મેકઅપ આર્ટિસ્ટે અનોખા અંદાજમાં આપી લતાજી શ્રદ્ધાંજલિ, પોતાને આપ્યો લતા મંગેશકરનો લુક

ભારતના સ્વર કોકિલા પીઢ ગાયિકા લતા મંગેશકરનું તાજેતરમાં 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. જે બાદ સમગ્ર દેશે તેમને ભીની આંખો સાથે વિદાય આપી. દરેક વ્યક્તિ પોતાની રીતે લતાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મેક-અપ આર્ટિસ્ટે અનોખી રીતે લતાજીને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે મેકઅપથી પોતાનો ચહેરો લતા મંગેશકર જેવો બનાવ્યો છે.

image soucre

આ વીડિયો દિક્ષિતા નામના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જે દિલ્હીની છે. આ વીડિયોમાં દીક્ષિતા પહેલા લતાજીની તસવીર બતાવે છે અને ત્યાર બાદ તે પોતાના ચહેરા પર મેકઅપ કરતી જોવા મળે છે અને તેને જોઈને તે લતાજી જેવો દેખાવ આપે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત વાગતું સંભળાય છે.તેનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

image soucre

આ વિડિયો શેર કરતાં દીક્ષિતાએ લખ્યું, બોલિવૂડની કોકિલા લતા_મંગેશકરમાં મેકઅપ ટ્રાન્સફોર્મેશન! તેમના ગીતો તેમને હંમેશ માટે જીવંત રાખશે. તે સુપ્રસિદ્ધ છે. વીડિયો શેર કર્યા બાદ તેના પર અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે અને યુઝર્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, યાર તું શું છે બહેન, ભગવાન તને ભલા કરે. તેવી જ રીતે અન્ય યુઝરે લખ્યું, વિશ્વાસ નથી કરી શકતો. તમને જણાવી દઈએ કે દીક્ષિતા પહેલાથી જ રેખા, શાહરૂખ ખાન, સિદ્ધાર્થ શુક્લા, કપિલ દેવ જેવા ઘણા જાણીતા ચહેરા પર મેકઅપ ટ્રાન્સફોર્મેશન કરી ચુકી છે