વાળમાં આ રીતે કરો ખાસ ફૂલનો પ્રયોગ, મળશે એવું રિઝલ્ટ કે કરશો કમાલ
આજકાલ અનેક લોકોને અને ખાસ કરીને મહિલાઓને સીઝન બદલાવવાના કારણે વાળ ખરવાની સમસ્યા રહે છે. આ સિવાય પણ આ સમસ્યા કાયમની છે. આ સિવાય વાળની ચમક ખોવાઈ જવી, વાળનો ગ્રોથ ન વધવો, વાળ લાંબા અને કાળા ન હોવા. આવી અનેક સમસ્યાઓની ફરિયાદ જોવા મળે છે. આ અનેક સમસ્યામાં રાહત મેળવવા માટે તમે ખાસ કરીને જાસૂદના ફૂલની મદદ લઈ શકો છો. આજે અમે તમને આ જાસૂદના ફૂલના એવા સસ્તા અને સરળ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે તમારા વાળની કેર સારી રીતે કરી શકો છો.
આ ગુણોથી ભરપૂર છે જાસૂદનું ફૂલ
જાસૂદનું ફૂલ દેખાવમાં સુંદર હોય છે. અનેક રંગોમાં તે જોવા મળે છે. જેમકે લાલ, સફેદ, ગુલાબી, પીળું અને જાંબલી. આ સિવાય જાસૂદના ફૂલમાં અનેક સ્વાસ્થ્ય ઉપયોગી તત્વો હોય છે. તેનો ઉપયોગ દવામાં પણ કરવામાં આવે છે. આ સિવાય તેમાંથી વિટામિન સી, કેલ્શિયમ, વસા, ફાઈબર, આયરન, વગેરે ભરપૂર પ્રમાણમાં મળે છે. આ વાળની અનેક સમસ્યામાંથી રાહત અપાવે છે.
હેરને થાય છે મોટો ફાયદો
જાસૂદના ફૂલ અને પાનનો પ્રયોગ હેર ટ્રીટમેન્ટમાં કરાય છે. તેના પ્રાકૃતિક પેક, માસ્ક અને તેલ બને છે. જે વાળની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય વાળને કેમિકલના દુષ્પ્રભાવથી બચાવવામાં પણ મદદ કરે છે.
જો તમે સ્કેલ્પને સ્વસ્થ રાખવાની સાથે લાલાશ અને ખંજવાળની સમસ્યાથી પરેશાન છો તો તમે તેને દૂર કરી શકો છો. જાસૂદના ફૂલમાં એવા ખાસ તત્વો છે જેના રસાયણથી વાળને ઝડપથી વધવામાં મદદ મળે છે.
જો તમે ટાલિયાપણાથી પણ પરેશાન છો તો તમે આ જાસૂદના ફૂલ લાવી તેને ધોઈને તેની પેસ્ટ બનાવી લો. આમ કરવાથી ફૂલમાં રહેતા પોષક તત્વો વાળને મળે છે. આ સિવાય વાળ લાંબા અને ઘેરા બને છે. તેનો ગ્રોથ સારો રહે છે. જો તમને વાળ સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો તમે જાસૂદના ફૂલની સાથે તેના પાનને પીસીને 2 કલાક સુધી વાળના મૂળમાં લગાવી લો. તમને ફાયદો થશે.
આ સિવાય વાળના સારા ગ્રોથને માટે પણ જાસૂદના પાન કે સરસિયાના તેલ કે નારિયેળ તેલમાં મિક્સ કરીને તેને ઉકાળી લો. આ તેલને ઠઁડુ થવા જો. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરો. નિયમિત રીતે આ તેલના ઉપયોગથી વાળ સુંદર, ઘેરા બનવાની સાથે જલ્દી જ વધશે.
વાળની સફેદી દૂર કરવા માટે મહેંદી કે લીંબુના રસની સાથે જાસૂદના પાનને મિક્સ કરીને વાળમાં લગાવી શકાય છે. આ એક નેચરલ કંડીશનરનું કામ કરે છે. આ રીતે તેનો ઉપયોગ કરવાથી વાળનું ડેન્ડ્રફ પણ ઘટે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત