લગ્નના થોડા જ મહિનામાં અલગ થઈ ગયા ટીવીના આ સેલેબ્સ, કોઈએ 6 મહિનામાં તો કોઈએ વર્ષમાં લઈ લીધા ડિવોર્સ
ચાહત ખન્નાથી લઈને સારા ખાન અને કરણ ગ્રોવર સુધીના આવા ઘણા ટીવી સેલેબ્સ છે, જેઓ લગ્નના થોડા મહિનાઓ પછી તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા હતા. લગ્નના 6 મહિના, વર્ષ કે પછી બે વર્ષમાં એક નહિ ઘણા સેલેબ્સ ડિવોર્સ લઈને પોતાનો રસ્તો અલગ કરી ચુક્યા છે. તો આવો જાણીએ કોના લગ્ન કેટલા ટક્યા.
સારા ખાન અને અલી મર્ચન્ટ
સપના બાબુલ કા. ‘બિદાઈ’માં સાધના લેખ રાજવંશની ભૂમિકા ભજવનાર સારા ખાનને બિગ બોસના ઘરમાં અલી મર્ચન્ટ સાથે પ્રેમ થઈ ગયો હતો. 2010માં બંનેએ ઘરે ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા, પરંતુ છ મહિનામાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.
પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહીરા
પુલકિત સમ્રાટે વર્ષ 2014માં શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને લગ્નના 11 મહિના પછી, તેઓએ એકબીજાથી છૂટાછેડા લઈ લીધા.
‘
મંદાના કરીમી અને ગૌરવ ગુપ્તા
મંદાના કરીમીએ વર્ષ 2017માં બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 6 મહિના પછી બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.
કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વીંગેટ
કરણ સિંહ ગ્રોવરે અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા. વર્ષ 2012માં બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના બે વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા.
ચાહત ખન્ના અને ભરત નરસિંધા
સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈં’ દ્વારા ફેમસ થયેલા ચાહત ખન્નાએ વર્ષ 2006માં બિઝનેસમેન ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 9 મહિના બાદ જ તેમનો સંબંધ તૂટી ગયો હતો.
કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ
કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2008માં અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 10 મહિના પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુ
‘
ઉતરન’ ફેમ રશ્મિ દેસાઈ અને નંદિશ સંધુએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા મહિનામાં જ તેઓ તેમના નિર્ણયથી દુખી થઈ ગયા હતા અને તેઓ અલગ રહેવા લાગ્યા હતા. જો કે, બંનેએ તેમના લગ્નને બચાવવા માટે ઘણી કોશિશ કરી અને 2015 માં ફરી એકવાર સાથે રહેવાનું શરૂ કર્યું, પરંતુ આખરે વર્ષ 2016 માં બંને અલગ થઈ ગયા.
‘