જો કાલ સર્પ કે રાહુ-કેતુની અસરથી પરેશાન છો તો નિવારણ આ રહ્યું, નાગ પંચમીનાં દિવસે કરી નાખો આ કામ
કાલ સર્પ દોષના નિવારણ અને રાહુ-કેતુની અશુભ અસરોને દૂર કરવા માટે નાગ પંચમીનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં કે મંદિરમાં પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. સનાતન સંસ્કૃતિમાં સાપને પૂજનીય ગણાય છે. નાગ પંચમી દર વર્ષે સાવન મહિનામાં શુક્લ પક્ષના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગના દેવતા માટે વ્રત રાખીને, પારંપારિક રીતે પૂજા કરવામાં આવે છે.
આ દ્વારા ભક્તો તેમના આશીર્વાદ અને અન્ય ઘણા શુભ પરિણામો મેળવે છે. આ વખતે 13 ઓગસ્ટે નાગ પંચમી ઉજવવામાં આવશે. મળતી માહિતી મુજબ કાલ સર્પ દોષ નિવારણ માટે પણ આ દિવસ ખૂબ જ શુભ છે. આ વિશે જ્યોતિષી મદન ગુપ્તા સપ્તુએ નાગ પંચમીની ઉપાસના અને દોષોને દૂર કરવાની વિધિ જણાવી છે જે નીચે મુજબ છે:
*નાગ પંચમીનું શુભ મુહર્ત અને વિધિ:
નાગ પંચમીના એટલે કે 13 ઓગસ્ટના દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે 5:49થી સવારે 8.27 સુધીનો રહેશે. આ વ્રતની તૈયારીઓ ચતુર્થીના દિવસથી શરૂ થઇ જાય છે. ચતુર્થીના દિવસે એક જ વખત ભોજન લો. આ પછી નાગ પંચમીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવુ. પૂજા માટે નાગદેવનું ચિત્ર ચોકી પર મૂકો. ત્યારબાદ હળદર, રોલી, ચોખા અને ફૂલો અર્પણ કરીને નાગ દેવતાની પૂજા કરો. કાચું દૂધ, ઘી, ખાંડ મિક્સ કરો અને તેને લાકડાના પટ્ટા પર બેઠેલા નાગ દેવતાને અર્પણ કરો. પૂજા બાદ નાગ દેવતાની આરતી ઉતારવી. અંતે નાગ પંચમીની વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ.
*નાગ પંચમી પર કાલ સર્પ દોષનું આ રીતે કરો નિવારણ:
જ્યારે કુંડળીમાં બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવે છે ત્યારે તે કાલ સર્પ દોષ બનતો હોવાનું માનવામાં આવે છે. આવી વ્યક્તિએ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. કાલ સર્પ દોષ સિવાય જો રાહુ-કેતુને કારણે જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો પણ નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરવાથી રાહુ-કેતુની ખરાબ અસર ઓછી થાય છે.
*રાહુ-કેતુની અશુભ અસરોથી બચવાના ઉપાયો:
આવા લોકો જો સાપને દૂધ ચઢાવે છે તો તેમને લાભ થાય છે પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સાપ રાખનાર વ્યકિતને પૈસા ન આપવા. આ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે જો સાપ પાળનાર માણસ તે દૂધ પોતે પીવે છે અથવા તમારા દ્વારા આપેલા પૈસા દ્વારા ભોજન કરી જાય છે તો તમે કરેલું તે નિવારણ અથવા દાનનું કોઈ મહત્વ રહેશે નહીં. સર્પપાલકના તરીકે તમે તેને અલગથી દાન કરી શકો છે. આ સિવાય તમે નવનાગ સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો.
વાત કરીએ આ સિવાયનાં અન્ય ઉપાયોની તો,
√ તમે ચાંદીનો સાપ બનાવીને તેને મધ્યમ આંગળીમાં પહેરી શકો છો. આવુ કરવાથી પણ તમને લાભ થશે. √ શિવલિંગ પર તાંબાનો સાપ ધાર્મિક રીતે અર્પણ કરી શકાય છે. તાંબાના વાસણમાં સાપની જોડી મૂકીને તેને વહેતા પાણીમાં મૂકી શકાય છે.
√ આ દિવસે રાહુ યંત્ર પણ રાખી શકાય છે. કાલ સર્પ દોષ નિવારણ માટે યંત્રને સ્થાપિત અને પહેરી શકાય છે.
*કાલ સર્પ દોષની શાંતિ કેવી રીતે કરવી:
કાલ સર્પ દોષની શાંતિ માટે વ્યક્તિ પોતે પણ પૂજા કરી શકે છે. આ માટે ઓમ રણ રાહુવે નમ: અથવા ઓમ કુરુકુલીયે હમ પટ સ્વાહા મંત્રનો જાપ 108 વખત કરવાથી અને શિવ મૂર્તિને દૂધ, સાપ કે નાગ વગેરેની મૂર્તિઓ અર્પણ કરી શકાય છે. આ દિવસે કાળા તલ, કાળા અડદ, કાળી સરસવ, વાદળી કાપડ, બેરી, કાળો સાબુ, કાચો કોલસો, સિક્કો-રાંગા અથવા લૈડ વગેરેનું દાન અથવા વહેતા પાણીમાં વહેવાથી વિશેષ લાભ મળે છે.