બબીતાજી જશે બિગબોસમાં? જાણો શું છે સચ્ચાઈ આ વાતમાં…

કેટલાક દિવસોથી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા ઐય્યર એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાના રીયાલીટી શો ‘બિગ બોસ ૧૪’માં જવાની ખબરો સામે આવી રહી છે. ત્યારે હવે અભિનેત્રી મુનમુન દત્તા દ્વારા આ બધી ખબરોને ખોટી જણાવી દીધી છે. ચાલો જાણીએ મુનમુન દત્તાએ પોતાની પોસ્ટમાં શું લખ્યું છે.

image source

દેશના સૌથી મોટા રીયાલીટી શો ‘બિગ બોસ ૧૪’નો કેટલાક જ મહિનાઓમાં આગાઝ થવા જઈ રહ્યો છે. ત્યારે કેટલાક સેલેબ્સના નામો વિષે પણ ચર્ચા ચાલી રહી છે. જયારે કેટલાક સેલેબ્સને અપ્રોચ પણ કરવામાં આવ્યા છે. કન્ટેસ્ટન્ટની ફાઈનલ લિસ્ટ જાણવા માટે હજી પણ લોકોને થોડીક વધુ રાહ જોવી પડી શકે છે.

શું ‘બિગ બોસ ૧૪’ માં જશે મુનમુન દત્તા ?

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar) on

છેલ્લા કેટલાક દિવસોથી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી મુનમુન દત્તાના રીયાલીટી શો ‘બિગ બોસ ૧૪’માં જવાની જાણકારી સામે આવી રહી છે. એટલા માટે હવે મુનમુન દત્તાએ આ બધી જ માહિતીને ખોટી જણાવી દીધી છે. અભિનેત્રી મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરતા જાણકારી આપતા લખે છે કે, તેમના રીયાલીટી શો ‘બિગ બોસ ૧૪’માં જવાની જાણકારી ખોટી છે.

image source

અભિનેત્રી મુનમુન દત્તા લખે છે કે, હેલો, મારા ‘બિગ બોસના આવનાર સિઝનમાં જવાને લઈને જાણકારી ખોટી છે. મને આ શો જોવાનું પસંદ છે, પરંતુ હું ‘બિગ બોસ’ના ઘરની અંદર નથી જઈ રહી. ફેક પેજો પર ભરોસો કરવો નહી. થેંક્યું.

image source

અભિનેત્રી મુનમુન દત્તા ટીવીના મોસ્ટ પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા ઐય્યરનો રોલ નિભાવી રહી છે. આ શોના લીધે અભિનેત્રી મુનમુન દત્તા ઘર ઘરમાં લોકપ્રિય બની ગઈ છે. અભિનેત્રી મુનમુન દત્તા રીયાલીટી શો ‘બિગ બોસ’ને જોવે અને ખુબ જ એન્જોય કરે છે.

image source

મુનમુન દત્તા આ શોને ઘણી સારી રીતે ફોલો પણ કરે છે. દર વર્ષે જયારે પણ ‘બિગ બોસ’ ઓનએર થાય છે ત્યારે મુનમુન દત્તા પોતાના ફેવરેટ કન્ટેસ્ટન્ટને સપોર્ટ કરતી જોવા મળે છે. ઘરમાં થઈ રહેલ એક્ટીવીટીઝ પર મુનમુન દત્તા પોતાની પ્રતિક્રિયા પણ આપે છે.

image source

વાત કરીએ ‘બિગ બોસ ૧૪’ની તો, આ વર્ષે શોમાં અલગ ફોર્મેટ જોવા મળી શકે છે. શોની થીમ અને ટેગલાઈન લોકડાઉન પર આધારિત હોઈ શકે છે. શો ‘બિગ બોસ’ની ટેગલાઈન- ‘બિગ બોસ ૧૪ હોગા રોકિંગ’ પણ હોઈ શકે છે. રીયાલીટી શો ક્યારથી ટેલીકાસ્ટ થવાનો છે તેના વિષે હજી પણ સસ્પેન્સ યથાવત છે. આ વર્ષે ‘બિગ બોસ’ના ઘરની અંદર જનાર બધા કન્ટેસ્ટન્ટના કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે.

Source : aaj tak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત