ખેડૂતોને સરકાર આપવા જઈ રહી છે 12 આંકડાનો ખાસ નંબર, જાણો શું છે આ યોજના
કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકાર ખેડૂતોનો ડેટાબેઝ બનાવી રહી છે, જેમાં પીએમ-કિસાન જેવી વિવિધ યોજનાઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે અને જમીન રેકોર્ડ સાથે જોડવામાં આવશે. 6 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે તેમના મંત્રાલયે 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવ્યો છે અને આ ડિસેમ્બર સુધીમાં તેને વધારીને 8 કરોડ કરી દેવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવાના નામે આધાર કાર્ડની તર્જ પર 12 અંકનું અનોખું ઓળખ કાર્ડ બનાવવાનું શરૂ કર્યું છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.
મંત્રાલયના અધિક સચિવ વિવેક અગ્રવાલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોનો ડેટાબેઝ બનાવી રહી છે, જેમાં PM-Kisan જેવી વિવિધ યોજનાઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે અને જમીન રેકોર્ડ સાથે જોડવામાં આવશે.તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ આવી એકીકૃત પ્રણાલી બનાવવાનો છે, જેના દ્વારા તમામ યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી મળી શકે. અગ્રવાલ મંત્રાલયના ડિજિટલ વિભાગના વડા પણ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આંતરિક રીતે કિસાન આઈડી જનરેટ કરવાનું શરૂ કરી દીધું છે અને એક વખત 8 કરોડ ખેડૂતોના ડેટાબેઝ સાથે તૈયાર થઈ ગયા પછી અમે તેને લોન્ચ કરીશું.તેમણે કહ્યું કે અત્યાર સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ સહિત 11 રાજ્યો માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં તેલંગણા, કેરળ અને પંજાબ સહિતના બાકીના રાજ્યોને આવરી લેવામાં આવશે.
કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકાર ખેડૂતોનો ડેટાબેઝ બનાવી રહી છે, જેમાં પીએમ-કિસાન જેવી વિવિધ યોજનાઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે અને જમીન રેકોર્ડ સાથે જોડવામાં આવશે.
અગ્રવાલે જણાવ્યું હતું કે પીએમ-કિસાન, સોઇલ કાર્ડ અને પીએમ ફસલ વીમા યોજના જેવી હાલની યોજનાઓમાંથી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય યોજનાઓમાં તમામ ખેડૂત સંબંધિત ડેટા રાજ્ય સરકારો પાસે ઉપલબ્ધ જમીન રેકોર્ડ વિગતો સાથે જોડવામાં આવશે. આને ચકાસવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવશે .6 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે તેમના મંત્રાલયે 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવ્યો છે અને આ ડિસેમ્બર સુધીમાં તેને વધારીને 8 કરોડ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત, ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) દ્વારા જમીનનો ડેટા એકત્રિત કરવામાં આવશે, જ્યાં રાજ્યો દ્વારા નકશા ડિજિટલાઈઝ કરવામાં આવે છે. અગ્રવાલે કહ્યું કે આનાથી ખેડૂતોને સચોટ સલાહ મેળવવામાં મદદ મળશે. રિપોર્ટ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓની કોન્ફરન્સ દરમિયાન ખેડૂતોને આવા આઈડી આપવાની અને ડેટાબેઝ બનાવવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
6 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે તેમના મંત્રાલયે 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવ્યો છે અને આ ડિસેમ્બર સુધીમાં તેને વધારીને 8 કરોડ કરી દેવામાં આવશે.તાજેતરમાં, તેના ડિજિટલ મિશનના ભાગરૂપે, કૃષિ મંત્રાલયે સિસ્કો, નિન્જાકાર્ટ, જિયો પ્લેટફોર્મ, આઈટીસી અને એનસીડીઈએક્સ ઈ-માર્કેટ્સ લિમિટેડ (એનઈએમએલ), માઈક્રોસોફ્ટ, સ્ટાર એગ્રીબજાર, ઈએસઆરઆઈ ઈન્ડિયા ટેક્નોલોજીસ, પતંજલિ અને એમેઝોન સહિત 10 ખાનગી કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. છે.