આ સંકેત છે યુવાનીમાં બુઢાપાના રહેજો સાવચેત નહિતર ભોગવવા પડી શકે છે કપરા પરિણામ…
રાતોરાત વૃદ્ધ થવાનો સિદ્ધાંત આજનો નથી પરંતુ, ખુબ જ જૂનો છે. ફ્રાન્સની છેલ્લી રાણી મેરી એન્ટોનેટ વિશે કહેલી આ કહેવત આજે પણ લોકપ્રિય છે. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ગિલોટી દ્વારા મૃત્યુ પામ્યા તેની આગલી રાતે 38 વર્ષની ઉંમરે ફ્રેન્ચ રાણીના વાળ સફેદ થઈ ગયા હોવાનું કહેવાય છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આવું કેવી રીતે થઈ શકે? તાજેતરના અભ્યાસ મુજબ, રાતોરાત વાળ સફેદ થવા અને ઝડપી વૃદ્ધત્વ પાછળ કેટલાક જૈવિક તથ્યો છે.
એક અમેરિકન અભ્યાસમાં એવુ જાણવા મળ્યું છે કે,બાળકને જન્મ આપ્યા પછીના છ મહિના દરમિયાન જે માતાઓ રાત્રે સાત કલાકથી ઓછી ઊંઘ લે છે તે સાત કે તેથી વધુ કલાક આરામ કરનારી મહિલાઓ કરતાં ત્રણથી સાત વર્ષ મોટી દેખાતી હતી. જર્નલ ઓફ સ્લીપ હેલ્થમાં પ્રકાશિત અહેવાલ મુજબ બાળકને જન્મ આપ્યા પછી ઓછી ઊંઘ લેનારી મહિલાઓ વધુ ઊંઘ લેનારી મહિલાઓ કરતાં મોટી દેખાવા લાગી હતી.
ધૂમ્રપાન, વધુ પડતો આલ્કોહોલ પીવો, વધુ વજન હોવું વહેલા વૃદ્ધત્વ તરફ દોરી શકે છે. વર્ષ 2019 માં પ્રકાશિત, યુ.એસ. યેલ યુનિવર્સિટી દ્વારા 50 વર્ષ કે તેથી વધુ વયના 2,339 યુવાનો પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, બેરોજગારી, નિઃસંતાનતા અથવા અસાધ્ય રોગ જેવી જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ વહેલી વૃદ્ધાવસ્થા તરફ દોરી શકે છે.
આ ઉપરાંત સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે કે, ઉંમર નક્કી કરવામાં જૈવિક તત્વો પણ મહત્વપૂર્ણ છે. તે તમારા સારા સ્વાસ્થ્યની નિશાની છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, આરોગ્યની દ્રષ્ટિએ જીન ફેક્ટર પણ મહત્વપૂર્ણ છે. જોકે, એડિનબર્ગ યુનિવર્સિટીના ચાન્સેલર પીટર જોશી સંમત થાય છે કે, જેનેટિક રીઝનને અવગણી શકાય નહીં તે આપણી જીવનશૈલી અને જીવનની ઘટનાઓ પર વધુ પ્રભાવ પાડી શકે છે.
ધીરે-ધીરે વાળ સફેદ થવા એ વૃદ્ધત્વની સામાન્ય નિશાની છે પરંતુ, અમુક લોકો એકાએક વાળ ગુમાવવાનું શરૂ કરે છે અને તરત જ સફેદ થઈ જાય છે. આની પાછળનું કારણ તેમના જીવનમાં અણગમતા ફેરફારો છે. સંશોધકોના મતે, જે લોકોએ આઘાત અથવા આઘાતજનક જીવનની ઘટનાઓનો અનુભવ કર્યો છે તેમના શરીરમાં ઝડપી પરિવર્તન આવી શકે છે. ઉંદરો પરના અભ્યાસમાં, યુ.એસ. હાર્વર્ડ યુનિવર્સિટીની ટીમે શોધી કાઢ્યું કે, તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચેતાઓને સક્રિય કરે છે જે શરીરના ઓટોમેટિક કાર્યને નિયંત્રિત કરવા માટે જવાબદાર ચેતાતંત્રના પ્રતિસાદને અસર કરે છે.
તે જ સમયે, એક્સેટર યુનિવર્સિટીના ક્લિનિકલ મનોચિકિત્સાના પ્રોફેસર ક્રિસ ફોક્સ કહે છે, શસ્ત્રક્રિયા અને બેહોશીની દવાઓ વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે અને ‘મગજ પર વિનાશક અસર’ કરી શકે છે. સાથે જ લાંબા સમય સુધી સતત કામ કરવું અને સ્ટ્રેસ પણ વૃદ્ધત્વ જેવું છે.