કાળી ચૌદશના દિવસે કકળાટ દુર કરવા માટે ચોકમાં વડા મુકવામાં આવે છે, જાણો આ પાછળની આખી કહાની
આજે કાળી ચૌદશ છે, જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી ને ઘરની અશાંતિ દૂર કરે છે, તથા આ દિવસે સુરાપુરા દાદા ના નૈવેધ પણ કરવામાં આવે છે. આજ ના દિવસે વ્યાપાર ધંધા ની મશીનરી નું પૂજન કરવાથી કામ કયારેય અટકતુ નથી. મુખ્યમંત્રી એ દર વર્ષની જેમ આ વર્ષે પાલીતાણામાં આસ્થાભેર કાળી ચૌદશ ની ઉજવણી કરી છે.
કાળી ચૌદશ ને નરક ચતુદર્શી તથા ‚પચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશ ના દિવસે મહાકાળી ની પૂજા કરવી ઉતમ છે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલીરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દા‚ણરાત્રી આમ ચારેય રાત્રી ના નામ કાળીચૌદશ, મહાશિવરાત્રી, શરદપૂનમ, હોળીની રાત પરથી પાડવામાં આવ્યા છે. કાળી ચૌદશ ને વર્ષની મહારાત્રી તરીકે પણ ગણવામાં આવે છે.
કાળી ચૌદશ ના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મ કરી શરીરે તેલ નું લેપન કર્યા બાદ સ્નાન કરવાનું મહત્વ છે. ત્યારબાદ નિત્ય પૂજન કર્યા પછી યમતર્પણ કરવાથી પિતૃઓ ને મોક્ષ ગતી મળે છે. અને તેને અકાળ મૃત્યુ આવતુ નથી. કાળી ચૌદશ ના દિવસે સુરાપુરા બાપા ના નૈવૈધ પણ ધરાવામાં આવે છે. અને સાંજના સમયે રસ્તા પર ચાર ચોકમાં ઘરેથી બનાવેલા વળા પણ મૂકવામા આવે છે. આમ કરવાથી ઘરમાં રહેલી અશાંતી દૂર થાય છે.
ઘર ની બહાર દરવાજા પાસે ચૌદ દિવા પ્રગટાવી અને ચૌદ યમના નામ લેવાથી ઘરના સભ્યો ને અકાળ મૃત્યુ અથવા આસ્મીક મૃત્યુ નો ભય રહેતો નથી. કાળી ચૌદશ એ માતાજી મહાકાલી ના પૂજા નો દિવસ છે. આ દિવસે માતાજી ની પૂજા કરી અને પ્રાર્થના કરવામાં આવે છે, કે ઘરમાં રહેલા બધા જ આશુરી તત્વો દૂર થાય અને જીવનમાં શાંતી ની પ્રાપ્તી થાય.
કાળી ચૌદશ ના દિવસે હનુમાનજી ની પુજા કરવી પણ લાભદાઈ છે. એક માન્યતા પ્રમાણે કાળી ચૌદશ ને હનુમાનજી નો જન્મદિવસ માનવામાં આવે છે. કાળી ચૌદશ ના દિવસે હનુમાનજીને તેલ, સિંદુર, અળદ ના સાત દાણા ચડાવા અને તેલનો દિવો કરી અગરબતી કરી હનુમાન ચાલીસા ના અગિયાર પાઠ કરવા અથવા સુંદરકાંડ ના પાઠ કરવા ઉતમ છે. વૃષભ, કન્યા, વૃશ્ર્ચિક, ધન, મકર રાશી ને નાની મોટી પનોતી ચાલી રહી છે.
તેથી આ રાશી ના લોકોએ ખાસ કાળી ચૌદશ ના દિવસે હનુમાનજી ની પુજા ઉપાસના કરવી. આ વર્ષ કાળી ચૌદશ ના દિવસે ચિત્રા નક્ષત્ર છે. જે સાંજ ના સાત ને બાવન કલાક સુધી છે. જે શુભ ગણાય તથા નૈવૈધ માટે આખો દિવસ અને રાત્રીના સાડા દસ સુધીનો સમય શુભ છે.
કાળી ચૌદશ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ નરકાશુર નો નાશ કર્યો હતો, તેથી આ દિવસને નરક ચતુદર્શી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશ ના દિવસે તેલ મા લક્ષ્મીજી નો વાસ અને જળમાં ગંગાજી નો વાસ હોય છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવામાં આવ્યું છે.