બોલિવુડના આ કલાકારોએ ફ્રીમાં કામ કર્યું છે આ ફિલ્મોમાં, અમિતાભ બચ્ચનનું નામ પણ છે સામેલ
બોલિવૂડ એક્ટર્સમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ કરોડો રૂપિયા ફી લે છે, જેમણે ફિલ્મમાં કામ કરવા માટે ક્યારેક ડિરેક્ટર કે પ્રોડ્યુસરના કારણે કોઈ ફી લીધી નથી અને આ ફિલ્મો મફતમાં કરી છે. બોલિવૂડમાં એવું ઘણી વખત જોવા મળ્યું છે, જ્યારે કેટલાક કલાકારોએ ફિલ્મના રોલ માટે માત્ર ટોકન અમાઉન્ટ લીધી અને સંપૂર્ણ સમર્પણ સાથે તેમની ભૂમિકા ભજવી. આવો જાણીએ કોણ એવા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે પણ આવું કર્યું છે.
અમિતાભ બચ્ચન
બ્લેક ફિલ્મની સ્ક્રિપ્ટથી બિગ બી એટલા પ્રભાવિત થયા કે તેમણે આ ફિલ્મ ફ્રીમાં કરી હતી. આ ફિલ્મ કરવા પાછળનું બીજું કારણ સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આ સિવાય જ્યારે અમિતજીના મેક-અપ મેન ભોજપુરી ફિલ્મોના નિર્દેશક બન્યા ત્યારે તેમણે અમિતજીને તેમની ફિલ્મમાં રોલ આપ્યો હતો, પરંતુ અમિતજીએ તેમની ફિલ્મો ગંગા, ગંગોત્રી અને ગંગા દેવી માટે એક પૈસો પણ લીધો ન હતો.
દીપિકા પાદુકોણ
દીપિકાએ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે કામ કરવાની આટલી મોટી તક માટે એક રૂપિયો લીધો ન હતો. તેણે આ ફિલ્મ ફ્રીમાં કરી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
ફરહાન અખ્તર
પોતાની તમામ મહેનત અને સમર્પણ સાથે મિલ્ખા સિંહનું પાત્ર ભજવનાર ફરહાન અખ્તરે આ ફિલ્મ માટે માત્ર 11 રૂપિયાની ટોકન રકમ લીધી હતી. ફરહાને આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી, જેના કારણે આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
શાહિદ કપૂર
શાહિદ કપૂરે વર્ષ 2014માં આવેલી ફિલ્મ હૈદર માટે કોઈ પૈસા લીધા ન હતા અને આ ફિલ્મ ફ્રીમાં કરી હતી. હૈદર ફિલ્મમાં તેના ઉત્તમ અભિનય માટે શાહિદની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
શાહરુખ ખાન
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને પણ અમિતાભ બચ્ચનની ફિલ્મ ભૂતનાથમાં કામ કરવા માટે કોઈ ફી લીધી ન હતી. આ સિવાય તેણે કમલ હાસનની ફિલ્મ હે રામમાં પણ ફ્રીમાં કામ કર્યું હતું.
નવાઝુદ્દીન સિદ્દીકી
વર્ષ 2018 માં, નવાઝુદ્દીન સિદ્દીકીએ નંદિતા દાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ મંટો માટે માત્ર 1 રૂપિયાની ટોકન રકમ લીધી હતી. નવાઝુદ્દીન ઉપરાંત ઋષિ કપૂર, જાવેદ અખ્તર, ગુરદાસ માન, રાજશ્રી દેશપાંડે, રણવીર શૌરી અને સ્વાનંદ કિરકિરેએ પણ આ ફિલ્મ ફ્રીમાં કરી હતી. એ સિવાય નવાઝુદ્દીને ફિલ્મ હરામખોર માટે પણ ફક્ત 1 રૂપિયો ટોકન અમાઉન્ટ લીધી હતી
મીના કુમારી
મીના કુમારીએ કમાલ અમરોહીની ક્લાસિક ફિલ્મ પાકીઝા માટે માત્ર 1 રૂપિયાની ટોકન રકમ લીધી હતી. કમનસીબે આ તેની છેલ્લી ફિલ્મ સાબિત થઈ. ફિલ્મ રીલિઝ થયાના થોડા અઠવાડિયા પછી લીવરની બીમારીને કારણે તેમનું અવસાન થયું.
ઓમપુરી
દોઢ લાખના બજેટમાં બનેલી ફિલ્મ ‘ઘાસીરામ કોટવાલ’ ઓમ પુરીની પહેલી ફિલ્મ હતી, જેના માટે તેણે કોઈ ફી લીધી ન હતી. તે એક મરાઠી ફિલ્મ હતી, જે મરાઠી નાટક પર આધારિત હતી.
.
ઈરફાન ખાન
વર્ષ 2004માં આવેલી ફિલ્મ રોડ ટુ લદાખ એક એવી જ ફિલ્મ હતી જેને ફકત 16 દિવસોમાં પુરી કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે ઈરફાન ખાને કોઈ અમાઉન્ટ નહોતી લીધી