શું એલર્જીવાળા લોકો પણ લગાવી શકે છે રસી? કોરોનાથી રિકવર થયા બાદ કેટલા દિવસ પછી રસી લેવી
હાલમાં સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ દેશમાં 18 વર્ષથી મોટી ઉમરના તમામ લોકોને મફતમાં રસી આપવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે કોણે રસી લેવી જોઈએ અને કોણે ન લેવી જોઈએ. સવાલ એ છે કે, શું એલર્જીવાળા લોકોને રસી આપી શકાય છે? શું સગર્ભા સ્ત્રીઓ કોરોના રસી લઈ શકે છે? સ્તનપાન કરાવતી માતાઓ પણ રસી લઈ શકે છે? રસી લીધા પછી શું શરીર પૂરતી એન્ટિબોડીઝ બની જશે?
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આવા ઘણા પ્રશ્નોના જવાબો જાહેર કર્યા છે. આ પ્રશ્નોના જવાબ નીતિ આયોગના હેલ્થ મેમ્બર ડો.વીકે પોલ અને એઈમ્સના ડો રણદીપ ગુલેરિયાએ આપ્યા છે. આ સાથે આરોગ્ય મંત્રાલયે કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો પણ જારી કર્યા છે. કોરોના રસીકરણ અંગે તમારા ધ્યાનમાં આવતા દરેક સવાલોના જવાબ વાંચો.
પ્રશ્ન: શું એલર્જી પીડિતોને રસી આપી શકાય છે?
ડો. પોલ: જો કોઈને એલર્જીની ગંભીર સમસ્યા હોય, તો ડોક્ટરની સલાહ પછી જ, કોવિડ રસી લેવી જોઈએ. જો કે, જો તમને ફક્ત સામાન્ય એલર્જી હોય છે – જેમ કે સામાન્ય શરદી, ત્વચાની એલર્જી, વગેરે, તો રસી લેવામાં અચકાવું જોઈએ નહીં.
ડો. ગુલેરિયા: જે લોકો પહેલાથી એલર્જીની દવા લઈ રહ્યા છે, તેઓએ રસી લેવી ન જોઈએ, તેઓએ નિયમિતપણે દવા લેવાનું ચાલુ રાખવું જોઈએ. તે જાણવું પણ મહત્વપૂર્ણ છે કે રસીકરણને લીધે થનારી એલર્જીના સંચાલન માટે તમામ રસીકરણ સ્થળો પર વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી જો તમને તીવ્ર એલર્જી હોય તો પણ દવા લેવાનું ચાલુ રાખો અને રસી લો.
પ્રશ્ન: શું સગર્ભા સ્ત્રીઓ કોવિડ-19 રસી લઈ શકે છે?
ડો. પોલ: વર્તમાન માર્ગદર્શિકા અનુસાર, સગર્ભા સ્ત્રીઓને રસી ન આપવી જોઈએ. આનું કારણ એ છે કે ડોકટરો અને વૈજ્ઞાનિકોએ સગર્ભા સ્ત્રીઓને હાલમાં પરીક્ષણો બાદ રસી ન આપવાની ભલામણ કરી છે. જો કે નવી વૈજ્ઞાનિક માહિતીના આધારે ભારત સરકાર આ પરિસ્થિતિ થોડા દિવસોમાં સ્પષ્ટ કરશે.
એવું જાણવા મળ્યું છે કે ઘણી COVID-19 રસી સગર્ભા સ્ત્રીઓ માટે સલામત છે. એવી અપેક્ષા છે કે દેશમાં હાજર બે રસી માટે ટૂંક સમયમાં રસ્તો ખોલવામાં આવે. અમે લોકોને થોડી વધુ ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. ખૂબ જ ટૂંકા ગાળામાં રસીઓ વિકસાવવામાં આવી છે અને સગર્ભા સ્ત્રીઓ સામાન્ય રીતે સલામતીની ચિંતાને લીધે પ્રારંભિક પરીક્ષણોમાં સામેલ થતી નથી.
ડો. ગુલેરિયા: ઘણા દેશોએ સગર્ભા સ્ત્રીઓ માટે રસીકરણ શરૂ કર્યું છે. યુએસ એફડીએએ ફાઇઝર અને મોડર્નાની રસીઓને મંજૂરી આપી છે. કોવેક્સિન અને કોવિશીલ્ડ સંબંધિત ડેટા પણ ટૂંક સમયમાં આવશે. અમને આશા છે કે થોડા દિવસોમાં, અમને જરૂરી ડેટા મળી જશે. આ પછી, ભારતમાં પણ સગર્ભા સ્ત્રીઓના રસીકરણને મંજૂરી આપવામાં આવશે.
પ્રશ્ન: શું સ્તનપાન કરાવતી માતાઓ કોવિડ -19 રસી લઈ શકે છે?
ડો. પોલ: તેના વિશે ઘણા દિશા નિર્દેશો છે કે સ્તનપાન કરાવનારી માતા માટે રસી એકદમ સલામત છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે કોઈ ખતરો નથી. રસીકરણ પહેલાં અથવા પછી સ્તનપાન પણ કરી શકાય છે.
પ્રશ્ન: શું રસી લીધા પછી પૂરતી એન્ટિબોડીઝ બની જાય છે?
ડો. ગુલેરિયા: તે સમજવું મહત્વપૂર્ણ છે કે રસીની અસરકારકતા ફક્ત તેનાથી પેદા થતી એન્ટિબોડીઝની માત્રા દ્વારા જ માપવી જોઈએ નહીં. રસી વિવિધ પ્રકારના રક્ષણ પૂરા પાડે છે – જેમ કે એન્ટિબોડીઝ, કોશિકાઓ કે સેલથી થતી ઈણ્યુનિટી અને મેમરી કોષો. ખરેખર, જ્યારે ચેપ લાગે છે, ત્યારે મેમરી કોષો કરતાં વધુ એન્ટિબોડીઝ બને છે.
અત્યાર સુધીના ઉપલબ્ધ ડેટાથી તે સ્પષ્ટ છે કે તમામ રસીની અસરકારકતા – તે પછી કોવેક્સિન હોય, કોવિશીલ્ડ હોય કે સ્પુટનિક વી હોય, ત્રણેય વધુ કે ઓછા સમાન હોય છે. આવી સ્થિતિમાં, કોઈપણ રસી વિશે મનમાં કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. જે પણ રસી ઉપલબ્ધ છે, તેને લગાવી લેવી જોઈએ. ડો. પોલ: કેટલાક લોકો રસીકરણ પછી એન્ટિબોડી પરીક્ષણ વિશે વિચારે છે, પરંતુ તેની જરૂર નથી. એન્ટિબોડીઝ કોઈ વ્યક્તિની ઈમ્યૂનિટીનો સંકેત આપતી નથી. એવુ ટી અથવા મેમરી કોષોને કારણે થયા છે. રસી આપ્યા પછી, આ કોષો મજબૂત બને છે અને શરીર કોરોના સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
એન્ટિબોડી પરીક્ષણોથી ટી અથવા મેમરી કોષોની માહિતી નથી મળતી, કારણ કે તે અસ્થિ મજ્જામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, રસી લીધા પછી, કોઈએ એન્ટિબોડી ટેસ્ટ કરાવવાની જાળમાં ન આવવું જોઈએ. જે રસી ઉપલબ્ધ છે તે લઈ લો અને બંને ડોઝ સમયસર લો. કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરો. લોકોએ એવું વિચારવું પણ ખોટું છે કે કોરોના થયા પછી કોઈ રસી લેવાની જરૂર નથી.
પ્રશ્ન: શું રસીના ઈંજેક્શન લીધા પછી લોહી ગંઠાઈ જવાનું સામાન્ય છે?
ડો. પોલ: લોહી ગંઠાઈ જવાના કેટલાક કિસ્સા બન્યા છે. ખાસ કરીને એસ્ટ્રાઝેનેકા રસી અંગે. યુરોપમાં આમ બન્યું. આ તેમની જીવનશૈલી, શરીર અને આનુવંશિક બંધારણને કારણે છે. પરંતુ અમે ભારતમાં આ આંકડાઓની પદ્ધતિસર તપાસ કરી છે. આપણા દેશમાં લોહી ગંઠાઈ જવાની ઘટનાઓ લગભગ અસ્તિત્વમાં નથી. તે કિસ્સામાં, તમારે તેની ચિંતા ન કરવી જોઈએ. યુરોપિયન દેશોમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાઓ આપણા દેશ કરતા 30 ગણી વધારે જોવા મળી છે.
ડો. ગુલેરિયા: ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે યુ.એસ. અને યુરોપિયન વસ્તીની તુલનામાં ભારતીય વસ્તીમાં સર્જરી પછી લોહી ગંઠાઈ જવાની સમસ્યા ઓછી થાય છે. રસીના કારણે થ્રોમ્બોસિસ અથવા થ્રોમ્બોસાયટોપેનિઆની પ્રતિકૂળ અસર આપણા દેશમાં નહિવત્ છે. આ યુરોપ કરતા ઘણા ઓછા છે. તેનાથી ડરવાની જરૂર નથી. જો તે થાય છે, તો પણ તેનો ઇલાજ છે.
સવાલ: જો મને કોરોના થઈ જાય તો હું કેટલા દિવસ પછી રસી લઈ શકું?
ડો. ગુલેરિયા: નવી માર્ગદર્શિકા અનુસાર, કોવિડથી સાજા થયા પછી 3 મહિના પછી રસી લઈ શકાય છે. આ કરવાથી શરીરને મજબૂત પ્રતિરોધક ક્ષમતા વિકસાવવામાં મદદ મળશે અને રસીની વધુ સારી અસર પડશે. ડો. પોલ અને ડો. ગુલેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજ સુધી ભારતમાં જોવા મળતા મ્યૂટેંટ સામે આપણી રસી અસરકારક છે. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને ખોટી અને પાયાવિહોહ ગણાવી હતી કે રસી આપ્યા પછી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અથવા લોકો રસી અપાયા બાદ મૃત્યુ પામે છે.