પિતાની વિરુદ્ધ જઈને અજય દેવગન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો કાજોલે, પછી સહન કરવું પડ્યું હતું ઘણું બધું
બ્લોકબસ્ટર ફિલ્મ ફૂલ ઔર કાંટેથી ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર અજય દેવગને બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા છે.3 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે તે સમયે લગભગ 12 કરોડની કમાણી કરી હતી. પહેલી ફિલ્મ સુપરહિટ થયા બાદ અજયને ફિલ્મોની ઓફર મળવાનું શરૂ થઈ ગયું હતું. આમ તો ડેબ્યુ ફિલ્મ પછી તેની કેટલીક ફિલ્મો ફ્લોપ પણ સાબિત થઈ હતી. જો કે તે તેની પહેલી જ ફિલ્મથી સ્ટારડમ જોઈ રહ્યો છે અને તેની 30 વર્ષની કારકિર્દીમાં તેણે ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા છે. ફિલ્મોમાં કામ કરતી વખતે તેના અફેરના કિસ્સા પણ કઈ ઓછા નથી રહ્યા. રવિના ટંડનથી લઈને કરિશ્મા કપૂર સુધી તેનું નામ જોડાયું હતું. પરંતુ તેણે કાજોલ સાથે લગ્ન કર્યા. આગળ વાંચો કાજોલના પિતા કેમ ઈચ્છતા ન હતા કે દીકરી લગ્ન કરે…
કાજોલ અને અજય દેવગનનું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. તેમને બે બાળકો ન્યાસા અને યુગ છે અને બંને પેરેન્ટ્સ તરીકેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. લગ્ન પછી કાજોલે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું. તે તેના બાળકોને સંપૂર્ણ સમય આપવા માંગે છે.
કાજોલે એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેના પિતા શોમુ મુખર્જી તેમના લગ્નની વિરુદ્ધ હતા. તેનું કારણ તેની ઉંમર હતી. વાસ્તવમાં, તેના પિતા નહોતા ઈચ્છતા કે કાજોલ 24 વર્ષની ઉંમરે લગ્ન કરે.જો કે, તેની માતા તનુંઝાએ તેને સંપૂર્ણ સાથ આપ્યો હતો. માતાએ તેને કહ્યું કે તેણે તેના દિલની વાત સાંભળવી જોઈએ. આ પછી શું હતું, કાજોલ પણ પોતાના લગ્નના નિર્ણય પર અડગ રહી અને 24 ફેબ્રુઆરી 1999ના રોજ અજય દેવગન સાથે લગ્ન કરી લીધા.
તમને જણાવી દઈએ કે એક સમયે કાજોલ અને અજય બંને બીજા કોઈ સાથે રિલેશનમાં હતા. બંને મિત્રોની જેમ સાથે સમય વિતાવતા હતા. તે દરમિયાન કાજોલ અજય પાસેથી તેના સંબંધો અને લવ-લાઈફ વિશે સલાહ લેતી હતી અને ‘બાબા જી’ની જેમ અજય પણ તેને ટિપ્સ આપતો હતો.
બંને પહેલીવાર ‘હલચલ’ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. પહેલા મિત્રો બન્યા. જ્યારે કાજોલ પહેલીવાર અજયને મળી હતી, ત્યારે નોંધ્યું હતું કે તેને એક બાજુ એકલા બેસવાનું પસંદ કરે છે. બહુ વાત પણ નહોતા કરતા. ત્યારે કાજોલ વિચારતી હતી કે આવુ કેવી રીતે હોઈ શકે કે કોઈ વાત પણ ન કરે. પરંતુ ધીમે-ધીમે તેણે કાજોલ સાથે વાત કરવાનું શરૂ કર્યું અને બંને મિત્રો બની ગયા
કાજોલે એક ચેટ શોમાં કહ્યું હતું – કોઈ ઈચ્છતું ન હતું કે હું અને અજય લગ્ન કરીએ. મારો પરિવાર ખૂબ જ મૂંઝવણમાં હતો. જ્યારે મેં મારા પિતાને કહ્યું કે હું અજય સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારે તેમણે એક અઠવાડિયા સુધી મારી સાથે વાત કરી ન હતી.
એક ઈન્ટરવ્યુ દરમિયાન કાજોલે અજય દેવગન સાથે લગ્ન કરવાનું કારણ જણાવ્યું હતું. કાજોલે ખુલાસો કર્યો હતો કે તે જીવન અને કરિયરમાં વિરામ ઈચ્છતી હતી.. તેથી જ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
અજય-કાજોલે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંનેએ ગુંડારાજ, હસ્ટલ, ઇશ્ક, પ્યાર તો હોના હી થા, દિલ ક્યા કરીન, યું મી ઔર હમ, તુનપુર કા સુપરહીરો, તાનાજી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
અજય દેવગનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે બાહુબલી ડિરેક્ટર રાજામૌલી દ્વારા નિર્દેશિત આરઆરઆરમાં જોવા મળશે. આ સિવાય તે ગંગુબાઈ કાઠિયાવાડી, મે ડે, મેદાન, થેંક ગોડમાં પણ જોવા મળશે. અજય દેવગણની દૃષ્યમ 2 પણ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે.