‘અનુપમા’ના વનરાજ છોડી રહ્યા છે શો! પ્રોડ્યુસરે કહેલી આ વાત જાણીને તમને પણ નહિં ગમે સિરીયલ જોવી

ખબર છે કે સુદ્ધાંશું પાંડે અનુપમાં શોમાં વનરાજનો રોલ છોડવાના છે અને એમની જગ્યાએ અન્ય કોઈને રિપ્લેસ કરવામાં આવશે. શુ આ ખબર સાચી છે? એ વિશે શોના પ્રોડ્યુસર રાજન શાહીએ કર્યો આ ખુલાસો.

image source

ટીવીના સૌથી જાણીતા શો અનુપમાં કોઈને કોઈ બહાને ચર્ચામાં રહે છે..ખાસ વાત એ છે કે લોકડાઉનમાં પણ આ શોની લોકપ્રિયતામાં કોઈ કમી નથી આવી. આ શોના મુખ્ય કલાકાર સુદ્ધાંશું પાંડે અને રૂપાલી ગાંગુલીને લઈને અનુપમાની આખી ટીમ અને મેકર્સ આ શોને પોપ્યુલર બનાવવાની દરેક બનતી કોશિશ કરે છે. એવામાં એ ખબર આવી રહી છે કે સુદ્ધાંશું પાંડે અનુપમાં શોમાં વનરાજનો રોલ છોડવાના છે અને એમની જગ્યાએ કોઈ ખાસ કલાકાર આવશે. આ ખબરની હકીકત જણાવવા માટે શોના પ્રોડ્યુસર રાજન શાહીએ વાત કહી છે.

image source

સુદ્ધાંશું પાંડે દ્વારા અનુપમા શોમાં વનરાજનો રોલ છોડવાની ખબરોને લઈને શોના પ્રોડ્યુસર રાજન શાહીએ કહ્યું છે કે આ શોમાં હવે એક મહત્વપૂર્ણ કલાકાર જોડાવવાના સીબે. રાજન શાહીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સુદ્ધાંશું પાંડે અનુપમાં શોનો મહત્વપૂર્ણ ભાગ છે અને એ આગળ પણ શોમાં વનરાજનો રોલ કરશે. જ્યાં સુધી શોમાં કોઈ મહત્વપૂર્ણ કલાકાર જોડાવવાની વાત છે તો જલ્દી જ આ શોમાં એક મહત્વપૂર્ણ કલાકાર જોડવાના છે.

image source

રાજન શાહીએ એકબાજુ જ્યાં સુદ્ધાંશું પાંડેના શોમાં બન્યા રહેવાની વાત કરી તો શોમાં એક નવા કલાકારની એન્ટરીની ઘોષણા પણ કરી. સાથે જ રાજન શાહીએ પોતાના આ ઇન્ટરવ્યૂમાં દર્શકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે હું દર્શકોનો આભારી છું કે એ અનુપમાં શોને આટલું પસંદ કરી રહ્યા છે. અમે આ જ રીતે લોકોનું મનોરંજન કરતા રહીશું. જેવા અમે શોમાં નવા કલાકારને ફાઈનલ કરીશું એની જાણકારી પણ આપી દઈશું.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં જ એ ખબર આવી હતી કે રૂપાલી ગાંગુલી અને સુદ્ધાંશું પાંડે વચ્ચે અણબનાવ થઈ ગયો છે. એ વિશે સુદ્ધાંશું પાંડે સાથે વાત કરવામાં આવી તો એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ બધી વાતો બકવાસ છે. એવું કંઈ જ નથી.તમને જણાવી દઈએ કે અનુપમાં શો ટીઆરપીમાં ઘણીવાર નંબર વન પોઝિશન પર રહે છે અને આ શોની લોકપ્રિયતા સતત વધી રહી છે.

image source

અને રોજે રોજ તેના દર્શકોની સંખ્યા વધી રહી છે. દર્શકો તરફથી આ શોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. અને શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.