શું તમને ખ્યાલ છે શરીરના આ ભાગ પર ગરોળી પડવી ગણાય છે અશુભ, જાણો
ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શુકન અને અપશુકનનું પણ વિશેષ મહત્વ છે. તેને ઈશ્વરીય સંકેત માનવામાં આવે છે. દિવસભરમાં આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને આવનારા સમય વિશે સુચિત કરતી હોય છે.
આવી જ એક ઘટના છે ગરોળીનું પડવું. ગરોળી જો અચાનક તમારા પર પડે તો તે કેટલાંક શુકન અપશુકન તરફ સંકેત કરે છે. તો આજે જાણો કે પક્ષી શુકન શાસ્ત્ર અનુસાર શરીરનાં વિવિધ અંગો પર ગરોળી પડી હોય તો તેની શું અસરો થાય.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે. નિષ્ણાંતોનું જણાવવું છે કે ગરોળી શરીર પર પડ્યા પછી સ્નાન કરવું જ જોઈએ. જોકે કેટલીક સ્ત્રીઓ ને જમણાં અંગ પર ગરોળી પડે તે શુભ અસર આપનારી નિવડે છે. આ એક વ્યક્તિગત અભ્યાસ માંગી લેતો હોય છે. પણ જે અંગ પર પડે તેનું આવું ફળ મળે છે.
જો ગરોળી માથા પર પડે તો સંપત્તિ મળવાની શક્યતા વધી જાય છે. જમણા કાન પર ગરોળી પડે તો નવાં કપડાં અને ઘરેણાં મળી શકે છે. ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. નાક પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારો ભાગ્યોદય ઝડપ થી થશે. ડાબા ગાલ પર ગરોળી પડે તો નજીક ના ભવિષ્યમાં જ જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
જમણા ગાલ પર ગરોળી પડે તો તે જાતક રોગમુક્ત થશે અને તેનું આયુષ્ય પણ વધશે. ગરદન પર ગરોળી પડે તો તે જાતકને યશ, પ્રતિષ્ઠા મળે છે. દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમાં કોઈ ભયાનક ઘટના ઘટવાની છે. જે પુરુષ ની મૂછ પર ગરોળી પડે છે, તેને માન-સન્માન મળે છે.
જે જાતકની ભ્રમરો પર ગરોળી પડે છે તેને ધન હાનિ થાય છે. ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકાર નું નુકસાન થાય છે. જમણી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે ખૂબ જ જલદી તમારી મનસંદ વ્યક્તિ સાથે મુલાકાત થશે. પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે. પીઠ પર ડાબી બાજુ ગરોળી પડે તો તે જાતકને રોગ થવાની શક્યતા રહે છે.
જમણા ખભા પર ગરોળી પડે તો અનેક મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળે છે. ડાબી બાજુ ના ખભા પર ગરોળી પડે તો તે જાતકના શત્રુઓમાં વધારો થાય છે. જમણા હાથ પર ગરોળી પડે તો આકસ્મિક ધનલાભ થાય છે.
ડાબા હાથ પર ગરોળી પડે તો તે જાતક ની સંપત્તિ લૂંટાય છે. જમણી હથેળી પર ગરોળી પડે તો નવાં કપડાં પહેરવા મળે છે. ડાબી હથેળી પર ગરોળી પડે તો આકસ્મિક ધનહાનિ થાય છે. ડાબા પગ અથવા એડી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે બહુ જલદી જીવનમાં દુઃખ આવશે, ઘરમાં કલહ-કંકાશ થશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,