શું ખરેખર આ ધનિક વ્યક્તિ સાથે એશને હતું….?
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ના સલમાન ખાન અને વિવેક ઓબરોયના પ્રેમ સંબંધો વિષે ઘણું બધું લખવામાં આવ્યું છે પરંતુ તેમના એક કથિત સંબંધ એવા પણ હતા, જેના વિષે કદાચ જ કોઈને ખબર હશે. તો ચાલો જાણીએ આ કથિત સંબંધ વિષે…
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) એ વર્ષ ૨૦૦૭માં અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે લગ્ન કરીને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની પુત્રવધુ બની ગઈ છે. હાલના સમયમાં ઐશ્વર્યા રાય બચ્ચન એક દીકરી (આરાધ્યા) ની માં છે. ઐશ્વર્યા હાલના સમયમાં પોતાના પારિવારિક જીવનનો આનંદ લઈ રહી છે.
પરંતુ શું આપ જાણો છો કે, અભિષેક સાથે લગ્ન કર્યા પહેલા મીડિયામાં તૂટી ગયેલ સંબંધો અને ડેટિંગની અફવાઓમાં પણ ઐશ્વર્યાનો પોતાનો ભાગ હતો. તે પછી રાજીવ મુલચંદાની હોય કે છે સલમાન ખાન હોય કે પછી વિવેક ઓબરોય. ઐશ્વર્યાના પ્રેમ સંબંધો વિષે અત્યાર સુધીમાં ઘણું બધું લખવામાં આવી ગયું છે પરંતુ ઐશ્વર્યાના એક કથિત સંબંધ એવો પણ હતો, જેના વિષે કદાચ જ કોઈ વાત કરતા હશે. તો ચાલો જાણીએ આજે આ વિષે જણાવીશું.
ઐશ્વર્યા રાય બચ્ચનએ ૨૧ વર્ષની ઉમરમાં વર્ષ ૧૯૯૪માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. મિસ વર્લ્ડ બન્યા પછી ઐશ્વર્યાએ ફિલ્મી દુનિયામાં ખુબ જ સફળતા પ્રાપ્ત કરી. ઐશ્વર્યાને ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૦૯માં પદ્મ શ્રી અને વર્ષ ૨૦૧૨માં ફ્રાંસ સરકાર તરફથી ‘ડ્રે ડેસ આર્ટસ એટ ડેસ લેટ્રેસ’થી સમ્માનિત કરવામાં આવી છે. ઐશ્વર્યા આ દુનિયાની સૌથી ખુબસુરત મહિલા માનવામાં આવે છે. એટલું જ નહી અભિનેત્રી ઐશ્વર્યા રાયને બે ‘ફિલ્મ ફેર એવોર્ડ’ પણ પોતાના નામે નોંધાવ્યા છે.
સલમાન ખાનની સાથે પોતાનું બ્રેકઅપ થઈ ગયા પછી, ઐશ્વર્યા રાયએ વિવેક ઓબરોયને ડેટ કર્યા હતા. અહિયાં સુધીની સ્ટોરી તો દરેક વ્યક્તિ જાણે છે પરંતુ ત્યાર પછી પણ ઐશ્વર્યાના લીંક-આપની ખબરો સામે આવી છે. ખરેખરમાં સલમાન ખાન અને વિવેક ઓબરોય પછી બીઝનેસ ટાઈકૂન ધીરુભાઈ અંબાણીના નાના દીકરા અનિલ અંબાણી સાથે ઐશ્વર્યાના લીંક- અપની અફવાઓ સામે આવી હતી. ઐશ્વર્યાએ મીડિયા સાથે પોતાના અંગત જીવન વિષે ખુબ જ ઓછી વાતો કરે છે, પરંતુ જયારે ઐશ્વર્યાને અનિલ સાથે ડેટિંગ કરવા વિષે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો હતો.
ખરેખરમાં વર્ષ ૨૦૦૪ માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુમાં જયારે ઐશ્વર્યાને અનિલ અંબાણી સાથે ડેટિંગ અફવાઓ વિષે પૂછવામાં આવ્યું તો ઐશ્વર્યાએ કહ્યું હતું કે,
‘હું એમને ખુબ ઓછી મળી છું છેલ્લી વાર અમે પ્રોડ્યુસર ભરત શાહની બર્થ ડે પાર્ટીમાં મળ્યા હતા. હું અને ટીના (અનિલ અંબાણીની પત્ની), અન્ય વ્યક્તિઓની સાથે એક ટેબલ પર બેઠા હતા. હું આ જાણીને વધારે હેરાન થઈ ગઈ હતી કે, મારી અનેતેમની વચ્ચે કરોડો રૂપિયાને લઈને સમાધાન કરવામાં આવ્યું હતું. શું આ બધું મારા વિષે કહેવામાં ઈ રહ્યું છે ? જયારે હું પોતાના કામ અને નવી ચેલેન્જને લઈને બીઝી છું.’
એટલું જ નહી આ ઇન્ટરવ્યુ દરમિયાન વિવેક ઓબરોયની સાથે પોતાના બ્રેકઅપ વિષે વાત કરવાથી મનાઈ કરતા ઐશ્વર્યાએ કહ્યું હતું કે, ‘લોકો ઈચ્છે કે હું આ બધા અનુમાનોના જવાબ આપું. પરંતુ હું એમ કરીશ નહી.’ લગ્નને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો ઐશ્વયાએ કહ્યું હતું કે, ‘હાલમાં તો હું પોતાની જિંદગીને જીવી રહી છું. જે મારા ભાગ્યમાં હશે, તે જયારે સમય આવશે તો પોતાની જાતે જ સામે આવી જશે.’
જયારે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યાએ સલમાન ખાન પર લગાવ્યો હતો મારપીટનો આરોપ.:
વર્ષ ૨૦૦૨માં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપવામાં આવેલ ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયએ સલમાન ખાન અને પોતાના સંબંધોને લઈને કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યા રાયએ કહ્યું હતું કે, ‘સલમાન ખાન અને મારું માર્ચ મહિનામાં જ બ્રેકઅપ થઈ ગયું હતું પરંતુ સલમાન ખાન આ વાતને માણવા માટે તૈયાર છે નહી. જયારે અમારું બ્રેકઅપ થયું તો તેમણે મને કોલ કરીને વાહિયાત વાતો કરી. સલમાન ખાનએ મારી પર હાથ પણ ઉપાડ્યો હતો. હું લકી છું કે મારના કોઈ નિશાન પડ્યા નથી. સલમાન ખાનના હિંસક વ્યવહારના લીધે જ અમારો સંબંધ ખતમ થઈ ગયો.’
આગળ વધતા ઐશ્વર્યા રાયએ વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે અને ચાર વર્ષ પછી વર્ષ ૨૦૧૧માં તેમની દીકરી આરાધ્યા બચ્ચનનો જન્મ થયો. ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના પરિવાર અને દીકરીની સાથે જીંદગીમાં ખુબ જ ખુશ છે તેમજ રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ ટીના અંબાણી સાથે ખુશ છે. તેઓ બે દીકરાઓના જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીના આદર્શ પિતા છે.
Source : Bollywood shaadis
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત