આ રીતે કરી લેશો 1 ફૂલનો ઉપયોગ તો શરીરની અનેક સમસ્યાઓ જલ્દી થશે છૂમંતર
જાસૂદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણો.
કફની સમસ્યામાં આપે છે લાભ
જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફ દૂર થાય છે. તરત જ લાભ મળે છે.
વાળનો વધારે છે ગ્રોથ
જાસૂદના ફૂલના પાનને પીસી લો અને તેને વાળ પર લગાવી લો. ખાસ કરીને વાળના મૂળમાં અડધો કલાક સુધી આ રીતે જાસૂદના પાન લગાવી રાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે વાળનો ગ્રોથ પણ વધે છે.
યાદશક્તિ વધારે છે
જાસૂદના ફૂલનો પાવડર મળે છે તે લાવો અને તેને રોજ એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી યાદશક્તિ ઝડપથી વધે છે.
પેટદર્દમાં આપે છે રાહત
જાસૂદના ફૂલના પાનનો રસ કાઢો. તેને પીવાથી પેટદર્દમાં ઝડપથી રાહત મળે છે.
મોઢાની ચાંદીમાં આપે છે લાભ
જાસૂદનું ફૂલ અવારનવાર મોઢામાં થતી ચાંદીની સમસ્યામાં લાભદાયી છે. તેના પાન ચાવવાથી ચાંદીમાં ઝડપથી રાહત મળે છે.
હાઈ બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ
અનેક દવાઓની સાથે જો તમે જાસૂદના ફૂલના પાનની ચા પીવાનું શરૂ કરો છો તો તમને હાઈ બીપીની સમસ્યામાં લાભ મળે છે. તેનાથી તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે.