સરકારે ખાદ્યતેલ અંગે આપ્યા સારા સમાચાર, આ સાંભળીને તમને ખુબ જ ખુશી થશે
અત્યારે સામાન્ય અને ગરીબ લોકો મોંઘવારીની સમસ્યાથી પીડિત છે. કોરોના પછી દરેકની આવક ઘટી ગઈ છે, પરંતુ મોંઘવારી વધી ગઈ છે. આપણે રોજિંદી ચીજોની વાત કરીએને જેમ કે શાકભાજી, ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ જેવી અનેક ચીજોના ભાવમાં ખુબ જ ઉછાળો આવ્યો છે. ઘણા લોકો આ ઉછાળાના કારણે તણાવનો શિકાર બની રહ્યા છે. આ સમસ્યા દિવસેને દિવસે ઘટવાના બદલે વધતી જ જાય છે. કોઈપણ સમાચાર લો તેમાં માત્ર મોંઘવારીના જ સમાચાર છે, પરંતુ આજે અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. લાંબા સમયથી મોંઘવારીથી પીડાતા લોકો માટે રાહતના સમાચાર છે. સરકારે સામાન્ય લોકોને ખાદ્યતેલની ખરીદી પર ઘણી રાહત આપી છે. ગ્રાહક બાબતોનું મંત્રાલય આ મામલે એક્શનમાં આવ્યું છે. આ ક્રમમાં હવે સરકારે ખાદ્યતેલ પોર્ટલ તૈયાર કર્યું છે. આ ખાદ્યતેલ પોર્ટલ સોમવારે શરૂ થશે.
આ ખાસ પોર્ટલ પર તેલીબિયાંના ભાવ અને સ્ટોક વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે. આ સાથે, સાપ્તાહિક અપડેટ્સ પણ આપવામાં આવશે. આ પોર્ટલ પર દર અઠવાડિયે ડેટા જાહેર કરવામાં આવશે. એટલે કે, હવે તેમાં ભૂલ થવાની શક્યતા નગણ્ય હશે. આ માટે, નિર્માતાઓએ લોગિન પણ બનાવવું પડશે. માત્ર સરકારના વિભાગો જ તેનું મોનિટરિંગ કરશે. સરકારને આશા છે કે તેનાથી પારદર્શિતા વધશે અને તેલના ભાવ પણ નિયંત્રણમાં રહેશે.
સોમવારથી પોર્ટલ શરૂ થશે
વેપારીઓ અને ઉદ્યોગો આ દ્વારા તેમના સ્ટોકનું ડિસ્ક્લોઝર આપી શકે છે, જેનું નિરીક્ષણ રાજ્ય સરકાર કરશે. સરકાર માત્ર ખાદ્યતેલ અને તેલના બિયારણના સ્ટોક માટે નવું પોર્ટલ શરૂ કરી રહી છે. આ સંગ્રહખોરીને રોકવામાં મદદ કરશે. સરકારે શુક્રવારે આ માટે મોટી બેઠક યોજી હતી. આમાં પોર્ટલ વિશે તાલીમ આપવામાં આવી છે અને સમગ્ર પ્રક્રિયાને લગતી માહિતી પણ આપવામાં આવી છે.
શુક્રવારની તાલીમ
આ બેઠકમાં સંયુક્ત સચિવો અને ખાદ્ય સચિવો અને રાજ્યોના ખાદ્ય કમિશનરો પણ હાજર રહ્યા હતા. ખાદ્ય તેલ પ્રોસેસિંગ એસોસિએશનોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તે પછી આ પોર્ટલ પર સંમતિ આપવામાં આવી હતી.