આજેે જ સુધારી દો તમારી આ 6 ભૂલોને, નહિં તો સમય કરતા પહેલા દવાખાનના ધક્કા ખાવા પડશે
હાઈજીન એટલે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે, એ આપણને કોરોના વાયરસએ જણાવ્યું છે. સ્વચ્છતાના અભાવને કારણે વિશ્વની મોટાભાગની બિમારીઓ ફેલાય છે. તમે જાણો છો કે વાયરસ, બેક્ટેરિયા વગેરે હંમેશાં આપણી આસપાસ રહે છે. આમાંના કેટલાક બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્ય માટે સારા છે, જ્યારે કેટલાક ખુબ જ ખરાબ છે. વાયરસ શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે અને તે સમયે જીવલેણ પણ થઈ શકે છે, જેમ કે અત્યારના સમયમાં કોરોના વાયરસ સાબિત થઈ રહ્યો છે. લોકો દરરોજ સ્વચ્છતાને લગતી ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે. ચાલો અમે તમને આવી 6 ભૂલો વિશે જણાવીએ.
સ્વસ્થ રહેવા માટે, તે મહત્વનું છે કે તમે તમારી સ્વચ્છતા અથવા વ્યક્તિગત સ્વચ્છતાની વિશેષ કાળજી લો. કારણ કે ઘણી વખત તમે કંઈક કરો છો, જે ધીમે ધીમે તમારી આદત બની જાય છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેથી તમારે ફક્ત સ્વચ્છતાના નિયમો જ નહીં, પણ કેટલીક આદતોમાં પણ સુધારો કરવો જોઈએ. ચાલો અમે તમને સ્વચ્છતા સંબંધિત કેટલીક ભૂલો જણાવીએ કે જેને તમારે સખત બદલવાની જરૂર છે.
1. ઘણીવાર શાવર લેવું
આ વિચિત્ર લાગે છે, પરંતુ ઘણીવાર વધારે સમય નહાવું, એ ના નાહવું અથવા ઓછા નાહવા કરતા ખરાબ થઈ શકે છે. ચેપ રોગના નિષ્ણાતો માને છે કે વધુ સમય શાવર લેવું અને વાળ ધોવાથી તમારી ત્વચા શુષ્ક અને ક્રેક થઈ શકે છે, જેથી જીવાણુઓ આ ઘાવ દ્વારા સરળતાથી તમારા શરીરમાં પ્રવેશી શકે. તેથી, નિષ્ણાતો માને છે કે દિવસમાં એક કરતા વધુ વખત ન નાહવું જોઈએ.
2. ફક્ત શૌચ પછી જ નહીં, પણ પહેલાં પણ હાથ ધોવા
શૌચાલયમાં ગયા પછી તમારે હંમેશાં તમારા હાથ ધોવા જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે શૌચાલય જતા પહેલાં તમારે તમારા હાથ ધોવા જોઈએ ? જી હા, કારણ કે ફક્ત શૌચાલયમાં જ નહીં, પરંતુ આખા ઘરમાં પણ બેક્ટેરિયા હોઈ શકે છે. તેથી જો તમે લાંબા સમયથી તમારા હાથ ધોતા નથી, તો પછી તમે શૌચાલયમાં જતા પહેલા તમારા હાથ ધોઈ લો. કારણ કે તમારા હાથમાં બેક્ટેરિયા હોઈ શકે છે, જે શૌચાલય દરમિયાન વ્યક્તિગત અંગો માટે જોખમી હોઈ શકે છે. તેથી, શૌચ પછી અને પેહલા તમારા હાથ ધોવા મહત્વપૂર્ણ છે.
3. શૌચાલયમાં આંગળીથી ફ્લશ કરો
શૌચાલયમાં આંગળીથી ફ્લશ કરવું પણ જોખમી હોઈ શકે છે. કારણ કે તમારું શૌચાલય એ ઘરનો એક સૌથી ગંદો ભાગ છે અને ફ્લશના 90 મિનિટ પછી પણ ત્યાં હજારો બેક્ટેરિયા હોઈ શકે છે. તેથી, શૌચાલયમાં ફ્લશ કરતી વખતે, તમારી આંગળીની પાછળની બાજુથી ફ્લશ કરવાનો પ્રયાસ કરો, આંગળીઓથી નહીં. આ એટલા માટે છે કે જો તમે શૌચાલયમાં જતા પહેલાં તમારા હાથ ધોવાનું ભૂલી ગયા છો, તો પછી આંગળીનો પાછલો ભાગ ફ્લશ કરવાથી તેની આસપાસના બેક્ટેરિયા ફેલાશે નહીં. ફ્લશ કર્યા પછી જયારે તમારા હાથ ધોવો છો, ત્યારે જે આંગળીથી તમે ફ્લશ કર્યું છે એ આંગળીને યોગ્ય રીતે જરૂરથી ધોઈ લો.
4. વારંવાર ચહેરો ધોવા
કેટલાક લોકોને લાગે છે કે જો તેઓ વારંવાર ચહેરાને સાબુથી ધોશે તો તેમનો ચહેરો સાફ થઈ જશે. પરંતુ આ તમારી એક મોટી ભૂલ છે કારણ કે દિવસમાં બે કરતા વધારે વખત તમારા ચહેરાને સાબુથી ધોવાથી છિદ્રો બંધ થાય છે અને બ્રેકઆઉટનું કારણ થાય છે. આ જ કારણ છે કે ત્વચાના નિષ્ણાતો ચહેરા પર સાબુનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. તે તમારી ત્વચાના પીએચ સ્તરને પણ અટકાવી શકે છે.
5. લાંબા સમય સુધી એક જ ઓશીકાનો ઉપયોગ
આ તમારી દરેક ખરાબ આદતમાં સૌથી ખરાબ આદત છે. તમે તમારી બેડશીટ બદલવાનું તો યાદ રાખો છો, પરંતુ ઓશીકું બદલવાનું ભૂલી જાઓ છો. લાંબા સમય સુધી એક જ ઓશિકાનો ઉપયોગ કરવાથી તમારા ઓશિકાની અંદર અને નીચે ઘણાં ધૂળનાં જીવાત અને બેક્ટેરિયા વધવા લાગે છે. આ બેક્ટેરિયા તમારા ચહેરા અને મોંમાં પ્રવેશી શકે છે અને ડિમોડિકોસિસ જેવી સમસ્યા લાવી શકે છે. આ ઉપરાંત, તે ત્વચાની સમસ્યાઓ, એલર્જી અને ઉપલા શ્વસન માર્ગમા બળતરા પેદા કરી શકે છે. તેથી અઠવાડિયામાં એકવાર તમારા ઓશિકા કવર બદલાવો અને તમારા ઓશીકાને થોડા સમય માટે તડકામાં રહેવા દો.
6. પાલતુ પ્રાણીઓ સાથે સૂવું
જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી જેમ કે બિલાડી અથવા કૂતરા છે અને તમે તેને તમારી સાથે સુવડાવો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કારણ કે તમારા પાળતુ પ્રાણી તેમની સાથે ઘણા બેક્ટેરિયા લાવી શકે છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે. ખૂબ જ કાળજી રાખનાર લોકો પણ જયારે બહાર નીકળે છે, તો તેમના પર ઘણા બેક્ટેરિયા આવી જાય છે. તેથી પાલતુ પ્રાણી પર તો આવી જ શકે છે, પાળતુ પ્રાણી તમારા માટે બ્યુબોનિક પ્લેગનું કારણ બની શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!