આ ૫ કારણો જવાબદાર છે કે આર્યન ખાન હજુ જેલમાં જ રહેશે, જાણીને ઝાટકો લાગશે
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મુંબઈ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વીવી પાટીલે 18 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે. આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? ચાલો કોર્ટના આ 5 અવલોકનોમાંથી સમજીએ.
1. કોર્ટે કહ્યું, ‘આર્યન અને અરબાઝ લાંબા સમયથી મિત્રો છે. તેઓ સાથે જઇ રહ્યા હતા અને એકસાથે ક્રુઝ પર પકડાયા હતા. બંનેએ તેમના નિવેદનમાં ડ્રગ્સ લેવાની કબૂલાત પણ કરી છે. આ બધું બતાવે છે કે આર્યન જાણતો હતો કે અરબાઝના જૂતામાં ડ્રગ્સ છે.
2. આર્યનના વકીલોએ દલીલ કરી હતી કે તેની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી, તેથી તે નશામાં ન હતો. આ અંગે કોર્ટે કહ્યું, ભલે આરોપી નંબર -1 (આર્યન ખાન) પાસેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ મળ્યો નથી, પરંતુ આરોપી નંબર -2 (અરબાઝ મર્ચન્ટ) 6 ગ્રામ ચરસ સાથે ઝડપાયો છે. તેથી એવું કહી શકાય કે તે બંને આ વિશે જાણતા હતા.
3. ન્યાયાધીશ વી.વી.પાટીલે કહ્યું, “વોટ્સએપ ચેટ બતાવે છે કે આરોપી નંબર -1 અજાણ્યા વ્યક્તિઓ સાથે ડ્રગ્સ વિશે વાત કરી રહ્યો હતો. તેથી, પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે અરજદાર અને આરોપી નંબર -1 અજાણ્યા વ્યક્તિઓ સાથે પ્રતિબંધિત માદક પદાર્થ સાથે વ્યવહાર કરે છે.
4. તેમણે કહ્યું, ‘વોટ્સએપ ચેટ બતાવે છે કે આરોપી નંબર -1 અને ડ્રગ પેડલર્સ વચ્ચે જોડાણ હતું. તે આરોપી નંબર -2 સાથે ચેટ પણ કરે છે. આ ઉપરાંત, આરોપી નંબર 1 થી 8 ની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે કેટલાક પ્રતિબંધિત પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો.
NCB ને ક્રુઝ પર રેવ પાર્ટી વિશે માહિતી મળી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સપ્લાયર્સના નામ જાહેર કર્યા છે. આ કેટલાક ગુનાહિત કાવતરામાં આરોપીની સંડોવણી સૂચવે છે. પ્રથમ દ્રષ્ટિએ રેકોર્ડ પર મુકવામાં આવેલી સામગ્રી બતાવે છે કે આ કેસમાં NDPS ની કલમ 29 લાગુ થાય છે.
5. જજ પાટીલને જોયુ કે આ કેસ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી જેવો જ છે. શોવિકની વોટ્સએપ ચેટથી એ પણ ખુલ્યું કે તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. ન્યાયાધીશ પાટીલે કહ્યું કે, “પ્રથમ નજરે એવું લાગે છે કે આરોપી મોટા નેટવર્કનો ભાગ છે. જેમ શોવિક ચક્રવર્તીના કિસ્સામાં. આરોપી ષડયંત્રનો ભાગ હોવાથી, જે પણ દવાઓ જપ્ત કરવામાં આવી છે તે માટે તે જવાબદાર છે. દરેક આરોપીનો કેસ એકબીજાથી અલગ કરી શકાતો નથી.