શિયાળાના દિવસોમાં અહીં જણાવેલા ઉપાય અજમાવીને તમારી ફાટેલી એડીને સુંદર બનાવો

શિયાળાના દિવસોમાં ઠંડીના કારણે પગની ચામડી સખત થઈ જાય છે અને પગની એડી પર ધ્યાન ન આપવાના કારણે તે ફાટવા લાગે છે. કેટલીકવાર પગની સામાન્ય ફાટેલી એડી તિરાડોનું કારણ બને છે, જેનાથી પગના પંજામાં સોજો અને દુખાવો થાય છે.

image source

આ સમસ્યા દૂર કરવા માટે તમે ઘણા ઘરેલુ ઉપાય અજમાવી શકો છો જેની મદદથી તમારી આ સમસ્યા દૂર થશે.

લીંબુનો રસ

image source

લીંબુનો રસ ત્વચાને નરમ કરવામાં મદદગાર છે. રાત્રે સૂતા પહેલા 5-10 મિનિટ પાણીમાં પગ પલાળો. પાણીમાં થોડો લીંબુનો રસ નાખો. લગભગ 10 મિનિટ પછી હળવા સ્ટોનથી તમારા પગને ઘસો ત્યારબાદ તમારા પગને ધોઈ લો અને બરાબર સાફ કરો. આ ઉપાય તમારા સુવાના સમયના 10 મિનિટ પેહલા કરો.

ચોખાનો લોટ

image source

ફાટેલી પગની એડી દૂર કરવા માટે ચોખાનો લોટ ખૂબ જ મદદગાર છે. આ માટે ચોખાના લોટ, મધ અને એપલ સાઇડર વિનેગરને સમાન માત્રામાં ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ પગ ધોઈ લો અને સાફ કરો. આ પછી અસરગ્રસ્ત પગની એડી પર તૈયાર મિશ્રણને હળવા હાથે ઘસો અને થોડા સમય માટે રહેવા દો. 5-10 મિનિટ પછી તમારા પગને નવશેકા પાણીથી ધોઈ લો ત્યારબાદ તમારા પગને બરાબર સાફ કરી લો અને મોઇશ્ચરાઇઝર લગાવો.

શીંગ તેલ

હળવા હળવા ગરમ પાણીમાં શેમ્પૂ નાખો અને તમારા પગને 10 મિનિટ સુધી પલાળો. જ્યારે ત્વચા નરમ થાય ત્યારે એક હળવો સ્ટોન લો અને પગની એડીને હળવા હાથથી ઘસી લો. આ કરવાથી મૃત ત્વચા દૂર થઈ જશે. તે પછી તમારા પગ ધોઈ નાખો અને શીંગ તેલ લગાવો અને પછી સૂતી વખતે મોજા પહેરો.

લીમડાના પાંદડા

image source

લીમડાના પાંદડા ફાટેલા પગની એડી દૂર કરવામાં તો ફાયદાકારક છે જ સાથે તે પગના પંજામાં રહેલો ચેપ પણ દૂર કરે છે. આ માટે લીમડાના પાન સાથે હળદર અને થોડું પાણી ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તમારા પગ સાફ કરો અને પેસ્ટ લગાવો. અડધા કલાક પછી તમારા પગ નવશેકા પાણીથી ધોઈ લો.

મધ

મધ ફાટેલી પગની એડી મટાડવામાં મદદ કરે છે. આ માટે નવશેકા પાણીમાં મધ મિક્સ કરો અને તેમાં પગ ડૂબાવો. લગભગ 15-20 મિનિટ પછી એક હળવા સ્ટોનથી તમારા પગને થોડું ઘસો. ત્યારબાદ તમારા પગ ધોવા-સુકાવો અને મોજાં પહેરો. આ સિવાય પગની એડી પર લીંબુ, ગ્લિસરિન અને ગુલાબજળનું મિશ્રણ લગાવીને પણ મોજાં પહેરી શકાય છે. આ તમારા પગ નરમ રાખશે.

તલનું તેલ

image source

તલનું તેલ પગને નરમ અને સ્વચ્છ બનાવે છે. આ માટે દરરોજ રાત્રે સુતા પહેલા પગની એડી પર તલનું તેલ લગાવો.એડીમાંથી નીકળતા
લોહી બંધ કરવા માટે એડી પર તલના તેલના 4 ટીપા નાખવા આ તમારા લોહીને તરત જ બંધ કરશે.

નાળિયેર તેલ

image source

નાળિયેર તેલ ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તે શુષ્ક ત્વચાને ભેજયુક્ત કરે છે અને ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. નાળિયેર તેલ ત્વચામાં ભેજ
પૂરો પાડે છે. દરરોજ રાત્રે સુતા પેહલા તમારા એડી અને પગને નાળિયેર તેલથી મસાજ કરો. ત્યારબાદ મોજા પહેરીને સુઈ જાઓ અને સવારે ઉઠતાની સાથે જ તમારા પગ થોડા ગરમ પાણીથી ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી તમારી એડીઓ એકદમ નરમ થઈ જશે.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડાનો ઉપયોગ એક્સ્ફોલિયન્ટ તરીકે થાય છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને શુષ્ક થવાથી
બચાવે છે. સૌથી પેહલા અડધું ટબ ગરમ પાણીથી ભરી લો અને તેમાં 3 મોટી ચમચી બેકિંગ સોડા ઉમેરો. ત્યારબાદ તે પાણીમાં સારી રીતે બેકિંગ સોડા મિક્સ કરી લો અને તેમાં તમારા પગ 15-20 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ પગ બહાર કાઢીને તમારી એડીઓને ઘસી લો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો તમારી એડીઓ નરમ અને કોમળ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત