જાણો આ 5 કારણો, જે તમને બનાવી દે છે ગરીબ અને અટકાવી દે છે ઘરમાં આવતા પૈસાને
મિત્રો, આ સમગ્ર વિશ્વમા કોઈપણ એવો વ્યક્તિ નથી હોતો કે, જે શ્રીમંત બનવા નથી ઈચ્છતો. હાલના આ આધુનિક યુગમા દરેક વ્યક્તિ વધુ ને વધુ ધનવાન બનવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરે છે પરંતુ, તે પોતાના પરિશ્રમ મુજબ નાણા કમાઈ શકતો નથી અને તેના કારણે તેણે ઘણીવાર નિરાશાનો સામનો પણ કરવો પડે છે.
વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે પરંતુ, તેમછતા તેને તેને ઈચ્છા મુજબનુ ફળ પ્રાપ્ત થતુ નથી અને તે સફળ થતા-થતા અટકી જાય છે. આ પાછળના મુખ્ય જવાબદાર કારણો તો આપણા દ્વારા અજાણતા થયેલી ભૂલો છે, જેના વિશે આપણને માહિતી જ નથી હોતી.
આ ભૂલો એટલી નાની હોય છે કે, તે આપણા ધ્યાનમા પણ નથી આવતી. જાણતા કે અજાણતા થયેલી આ નાની ભૂલો આપણા જીવનને મુશ્કેલ બનાવવા માટે વિકરાળ સ્વરૂપ સ્વરૂપ ધારણ કરી લે છે. આ ભૂલોના કારણે આપણા ઘરમા નાણા ટકતા જ નથી અને આપણા ઘરમા આવક કરતા ખર્ચ વધી જાય છે જેના કારણે આપણે અનેકવિધ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ ભૂલોના કારણે તમારા ઘરમા ક્યારેય બરકત આવતી નથી અને આ ભૂલોના કારણે માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત રહે છે અને તમારા ઘરમા વાસ કરતી નથી. જો તમે પણ ઈચ્છતા હોવ કે, તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઇ જાય અને તમારા ઘરમા માતા લક્ષ્મીનો વાસ થાય તો ક્યારેય પણ ના કરવી આ ભૂલો. તો ચાલો જાણીએ આ ભૂલો વિશે.
ક્યારેય પણ એક જ ઘરમા આટલી બધી દેવી-દેવતાઓની પ્રતિમાઓ રાખવી નહિ.આ ઉપરાંત આ પ્રતિમાઓ ક્યારેય પણ સામસામે ના રાખવી. જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમા નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમા વાદ-વિવાદ ભરેલુ વાતાવરણ રહે છે. આ સિવાય ઘરમા ક્યારેય પણ તિજોરીને દક્ષીણ દિશામા ના રાખવી.
જો તમે દક્ષીણ દિશામા તિજોરી રાખો છો તો પારિવારિક સદસ્યો અવારનવાર બીમાર રહે છે. ઘરના સદસ્યોની બીમારીના કારણે ક્યારેય પણ નાણા ઘરમા ટકતા નથી. આ કારણોસર ઘરમા નાણાની બચત થતી નથી અને ઘરમા હમેંશા આર્થિક સમસ્યાઓ રહે છે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે, રસોઈઘરમા માતા અન્નપૂર્ણાનો વાસ થાય છે.
આપણા પુરાણોમા રસોઈઘરને સ્વચ્છ રાખવા માટે પ્રાધાન્ય આપવામા આવ્યું છે. રાતના સમયે ઘરમા એઠા વાસણો રાખવા તમારા માટે અપશુકન સાબિત થાય છે. તેના કારણે તમારા ઘરમા ધનનો અભાવ રહે છે. આ સિવાય જે ઘરમા નિરંતર નળમાંથી પાણી ટપકતુ રહે છે તો તે ઘરમા ક્યારેય પણ નાણા ટકતા નથી અને ઘરમા બરકત પણ આવતી નથી. તો આ છે અમુક એવા કાર્યો જેના કારણે આપણા ઘરમા માતા લક્ષ્મીનો વાસ થતો નથી, માટે ભૂલીને પણ આ કાર્યો ક્યારેય ના કરવા.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,