નાના લીંબુનો આ 1 અસરકારક ઉપાય તમને બચાવશે અનેક બીમારીઓથી, શ્વાસથી લઇને ઊંઘની સમસ્યામાં મળશે રાહત
જો તમે સૂતા પહેલા તમારી પથારી પર કે તકિયા નીચે એક લીંબુ રાખો છો તો તમને અને બીમારીઓમાંથી રાહત મળી રહે છે, સાથે જ મચ્છર ના ત્રાસથી પણ મુક્તિ મળી જાય છે. તકિયાની પાસે લીંબુ રાખીને સૂવાનો ઉપાય સદીઓથી ચાલતો આવ્યો છે પરંતુ, હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે આ ન તો કોઈ ઉપાય છે અને ન કોઈ જૂનો વિચાર, તેનાથી હેલ્થ ને લઈને અનેક મોટા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ લીંબુ ની ખાસિયત.
લીંબુ ની કેટલીક ખાસિયત :
લીંબુમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર હોય છે. જે શરીર ને ગઠિયા, હાઈ બ્લડપ્રેશર, હાઈપર ટેન્શન અને હાર્ટ ફેલિયરના ખતરા થી બચાવે છે.
શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
શ્વાસ લેવામાં નહીં થાય તકલીફ
અનેક લોકો ને રાતના સમયે નાક બંધ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. જો તમે તકિયા ની પાસે લીંબુ રાખો છો, તો તેની સુગંધ થી શ્વાસ લેવામાં તકલીફ રહેતી નથી અને ઊંઘ પણ સારી આવે છે. લીંબુ દ્વારા આપણને ઓક્સીજન મળે છે.
બ્લડ પ્રેશરના દર્દીને ફાયદો મળે છે
જાણકાર ના અનુસાર લો બ્લડ પ્રેશરના દર્દી જો રાતના સમયે સૂતા પહેલા પથારીમાં લીંબુ રાખે છે, તો તેઓ સવારે ફ્રેશનેસ અનુભવે છે. લીંબુ ની સુગંધ પછી શરીરમાં સેરોટિનનું લેવલ વધે છે, અને સાથે લો બ્લડ પ્રેશરના દર્દીને લાભ મળી રહે છે.
મગજને શાંત કરે છે
લીંબુ ના અનેક ફાયદા છે. આ સાથે જે લોકો જલ્દી થાકી જાય છે, તેમને સ્ટ્રેસ વધારે રહે છે. એવામાં તેમને રાતના સમયે ઊંઘ આવતી નથી તો લીંબું મદદ કરે છે. તમે તેને સૂતા પહેલા પથારી ની પાસે રાખી લો. તેમાંના એન્ટી બેક્ટેરિયલ તત્વો મગજ ને શાંત કરશે અને સારી ઊંઘ આવશે.
આ બીમારી થી મળશે રાહત
દિવસ ભરની ભાગદોડ બાદ નવા દિવસ ની ચિંતામાં અનેક લોકો ને ઈનસોમેનિયા એટલે કે અનિંદ્રા ની કે ઓછી ઊંઘ ની સમસ્યા રહે છે. એવામાં શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. તમે પણ આ બીમારી થી પીડિત છો, તો રોજ એક લીંબુ નો ટુકડો પથારી ની નીચે રાખો અને તમે તેનાથી મગજ ને શાંત રાખી શકો છો. અને સારી ઊંઘ પણ મળી રહે છે.
મચ્છર અને માખીથી મળશે રાહત
કેટલાક લોકો માખી અને મચ્છર ના આતંકના કારણે ઊંઘ લઈ શકતા નથી. તેથી તેની અસર શરીર પર થાય છે. જો ઘરમાં મચ્છર, માખી કે અન્ય કીડા મકોડા છે તો તમે સૂતા પહેલા ચારે ખૂણા પાસે લીંબુ નો ટુકડો રાખી લો. તેની સુગંધ થી માખી અને મચ્છર અને અન્ય કીડા પણ તમારી પાસે આવી શકશે નહીં.