જો ATM મશીન માંથી નીકળે છે ફાટી ગયેલ નોટ, તો આવી રીતે બદલાવી શકો છો, જાણીશું આ વિષે RBIના નિયમ.
કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે, ATM મશીન માંથી પણ ફાટી ગયેલ કે પછી ગળી ગયેલ નોટ નીકળી આવે છે. આની સાથે જ બજારમાં પણ કપાઈ ગયેલ- ફાટી ગયેલ નોટ ચાલતા રહે છે. જો આપની પાસે પણ આવી જ ફાટી ગયેલ નોટ આવી જાય છે તો આપ શું કરશો? આજે આ લેખમાં અમે આપને ફાટી ગયેલ ચલણી નોટ અંગેના રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન જણાવવા જઈ રહ્યા છીએ. આની સાથે જ આપને આ પણ જણાવીશું કે, આ પ્રકારની ચલણી નોટોને કેવી રીતે બદલી શકાય છે.
આ છે RBIના નિયમ.
RBI ના નિયમો મુજબ, ફાટી ગયેલ- જુના થયેલ કે પછી ચોંટી ગયેલ ચલણી નોટોને અપ બેંકમાં જઇને સરળતાથી બદલાવી શકો છો. RBI ના નિયમ મુજબ એવું કહેવામાં આવે છે કે, બેંક આવી નોટોને સ્વીકારવાની મનાઈ કરી શકે નહી. બસ આવી નોટો નકલી હોવી જોઈએ નહી. જો કોઈ બેંક આવી નોટ લેવાની ના પાડે છે તો આપે RBI ઓફિસમાં ફરિયાદ કરી શકો છો, ત્યાર તે બેંક પર કાર્યવાહી થઈ શકે છે.
ફાટી ગયેલ નોટ કોઈપણ બેંકમાં કરાવી શકાય છે ચેંજ.
આરબીઆઈના નિયમનું કહેવું છે કે, જો ચલણી નોટ કેટલાક ટુકડાઓમાં ફાટી ગઈ છે, તો પણ તેને ચલાવી શકાય છે. જો ફાટી ગયેલ નોટનો કોઈ ભાગ ગાયબ પણ થઈ ગયો છે, તો તેને પણ બદલી શકાય છે. સામાન્ય ફાટી ગયેલ ચલણી નોટોને કોઈપણ બેંક શાખાના કાઉન્ટર્સ પર કે પછી ભારતીય રીઝર્વ બેંકના કોઈ કાર્યાલયમાં જઈને બદલાવી શકાય છે. એના માટે આપને કોઈ ફોર્મ ભરવાની જરૂરિયાત રહેશે નહી.
વધારે ફાટી ગયેલ નોટની નહી મળી શકે પૂરી કિમત.
જો સામાન્ય કપાઈ ગયેલ કે પછી ફાટી ગયેલ નોટ છે તેના બદલામાં પુરા પૈસા મળી જાય છે, જયારે જો નોટ વધારે ફાટી ગઈ છે તો આપને તેના બદલામાં નોટની વેલ્યુના કેટલાક પ્રતિશત ભાગ જ પરત મળશે.
૧ થી ૨૦ રૂપિયાની નોટના બદલે મળે છે પૂરી કિમત.
ભારતીય રીઝર્વ બેંકના નિયમો મુજબ, ૧ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા સુધીની નોટમાં આદ્ધી રાશી આપવાનું પ્રાવધાન છે નહી, આ નોટોનું આખુ જ પેમેન્ટ કરવામાં આવે છે. ત્યાં જ ૫૦ રૂપિયાથી લઈને ૨ હજાર રૂપિયાની નોટમાં અડધા રૂપિયા આપવામાં આવે એવો નિયમ છે.
વધારે બળી ગયેલ નોટ હોય છે તો તેને RBIની ઓફિસમાં કરાવો જમા.
આરબીઆઈમાં નિયમો મુજબ, ખરાબ રીતે બળી ગયેલ, ટુકડા- ટુકડા થવાની સ્થિતિમાં નોટોને બદલી આપવામાં આવી શકતા નથી. આવા પ્રકારની નોટોને અપ પોતાના બિલ કે પછી ટેક્સ ચુકવવા બેંકમાં જ કરી શકો છો.