આ બીજને કહેવામાં આવે છે ધરતી પરની સંજીવની, તેમા છે દરેક બીમારીને દૂર કરવાની શક્તિ
આજે અમે તમને કલોંજી વિશે જણાવીશું, જે એક પ્રકારનું બીજ છે હોય છે. જેનો ઉપયોગ આપણે આપણા ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. આયુર્વેદમાં કલોંજી વિશે એવું કહેવામાં આવે છે કે “કલયુગમાં પૃથ્વી પર સંજીવની છે. તે એક ચપટીમાં અસંખ્ય રોગો મટાડે છે. તેનું વર્ણન આયુર્વેદના પવિત્ર ગ્રંથમાં પણ જોવા મળે છે, “મોતને છોડીને દરેક રોગની દવા છે કલોંજી.” એટલું જ નહીં, તેનો ઉલ્લેખ તમામ ધર્મોના પવિત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યો છે.
કલોંજીના બીજનું તેલ ખુબ અસરકારક
કલોંજી વનસ્પતિ છોડ છે જેમાં બીજ પણ હોય છે અને દવા તરીકે બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેથી કલોંજીના બીજને ખૂબ બારીક રીતે પીસીને સિરકો, મધ અથવા પાણી સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે, કલોંજીના બીજનું તેલ પણ બનાવવામાં આવે છે, જે રોગો માટે ખૂબ અસરકારક હોય છે. જો તેનું તેલ ઉપલબ્ધ ન હોય તો કલોંજીથી કામ ચલાવી શકાય છે. તમને જણાવી દઈએ કે કલોંજીના તેલમાં એક અલગ પ્રકારની ચરબીનો ચુકડો હોય છે. લેર્નોલિટીક ટુકડો 60 ટકા અને પાશ્મહિક ટુકડો લગભગ 11 ટકા તેમા મળે છે. તે કાર્બનિક તેલને સરળતાથી પાણીના રૂપમાં બદલી દે છે. મોટાભાગે કલોંજીના બીજને જ દવા તરીકે વપરાય છે. તેના બીજમાં સેપોનિન નામનો પદાર્થ હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ તેનો ઉપયોગ ન કરવો
તેના બીજમાં નિજોલીન નામનો કડવો પદાર્થ પણ હોય છે. કલોંજી પેશાબની સમસ્યાને હલ કરનાર, વિર્યપાતની સમસ્યાને હલ કરનાર અને માસિકના દુખાવો દૂર કરનાર માનવામાં આવે છે. કલોંજીનું તેલ કફનો નાશ કરે છે. આ સિવાય તે લોહીમાં રહેલા દૂષિત અને બિનજરૂરી દ્રવ્યોને પણ દૂર કરે છે. સવારે ખાલી પેટ અને સૂવાના સમયે કલોંજીનું તેલ લેવાથી અનેક રોગો દૂર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ કલોંજીના તેલનો ઉપયોગ ન કરવો જોઇએ, કસુવાવડ થવાની સંભાવના રહે છે.
કલોંજીના અદભૂત ફાયદા
એક અધ્યયન મુજબ, વાઈવાળા બાળકોમાં કલોંજીના અર્કનું સેવન કરવાથી આંચકી ઓછી થઈ શકે છે. 100 અથવા 200 મિલિગ્રામ કલોંજીના સત્વને દરરોજ બે વાર સેવન કરવાથી હાયપરટેન્શનના દર્દીઓમાં બ્લડ પ્રેશર ઓછું થાય છે.
બ્લડ પ્રેશરમાં એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી કલોંજી તેલ ભેળવીને દિવસમાં બે વાર પીવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. કલોંજીમાં ઘણાં ફાઈબર હોય છે. તે પેટની ચરબી ઘટાડીને વજન ઘટાડવાનું કામ કરે છે.
બાળેલી કલોંજીને હેર ઓઈલમાં ભેળવીને માથા પર નિયમિત લગાવવાથી ટાલ દૂર થઈ જાય છે અને વાળ આવવા લાગે છે.
જો તમને દાંતનો દુખાવો હોય તો કલોંજીનુ તેલ તેના પર લગાવી લો તેનાથી એકદમ આરામ મળે છે. આ તેલની અંદર એનાલજ્જેસિક ગુણો હોય છે જે દંતોના દુખાવા ને ઓછો કરે છે. દાંતોનો દુ:ખાવો થવા પર તમે એક રૂ ને તેલવાળુ કરી દાંત પર 10 મિનિટ સુધી રાખો તમારો દુખાવો જતો રહેશે.
કલોંજી વજન ઓછુ કરવા માટે પણ ઘણી ઉપયોગી છે. તમારે વજન ઓછુ કરવા માટે કલોંજીનો ઉપયોગ કરવો હોય તો એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પાણી સાથે એક ચમચી કલોંજીનાં બીજ ગળી લો. આ પછી એક ચમચી મધનો સ્વાદ લો. તમારું દૈનિક વજન ઘટાડો ધીમે ધીમે શરૂ થશે. અને તમને કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.
કાનમાં કલોંજી તેલ નાખવાથી કાનની સોજો સમાપ્ત થાય છે. તેનાથી બહેરાશમાં પણ ફાયદો થાય છે.
જો તમે શરદીથી પીડિત છો તો કલોંજીના બીજને સેંકીને અને તેને કાપડમાં લપેટીને સુઘવાથી અને કલોંજીનું તેલ અને જેતુનનું તેલ બરાબર માત્રામાં નાકમાં નાંખીવાથી, શરદી-ઝુકામમાં રાહત મળે છે. કલોંજીને પાણીમાં ઉકાળીને તેનુ સત્વ પીવાથી અસ્થમામાં ઘણી રાહત મળે છે.
આ ઉપરાંત કલોંજી ખાવાના અનેક ફાયદા છે. તેનાથી યાદશકિત વધે છે અને કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટે છે. હાયપરટેન્શનથી તમને બચાવે છે. જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય અથવા સાંધાના દુખાવો હોય તેના માટે કલોંજી સારો ઓપ્શન છે. આ ઉપરાંત ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં પણ કલોંજી મદદરૂપ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત