Plant Vastu Tips: ઘરમાં આ છોડને રાખવાથી વધે છે સુખ અને સમૃદ્ધિ, નહીં રહે આર્થિક તંગી
લોકો પોતાની સમસ્યાના સમાધાનને માટે અનેક ઉપાયો કરી લેતા હોય છે. તે પોતાની આસપાસની ચીજોમાં પોતાની મુશ્કેલીનો ઉપાય શોધે છે. વાસ્તુ અનુસાર આપણા વાતાવરણમાં દરેક ચીજનો પ્રભાવ આપણા પર પડે છે. ઘરમાં છોડ લગાવવાથી આસપાસના માહોલમાં તાજગી બની રહે છે.
આ સાથે ઘરનું વાતાવરણ પણ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે. વાસ્તુના અનુસાર આપણી પાસે કેટલાક એવા છોડ હોવા જોઈએ જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવતી રહે. તો જાણો એવા છોડ વિશે જેને લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અને રૂપિયાની ખામી ક્યારેય રહેતી નથી.
તુલસી
પૌરાણિક માન્યતા અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવાથી પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે. માતા લક્ષ્મીનો વાસ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં તુલસીની પૂજા થાય છે ત્યાં શ્રી વિષ્ણુની કૃપા પણ બની રહે છે. તુલસીનો છોડ ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરીને પોઝિટિવિટીનો સંચાર કરે છે. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અને રૂપિયાની ખામી આવતી નથી.
કેળાનું ઝાડ
કેળાનું ઝાડ પણ ધર્મમાં શુભ માનવામાં આવ્યું છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરાય છે. કહેવાય છે કે જે લોકોને લગ્નમાં બાધાઓ આવે છે તેઓએ કેળાના ઝાડની પૂજા કરવી. આ સિવાય કેળાના પાનનો પૂજામાં પણ ઉપયોગ કરાય છે. માન્યતા છે કે કેળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જે ઘરમાં કેળાનું ઝાડ હશે ત્યાં માતા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. અહીં ક્યારેય રૂપિયાની ખામી આવતી નથી.
બિલિપત્રનું ઝાડ
માન્યતા છે કે ભગવાન શિવને બિલિનું ઝાડ ખૂબ પસંદ છે. કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં આ વૃક્ષમાં નિવાસ કરે છે. ઘરમાં બેલનું વૃક્ષ લગાવવાથી ધન સંપદાની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમામ સંકટ દૂર થાય છે. ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.
અશ્વગંધાનો છોડ
અશ્વગંધાનો છોડ ઘરમાં લગાવવાથી પણ વાસ્તુદોષ ખતમ થઈ શકે છે. આ છોડ જીવનને સુખમય બનાવે છે. આ છોડથી આયુર્વેદિક ઔષધિ પણ તૈયાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ સાથે છોડને ઘરમાં લગાવવાથી સુખ અને સમૃદ્ધિ પણ વધે છે.
આમળાનું ઝાડ
માન્યતા છે કે આમળાના ઝાડની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ઘરમાં આમળાનું ઝાડ લગાવવાથી ક્યારેય રૂપિયાની ખામી રહેતી નથી, તેને ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવાનું લાભદાયી રહે છે. તેની પૂજા કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે.
જાસૂદનો છોડ
જ્યોતિષમાં કહેવાયું છે કે જાસૂદનો છોડ સૂર્ય અને મંગળ સાથે સંબંધ રાખે છે. તેને ઘરમાં ક્યાંય પણ લગાવી શકાય છે. માન્યતા છે કે હનુમાનજી અને માતા દુર્ગાને જાસૂદના ફૂલ અર્પિત કરવાથી તમામ સંકટ દૂર રહે છે. મંગળ ગ્રહની સમસ્યા, સંપત્તિની બાધા તથા કાયદાકીય સમસ્યા પણ દૂર થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!