જાણી લો કેમ તૈમુર અને જહાંગીરને ફિલ્મ સ્ટાર નથી બનવવા માંગતી કરીના કપૂર ખાન, આ છે કારણ
જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાને બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હાલના દિવસોમાં એ પોતાના દીકરા જહાંગીરને લઈને ખૂબ જ ચર્ચામ છે. થોડા દિવસ પહેલા દીકરાનું જહાંગીર નામ રાખવાના કારણે એમને અને એમના પતિ સૈફ અલી ખાનને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એમને એક વાતચીત દરમિયાન એમના દીકરા તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનને લઈને ઘણું બધું કહ્યું જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.એમના દીકરા વિશે વાત કરતા કરીના કપૂર ખાને કહ્યું કે જેહ હજી હવે 6 મહિનાનો થશે. એ બિલકુલ મારા જેવો દેખાય છે. તો ટીમ એટલે કે તૈમુર એના પિતા સૈફ જેવો લાગે છે. પોતાના જન્મમાં છ મહિના વીત્યા પછી ટીમ નવા લોકોને જોવામાં બિલકુલ સહજ નહોતો. તો જેહને એમાં કોઈ તકલીફ નથી. તૈમુર એકદમ સૈફ જેવો છે. તો જેહ અમારા બન્નેનું સરસ મિક્સ છે. ટીમ ટિપિકલ સેજેટરીયન છે.
કરીના કપૂર આગળ કહે છે કે એ ખૂબ જ રચનાત્મક છે. એનો લગાવ કલા તરફ વધુ છે. ઘરે પણ એ હમેશા ડ્રોઈંગ કરતો હોય છે. એ ખૂબ જ ઉત્સુક બાળક છે. એ દરેક વસ્તુને જાણવાની કોશિશ કરે છે. તો જેહ પાઈસીયન છે.”
કરીના કપૂર ખાને આગળ જણાવ્યું કે જ્યારે હું જેહ વખતે 5 મહિને પ્રેગ્નેન્ટ હતી. એ દરમિયાન મેં આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે એક રોમેન્ટિક ગીતનું શૂટ કર્યું હતું. કરીના કપૂર ખાન એમના બન્ને દીકરાના ભવિષ્યને લઈને ઘણી સિરિયસ છે. એ વિશે વાત કરતા એ કહે છે કે હું મારા દીકરાઓને જેન્ટલમેન બનાવવા માંગુ છું.
હું ઈચ્છું છું કે ભવિષ્યમાં લોકો એ કહે કે મારા દિકરાઓનો ઉછેર સારો થયો છે. એ સારા દિલના છે. મને નથી પસંદ કે મારા દીકરા કોઈ ફિલ્મ સ્ટાર બને..જો ટીમ મારી પાસે આવે છે અને કહે છે કે એને માઉન્ટ એવરેસ્ટ પર ચડવું છે તો એ એની ચોઇસ છે. હું એને એમાં સ્પોર્ટ કરીશ.
કરીના કપૂર ખાને એ પણ કહ્યું કે એ એક એવી માતા બનવા માંગે છે જે એમના દિકરાઓની જિંદગીમાં દખલ ન કરે. તમને જણાવી દઈએ કે તૈમુરના જન્મ પછીથી જ પેપરાજી ઘણીવાર એમને ફોલો કરવાની કોશિશ કરે છે. તૈમુર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016માં થયો હતો. તો કરીના કપૂર ખાનના બીજા દીકરા જહાંગીરનો જન્મ હાલમાં જ 22 ફાઇબર7 2021ના રોજ થયો હતો.