી બન્નેના અલગ થવાની ખબર આવી રહી હતી પણ હવે બન્નેએ ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો છે. આ બન્નેના અલગ થવા પર કંગના રનૌતે એમની પ્રતિક્રિયા આપી છે.

image source

એક્ટ્રેસ કંગના રનૌતે સાઉથ સ્ટાર સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યના ડિવોર્સને લઈને બૉલીવુડ એકટર આમિર ખાન પર સીધો નિશાનો તાક્યો છે.હાલમાં જ કંગનાએ કહ્યું છે કે ચૈતન્યનો ડિવોર્સ બોલિવુડના ડિવોર્સ એક્સપર્ટ આમિર ખાનની સંગતમાં રહેવાના કારણે થયો છે. આ આખી બાબત પર કંગનાએ સોશિયલ મીડિયા પર આ વિષય પર લાંબી પહોળી પોસ્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે કંગના રનૌતએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઉભરો ઠાલવતા લખ્યું છે કે જ્યારે પણ ડિવોર્સ થાય છે તો એમાં ભૂલ હંમેશા એક જ વ્યક્તિની હોય છે, આ કહેવું તમને રૂઢિવાદી કે ખૂબ જ વધુ જજમેન્ટલ લાગી શકે છે પણ આ રીતે જ ભગવાને પુરુષ અને મહિલાને બનાવ્યા છે. આ પ્રકારનો બકવાસ અને દયા કરવાનું બંધ કરી દો જે મહિલાઓના કપડાંની જેમ બદલાય છે અને પછી એમને પોતાના સૌથી સારા મિત્ર ગણાવે છે. સો માંથી એક સ્ત્રી ખોટી હોઈ શકે છે બધી નહિ. એક્ટ્રેસ કંગનાએ આગળ લખ્યું છે કે એવા લોકોને ખોટું પ્રોત્સાહન મળે છે. ડિવોર્સનું ચલણ પહેલા કરતા ઘણું વધી રહ્યું છે.

image soucre

તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા દ્વારા બોલીવુડમાં એમની શરૂઆત કરવાના છે..આ ફિલ્મમાં આમિર ખાન અને કરીના કપૂર ખાન લીડ રોલમાં છે.

image source

હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને માહિતી આપતા અભિનેત્રી સામંથા અક્કીનેનીએ લખ્યું છે કે, ‘અમારા બધા શુભચિંતકો, ખૂબ વિચાર-વિમર્શ પછી, ચેય અને મેં પતિ-પત્ની જેવા અમારા રસ્તાને અલગ કરવાનું નક્કી કર્યું છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમારી મિત્રતા દસ વર્ષથી વધુની છે જે અમારા સંબંધોનો આધાર હતો. જે હંમેશા અમારી વચ્ચે ખાસ સંબંધ રાખશે.અમે અમારા ફેન્સ, મીડિયા અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે અને અમને આગળ વધવા માટે પ્રાઇવસી આપે. તમારા સહકાર બદલ આભાર