આ તારીખે છે જયા એકાદશી અને પ્રદોષ વ્રત, આ શુભ મૂહુર્તમાં કરો તમે પણ પૂજા, મળશે અનેક શુભ ફળ

જયા અગિયારસ, પ્રદોષ વ્રત, ૨૦૨૧: તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ અને તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસ ધાર્મિક દ્રષ્ટિએ
મહત્વપૂર્ણ થવા જઈ રહ્યા છે. તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ જયા અગિયારસ આવે છે અને તા. ૨૪ ફેબ્રુઆરી,
૨૦૨૧ના રોજ પ્રદોષ વ્રત આવે છે.

image source

હિંદુ પંચાગમાં જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં બે ખાસ વ્રત આવી રહ્યા છે. એક વ્રત જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યાં જ બીજું વ્રત ભગવાન શિવની પૂજા કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. હિંદુ પંચાગ મુજબ તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જયા અગિયારસનું વ્રત આવે છે. અગિયારસના વ્રતમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.

image source

ત્રયોદશીની તિથિના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવી શકાય છે. આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. માધ માસમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. માધ માસ ચાલી રહ્યો છે. માધ માસમાં ધર્મ- કર્મ કરવા માટે ખુબ જ ઉત્તમ માનવામાં આવ્યો છે. માધ માસની શુક્લ પક્ષની
અગિયારસ, બારસ અને તેરસની તિથિ ઘણી મહત્વપૂર્ણ હોય છે.

image source

તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના દિવસે આવતી અગિયારસની તિથિના દિવસે જયા અગિયારસનું વ્રત છે. બારસની તિથિના દિવસે જયા અગિયારસ વ્રતના પારણા કરવામાં આવશે ત્યાર બાદ તેરસની તિથિના દિવસે પ્રદોષ વ્રતની પૂજા કરવામાં આવશે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ દુર થઈ જાય છે.

image source

ભગવાન વિષ્ણુ જયારે વિશ્રામ કરવા માટે જાય છે ત્યારે ભગવાન શિવજીને સોપી દેતા હોય છે આ પ્રમુખ જવાબદારીઓ. ચાતુર્માસ દરમિયાન જયારે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે ત્યારે પૃથ્વી પરના પોતાના તમામ કાર્યોની જવાબદારી ભગવાન શિવને સોપીને દેતા હોય છે. એટલા માટે ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાને વિશેષ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ માતા પાર્વતીની સાથે પૃથ્વીનું ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ પ્રદાન કરે છે.

image source

જયા અગિયારસ (Jaya Agiyaras, 2021) વ્રત શુભ મુહુર્ત:

તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧: અગિયારસની તિથીની સાંજના ૫:૧૬ વાગ્યાથી શરુઆત થશે.

તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧: અગિયારસની તિથિ સાંજના ૬:૦૫ વાગ્યા સુધી રહેશે.

તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૧: જયા અગિયારસ પારણાનો સમય સવારના ૬:૫૧ વાગ્યાથી લઈને સવારના ૯:૦૯ વાગ્યા સુધી રહેશે.

પ્રદોષ વ્રત (Pradosh Vrat 2021) ના શુભ મુહુર્ત

તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૧: તેરસની તિથિની સાંજના ૬:૦૫ વાગે પ્રારંભ થશે.

તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧: સાંજના ૫:૧૮ વાગે તેરસની તિથિ સમાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!