WHOએ આપી ચેતવણી, જો અત્યારે નહીં જાગો તો આવશે ગંભીર પરિણામ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુ અંગે એક ભયાનક અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકો મૃત્યુ પામી રહ્યા છે. ડબ્લ્યુએચઓએ યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (સીઓપી 26) ના નેતૃત્વમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શરૂ થયેલી બેઠકમાં પોતાનો વિશેષ અહેવાલ બહાર પાડતી વખતે ચેતવણી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો લોકો આગામી સમયમાં સાવચેતી નહીં રાખે તો ભયંકર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
ડબ્લ્યુએચઓ ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા કહ્યું
બેઠક દરમિયાન ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધોનામે કહ્યું કે, કોરોના મહામારીએ મનુષ્યો, પ્રાણીઓ અને આપમા પર્યાવરણની વચ્ચે ઘનિષ્ઠ અને નાજુક સંબંધઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું WHO તમામ દેશોને ગ્લોબન વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવા માટે COP26 પર નિર્ણાયક પગલાં લેવાનું કહે છે, ન માત્ર એટલા માટે કે તે કરવું જરૂરી, પરંતુ તે આપણા પોતાના હિતમાં છે.
WHO નો રિપોર્ટ ઓપન લેટર તરીકે લોન્ચ થયો
ડબ્લ્યુએચઓ રિપોર્ટને ખુલ્લા પત્ર તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં વૈશ્વિક આરોગ્ય કર્મચારીઓના બે તૃતીયાંશથી વધુ અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અહેવાલમાં 300 સંસ્થાઓ, રાષ્ટ્રીય નેતાઓ અને COP26 દેશના પ્રતિનિધિમંડળોને વિશ્વના ઓછામાં ઓછા સાડા ચાર કરોડ ડોકટરો અને આરોગ્ય વ્યાવસાયિકોનું પ્રતિનિધિત્વ કરીને વાયુ પ્રદૂષણની અસરોને ઘટાડવા માટે પગલાં લેવાની હાકલ કરવામાં આવી છે.
અશ્મિભૂત ઇંધણ બાળવાથી લોકો મરી રહ્યા છે: WHO
ડબ્લ્યુએચઓનો રિપોર્ટ જણાવે છે કે અશ્મિભૂત ઇંધણના બળવાથી લોકો માર્યા જાય છે. આબોહવા પરિવર્તન એ માનવતા સામે સૌથી મોટો આરોગ્ય ખતરો છે. આબોહવા પરિવર્તનની સ્વાસ્થ્ય અસરોથી કોઈ સુરક્ષિત નથી, પછી ભલે તે નબળા વર્ગો હોય કે શ્રીમંત. આપણે આના પર કાર્યવાહી કરવી પડશે નહીંતર આવનારી પેઢી માટે તે વધુ ખતરનાક સાબિત થશે.
આ ક્ષેત્રમાંમાં કાર્યવાહીની જરૂર: WHO
ડબ્લ્યુએચઓ રિપોર્ટ તારણ આપે છે કે લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે ઉર્જા, પરિવહન, પ્રકૃતિ, ખાદ્ય પ્રણાલીઓ અને નાણાં સહિત દરેક ક્ષેત્રમાં પરિવર્તનશીલ પગલાંની જરૂર છે. અને તે સ્પષ્ટપણે જણાવે છે કે મહત્વાકાંક્ષી આબોહવાની ક્રિયાઓ લાગુ કરવાથી વાયુ પ્રદૂષણની અસર ઓછી થશે.