વિઘ્નહર્તાને રીઝવવામાં ન કરશો આ આ ભૂલો, જાણો કયા કામને ટાળવા છે જરૂરી
હિન્દુ ધર્મમાં, ગણેશ ચતુર્થીના 10 દિવસ સુધી બાપ્પાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ 10 દિવસો માટે નિષ્ઠાવાન હૃદયથી બાપ્પાની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. ભગવાન ગણેશજીને હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ દેવતાઓમાંના એક માનવામાં આવે છે. દરેક પૂજા પહેલા તેમની પૂજા કરવી ફરજિયાત છે. માન્યતાઓ અનુસાર, તેમની પૂજા ન કરવાને કારણે કોઈપણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકતું નથી. દેવતાઓ પણ ગણેશજીની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરે છે.
બાપ્પાની જન્મજયંતિ ગણેશ ચતુર્થીના નામે 10 દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે બાપ્પાના ભક્તો તેમની નવી મૂર્તિ ખરીદે છે અને તેને ઘરમાં સ્થાપિત કરે છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ ઘરની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. આ દિવસોમાં બાપ્પાની પૂજા દરમિયાન લોકો ઘણા કાર્યો કરે છે, જેમ કે તેમની સેવા કરવી, ભજન-કીર્તન, તેમના માટે તેમને ભાવતો ભોગ, આ સિવાય પણ ઘણું, પરંતુ શું તમે જાણો છો કે આ કાર્યો કરવા સાથે ઘણા કાર્યો એવા પણ છે જે ન કરવા જોઈએ. જો નહીં. તો આજે અમે તમને આ વિશે જણાવીશું. જો તમે તમારા ઘરમાં ગણેશ ચતુર્થી ઉજવવાનું વિચારી રહ્યા છો, તો બાપ્પાની પૂજામાં આ 5 ભૂલો ભૂલથી પણ ન કરતા. નહીં તો ગણપતિજી તમારા પર ખુબ ગુસ્સે થઈ શકશે. સાથે આ ભૂલો એ ક્યારેય માફ પણ નહીં કરે.
ગણેશ ચતુર્થીના નિયમ, ગણેશ ચતુર્થી પર આ તમામ કાર્યો ન કરવા જોઈએ.
– ગણેશ ચતુર્થી નિમિત્તે શુભ કાર્ય કરવાનું ભૂલશો નહીં.
– ગણેશ ચતુર્થીની પૂજામાં ડુંગળી, લસણ, આલ્કોહોલ અને માંસનું ભૂલથી પણ ન કરો અને આ ચીજોને તમારા ઘરમાં પણ ન રાખો. તેનાથી બાપ્પા ગુસ્સે થઈ શકે છે.
– ગણેશ ચતુર્થી જેવા પવિત્ર દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરો. તમારા મનમાં સદાચારી વિચારો રાખો.
– ગણેશ ચતુર્થી પર કોઈપણ પ્રાણી કે પક્ષીની હત્યા કે તેમને હેરાન ન કરો. આ કરવાથી ભગવાન શ્રી ગણેશ ક્રોધિત થાય છે.
– ગણેશ ચતુર્થી પર ખોટું બોલવાનો પ્રયાસ કરશો નહીં. તમારું ખોટું બોલવું એ તમારી નોકરી અને વ્યવસાયને નુકસાન પહોંચાડી શકે છે.
– આ સિવાય ગણેશ ચતુર્થી પર સાચા દિલથી ગણપતિની પૂજા કરો. શ્રી ગણેશ પોતાના ભક્તોને દરેક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તેથી તમે કોઈપણ લોભ, મોહ, દ્રેષ જેવી ચીજોને તમારા મનમાંથી કાઢીને ભગવાન ગણેશજીની સાચા દિલથી પૂજા કરો.