અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પરત આવતા જ આવ્યો જીવનનો અંત, 4 વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે

થોડા સમય પહેલા એકાએક આપઘાત કરી લેવાના સમાચારોથી વધુ પ્રકાશમાં આવેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પર વધુ એકવાર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના 5 સહિત કુલ 6 વ્યક્તિનુ એક સાથે માર્ગ દુર્ઘટનામાં મોત થયા છે.. તમામે તમામ લોકો એક અંતિમ વિધિમાંથી પરત ફરી રહ્યા હતા.. અને તે જ સમયે ટ્રક અને કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેના કારણે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 4 વ્યક્તિ હજી પણ ગંભીર છે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.

image soucre

બિહારના જુમાઈમાં એક મોટા માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃત્યુ પામેલા છ લોકોમાંથી પાંચ સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સંબંધીઓ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પટનાથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સુશાંતના પાંચ સંબંધીઓમાંથી એડીજીપી ઓપી સિંહના સાળા, બે ભત્રીજાઓ અને અન્ય બે સંબંધીઓ હરિયાણામાં હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સવારે લગભગ 6 વાગ્યે હલસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિકંદરા-શેખપુર મુખ્ય માર્ગ પર સ્થિત પિપરા ગામ પાસે થઈ હતી. જુમાઈના ખૈરા બ્લોકના નૌદીહાના કેટલાક લોકો અંતિમ સંસ્કાર માટે પટના ગયા હતા. પરત ફરતી વખતે પીપરા ગામ પાસે તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી. બંને વાહનો સામસામે અથડાયા હતા. અથડામણ એટલી જોરદાર હતી કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસનું કહેવું છે કે મૃતકો અને ઘાયલોની ઓળખ કર્યા બાદ સંબંધીઓને જાણ કરવામાં આવી છે.

image soucre

પહેલાથી જ સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર પહેલા આત્મહત્યા અને પછી ડ્રગ્સના કારણે ખૂબ જ હેરાન પરેશાન થઇ ચૂક્યો છે.. અ હવે થોડા સમય બાદ એક સાથે 5 પરિવારજનોના મોતથી ફરીથી આઘાતમાં સરી પડ્યો છે. રાજપૂત પરિવાર પર આ આઘાત વજ્રઘાત સમાન સાબિત થઇ રહ્યો છે. ગંભીર અવસ્થામાં રહેલા લોકોની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.