સ્વસ્થ હૃદય માટે આ 6 ખોરાકને આહારમાં કરો સામેલ, વાંચો આ લેખ અને જાણો…
નબળી જીવનશૈલી, તણાવ અને બિનઆરોગ્યપ્રદ આહાર લોકોમાં હાર્ટ એટેક ની સમસ્યા ને સામાન્ય બનાવી રહ્યો છે. તેથી હૃદય ને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણું હૃદય શરીર નું સૌથી મહત્વપૂર્ણ અંગોમાં નું એક છે. કસરત ની સાથે સાથે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં આહાર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે લોકો નિયમિત પણે તંદુરસ્ત ખોરાક નું સેવન કરે છે તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું હોય છે.
હૃદય શું કરે છે?
ડાયેટિશિયન ડો. રંજના સિંહ કહે છે કે હૃદય આપણા શરીર નું સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. આ અંગ આપણી રુધિરાભિસરણ પ્રણાલી ની મધ્યમાં સ્થિત છે, જે ધબકતા શરીર ની આસપાસ લોહીનો પ્રવાહ પેદા કરે છે. લોહી શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વો મોકલે છે અને અનિચ્છનીય કાર્બન ડાયોક્સાઇડ અને કચરો બહાર કાઢે છે. જો આ બાબત નું ધ્યાન રાખવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે. તંદુરસ્ત આહાર દ્વારા આપણે હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ.
કોળું, ચિયા અને અળસીના બીજ :
કોળા, ચિયા અને અળસી જેવા બીજ ઓમેગા 3 તેમજ ફાઇબર થી સમૃદ્ધ છે. આ હૃદય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. સૌ પ્રથમ, તેમને અલગથી અથવા એક સાથે સૂકા રોસ્ટ કરો અને તેમને એર ટાઈટ કન્ટેનરમાં રાખો. જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે તેને નાસ્તાના વિકલ્પમાં પસંદ કરો.
નટ્સ નું સેવન :
સૂકા મેવા હૃદય માટે પણ જરૂરી છે. હૃદય ને સ્વસ્થ રાખવા માટે અખરોટ અને બદામ નો આહારમાં સમાવેશ કરવો આવશ્યક છે. તેઓ ખરાબ કોલેસ્ટ્રોલ નું સ્તર ઘટાડે છે, અને તમારા હૃદયને રોગોથી મુક્ત રાખે છે.
હળદર, કોથમીર, જીરું અને તજ નું સેવન :
ડાયટ એક્સપર્ટ ડો.રંજના સિંહ નું કહેવું છે કે હૃદય ને સ્વસ્થ રાખવા માટે હળદર, કોથમીર, જીરૂ અને તજ પણ ફાયદાકારક છે. તેથી રાંધતી વખતે આ મસાલા નો ઉપયોગ કરો.
લસણ નું સેવન જરૂરી છે :
લસણ શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયની તંદુરસ્ત કામગીરીમાં મદદ કરે છે. ખાલી પેટે કાચું લસણ ખાવું ખૂબ ફાયદાકારક છે, તે હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પાલક નું સેવન :
લીલા પાંદડાવાળા શાકભાજી પોષક તત્વો થી ભરપૂર હોય , અને આપણા હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પાલક મેગ્નેશિયમ અને પોટેશિયમ નો સારો સ્ત્રોત છે. તેઓ બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી હૃદયરોગ નું જોખમ ઘટે છે.