કામની વાત: સપ્ટેમ્બરમાં AC ટ્રેનમાં મુસાફરી કરવી થશે સસ્તી, જાણો નવો રેટ
રેલવેએ શનિવારે જણાવ્યું હતું કે તેના નવા એરકન્ડિશન્ડ થ્રી ટાયર ઇકોનોમી ક્લાસ કોચનું ભાડું હાલના 3 AC કોચ કરતાં આઠ ટકા ઓછું હશે અને તે ઓછા ખર્ચે વધુ સારી મુસાફરીનો અનુભવ આપશે.
અધિકારીઓએ જણાવ્યું કે નવા કોચનું ભાડું મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં હાલના સ્લીપર ક્લાસના મૂળ ભાડા કરતા 2.4 ગણુ વધારે છે. તેમણે કહ્યું કે રેલવેના જુદા જુદા ઝોનમાં આવા 50 કોચ આપવામાં આવ્યા છે. “હવે જ્યારે ભાડું નક્કી કરવામાં આવ્યું છે, આ કોચને હાલની મેલ એક્સપ્રેસ ટ્રેનો સાથે જોડવામાં આવશે. મહત્તમ સંખ્યામાં કોચ સાથે દોડતી ટ્રેનોને સ્લીપર કોચ દ્વારા બદલવામાં આવશે.
તેમણે કહ્યું કે 300 કિલોમીટરનું મૂળ ભાડું 440 રૂપિયા છે જે અંતરની દ્રષ્ટિએ સૌથી ઓછું છે જ્યારે સૌથી વધુ બેઝ ભાડું 4951 કિલોમીટરથી 5000 કિલોમીટર માટે 3065 રૂપિયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોચ તાજેતરમાં ઉત્તર મધ્ય રેલવે ઝોનને આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ટ્રેન નંબર 02403 (પ્રયાગરાજ-જયપુર એક્સપ્રેસ) માં 6 સપ્ટેમ્બરથી થશે અને તેના માટે બુકિંગ શનિવારથી શરૂ થઈ ગયું છે.
તેમણે કહ્યું કે આ કોચમાં 83 બર્થ છે અને તેમનું ભાડું નિયમિત 3 એસી કોચની સરખામણીમાં ઓછું છે. તેમણે કહ્યું કે આ નવા 3 એસી ઇકોનોમી કોચમાં બાળકો માટે સામાન્ય ભાડું હશે જે હાલના 3 એસી કોચમાં લેવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સાંસદોને આપવામાં આવેલા પાસ પર ટિકિટનું બુકિંગ અને ધારાસભ્યો/વિધાન પાર્ષદોને જારી કરાયેલ રેલ મુસાફરી કૂપન્સ હાલના 3 એસી કોચની જોગવાઈઓ મુજબ હશે. તેમણે કહ્યું કે પ્રવાસ માટે ટિકિટ રદ કરવા અને રિફંડ કરવાના નિયમો હાલના 3 એસી કોચ મુજબ રહેશે.
નવા કોચની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ
- એસી 3 ટાયરમાં 72 બર્થની સામે 83 બર્થ
- વધારેલ આરામ સાથે ફાયર-પ્રૂફ બર્થ
- લેપટોપ/મોબાઇલ ચાર્જિંગ માટે વ્યક્તિગત સોકેટ
- બર્થમાં ફ્લાઇટ જેવી પર્સનલ એસી વેન્ટ્સ
- કોચમાં દિવ્યાંગોના અનુકુળ શૌચાલય
- ટચ ફ્રી ફિટિંગ સાથે બાયો-ટોઇલેટ
- કોચમાં વ્યક્તિગત રિડિંગ લાઈટ
- મિડિલ અને અપર બર્થ પર ચઢવા માટે વધુ અનુકૂળ ચીઢી
- દરેક કોચમાં ટચ ફ્રી ફિટિંગ સાથે મોડ્યુલર બાયો ટોઇલેટ.
આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે, પૂર્વોત્તર સરહદ રેલ્વે 28 ઓગસ્ટથી પ્રથમ વખત વિસ્તાડોમ 05888 પ્રવાસી વિશેષ ટ્રેન ચલાવવાની શરૂઆત કરી છે. તેનો ઉદ્દેશ આસામમાં પ્રવાસનની ગતિ વધારવાનો છે. હવે રેલવે મુસાફરો પૂર્વોત્તરમાં ફેલાયેલી કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. ઉત્તરપૂર્વીય સરહદ રેલવેના જનરલ મેનેજર અંશુલ ગુપ્તાએ ગુવાહાટી રેલવે સ્ટેશન પર વિસ્ટાડોમની સુવિધાઓ વિગતવાર સમજાવી હતી.