ટીવીની વિલન તરીકે જાણીતી થઈ આ અભિનેત્રીઓ, આજે ફેન્સના દિલો પર કરે છે રાજ
ભારતીય ટીવી સિરિયલો ફેમીલી બેઝડ હોય છે અને આ જ કારણસર, એક સુંદર પરિવારની ઝલકની વચ્ચે વિલન પણ બતાવવામાં આવે છે, જે દરેકનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કરે છે. ટીવી સિરિયલોમાં વિલનની તમામ જવાબદારી અભિનેત્રીઓને આપવામાં આવે છે. પ્લાનિંગથી લઈને મૂવ્સ બનાવવા સુધીના તમામ કામ એક્ટ્રેસ વિલન તરીકે કરે છે અને તેના કારણે તેને ક્યારેક દર્શકોના ગુસ્સાનો ભોગ પણ બનવું પડે છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને સ્ક્રીન પર ભલે વિલનની ભૂમિકા ભજવી છે પણ એમને પોતાના કામથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે
ઉર્વશી ધોળકિયા
જે દર્શકો ટીવી સિરિયલો પસંદ કરે છે તેઓ ચોક્કસપણે ‘કોમોલિકા’ને જાણે છે. સીરિયલ ‘કસૌટી જિંદગી કી’માં અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ‘કોમોલિકા’નું પાત્ર ભજવ્યું હતું, જે સીરિયલની વેમ્પ હતી. આ સીરિયલમાં ઉર્વશીનું કામ અને સ્ટાઈલ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આજે પણ ઉર્વશીનું આ પાત્ર ચાહકોમાં તાજું છે.
કામ્યા પંજાબી
કામ્યા એક પ્રખ્યાત પંજાબી ટીવી અભિનેત્રી છે અને તેણે ઘણી ટીવી સિરિયલોમાં નેગેટિવ રોલ પણ કર્યો છે. કામ્યાએ સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ’માં સકારાત્મક ભૂમિકા ભજવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. કામ્યાએ આ સિરિયલમાં તેના કામ માટે એવોર્ડ પણ જીત્યા હતા.
અનિતા હસનંદાની
અનિતા હસનંદાની એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે પરંતુ અનિતાએ તેના નકારાત્મક પાત્ર માટે પણ પ્રશંસા મેળવી છે. અનિતા હસનંદાની ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં શગુન તરીકે જોવા મળી હતી. આ સીરિયલમાં બેશક, રમન (કરણ પટેલ) અને ઈશિતા ભલ્લા (દિવ્યાંકા ત્રિપાઠી)ની જોડી ઘણી લોકપ્રિય થઈ હતી પરંતુ ચાહકો અનિતા હસનંદાની વિશે વાત કરવાનું ભૂલ્યા ન હતા.
જેનિફર વિંગેટ
જેનિફર વિંગેટ મનોરંજન જગતમાં ‘ટીવી ગર્લ’ તરીકે ઓળખાય છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, જેમાં તે એક સુંદર છોકરીના રોલમાં જોવા મળી હતી. જેનિફરે સીરિયલ ‘બેહદ’માં ગ્રે શેડનો રોલ કર્યો હતો. તે જે ઇચ્છે છે તે મેળવવા માટે તે યુક્તિઓ કરતી હતી અને લોકોને મારવાથી પણ પાછળ ન રહેતી. તેના આ અવતારે ચાહકોનું દિલ જીતી લીધું હતું.
લીના જુમાની
અભિનેત્રી લીના જુમાની લાંબા સમયથી ટીવી સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહી છે. એમના વિના આ સિરિયલ અધૂરી છે એમ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. લીના આ સિરિયલમાં તનુનું પાત્ર ભજવે છે, જે અભિ (શબ્બીર આહલુવાલિયા) અને પ્રજ્ઞા (શ્રિતી ઝા) વચ્ચે અણબનાવ બનાવે છે. આ શો ઘણા સમયથી ચાહકોની વચ્ચે છવાયેલો છે.