તારક મહેતા..માં આ કલાકારોના થઈ ચૂક્યા છે લગ્ન, પણ અસલ જિંદગીમાં હજુ પણ ફરે છે કુંવારા, જેમાં નંબર 2 તો…

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં થઈ ચૂક્યા છે આ કલાકારોના લગ્ન, પણ અસલ જિંદગીમાં હજી પણ છે કુંવારા.

ટીવીના જાણીતા શો તારક મહેતા કા ઉલટા ચશ્માં છેલ્લા 13 વર્ષોથી પોતાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ દર્શકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. દેશ અને વિદેશમાં પણ આ શોના ફેન્સ છે. આ શો લોકોને ફક્ત ટીવી પર હસાવતો જ નથી પણ ટીવીના ટોપ 10 શોમાં પોતાની જગ્યા પણ બનાવી રાખે છે. આ શોના દરેક પાત્રની પોતાની અલગ ઓળખ છે. શોમાં ઘણા કલાકરો પરણિત છે પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે શોમાં પતિ અને પત્નીનો રોલ કરતા આ કલાકારો અસલ જિંદગીમાં કુંવારા છે.

તારક મહેતા કા ઉલટા ચશ્માંના આ પાત્રો અસલ જિંદગીમાં હજી પણ પોતાના બેચલર જીવનનો આનંદ લઈ રહ્યા છે. આજે અમે તમને જણાવીશું એ ઓનસ્ક્રીન પાત્રો વિશે જે શોમાં તો વિવાહિત છે પણ અસલ જિંદગીમાં એમને રોકટોક કરનાર કોઈ સાથી નથી અને એ ખુલીને પોતાની જિંદગીની મજા માણી રહ્યા છે.’

image source

બબીતા અય્યર.

બબીતા અય્યર ઉર્ફે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી સ્ટાઈલિશ સ્ત્રી છે અને કૃષ્ણન સુબ્રહ્મણયમ અયયરની પત્નીનો રોલ કરી રહી છે. જેઠાલાલ શોમાં બબીતા ઉર્ફે મુનમુન દત્તાને ઘણું પસંદ કરે છે. શોમાં તો બબીતાને પોતાનો હમસફર મળી ગયો પણ તમને એ જાણીને ઘણી નવાઇ લાગશે કે અસલ જિંદગીમાં એમને એમની પસંદનો છોકરો હજી સુધી નથી મળ્યો અને એ એકદમ સિંગલ ચેમ મુનમુન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

image source

રોશન સિંહ શોઢી.

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં રોશન સિંહ શોઢીનો રોલ કરનાર ગુરુચરણ સિંહ આ શોમાં પોતાની પત્ની રોશનને ખૂબ જ પ્રેમ કરે છે પણ એ તમને કદાચ જ ખબર હશે કે અસલ જીવનમાં એ કુંવારા છે અને એમને હજી સુધી લગ્ન નથી કર્યા. પોતાના પાત્રથી રોશન સિંહ શોઢીએ હમેશા દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે પણ વર્ષ 2013માં અંગત કારણોસર એમને શો છોડી દીધો હતો. આજે ભલે ગુરુચરણ આ શોનો ભાગ નથી પણ એમનું એ પાત્ર દર્શકોના દિલમાં વસેલું છે.

image source

અંજલી મહેતા .

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં તારક મહેતાની પત્નીનો રોલ કરનારી અંજલી મહેતા ઉર્ફ નેહા મહેતાને શોમાં ભલે એક બુદ્ધિમાન અને સરળ પતિ મળી ગયો હોય પણ અસલ જીવનમાં એ હજી પણ કુંવારી છે. નેહા 34 વર્ષની છે અને ગુજરાતી છે. એમને હજી સુધી લગ્ન નથી કર્યા. નેહાએ થોડા સમય પહેલા આ શો છોડી દીધો છે.

image source

કૃષ્ણન અય્યર.

આ શોમાં કૃષ્ણન અય્યર વિશે તો તમને ખબર જ છે, એ આ શોમાં સુંદર બબીતાજીના પતિ છે અને જેઠાલાલ સાથે એમનો છત્રીસનો આંકડો છે. પણ આ શોમાં ઓનસ્ક્રીન પતિ બનેલા તનુજને અસલ જીવનમાં હજી સુધી એમની દુલહનિયા નથી મળી. શોમાં સાઉથ ઇન્ડિયન અયયરની ભૂમિકા કરનાર તનુજ 40 વર્ષના છે અને મધ્યપ્રદેશના રહેવાસી છે. જો કે શોમાં એમની પત્ની બબીતા ખૂબ જ સ્ટાઈલિશ છે પણ અસલ જીવનમાં એ હજી કુંવારા છે.

image source

બાવરી.

આ શોમાં બાઘાની પાછળ દિવાની બનેલી બાવરીને તો તમે ઓળખો જ છો. શોમાં તો બાવરીને એમનો બાઘો મળી ગયો છે પણ અસલ જીવનમાં એમનો દુલ્હો એમને હજી સુધી નથી મળ્યો અને એ હજી સુધી સિંગલ છે. મોનિકાને કોઈ કારણસર વર્ષ 2018માં આ શોને અલવિદા કહી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!