મોબાઈલ કોલરેકોર્ડિંગના કારણે પીંખાયો એક પરિવારનો માળો, આડાસંબંધમાં કરાઈ હત્યા

સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા નજીક આવેલા જેપુર ગીર ગામે આડા સંબંધની આશંકાએ બે દિવસ પહેલા એક યુવાનનું ઢીમ ઢાળી દેવાયું. આ યુવાનની હત્યાના મામલે મોબાઈલ કોલ રેકોર્ડીંગ નિમિત્ત બન્યુ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ હત્યા મામલે મામાના દિકરાને ફોઈના દિકરાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. જેના લીધે ફોઈના દીકરાએ મામાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરના ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક રમતા ખેલતા પરિવારનો માળો વીંખેરાયો

image socure

મામા-ફોઈના ભાઈઓ મોતના દુશ્મન બન્યાની સનસનીખેજ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ તાલાલા નજીકના જેપુર ગીર ગામે રહેતા હસમુખ કામળીયા નામના વ્યક્તિ13 વર્ષથી પરિણીત છે. અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેમજ તે બાંધકામની ઓફિસમાં કામ કરતો હતો. આ દરમિયાન તેમનો આ હસતો ખેલતો પરિવાર મોબાઈલ રેકોડીંગના સામે કારણે ક્ષતવિક્ષત થઈ ગયો છે.

કોલ રેકોંડિંગના લીધે થઈ આડા સંબંધોની જાણ

એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, હસમુખ કામળીયાને પોતાના દૂરના મામાના દીકરા અતુલ કેશવાલા સાથે અગાઉ પણ ઝઘડો થયેલો. જેનું બોલાચાલી થતા મનદુ:ખ પહેલાથી જ હતું. કારણ કે, અતુલને તેની પત્ની સાથે આડાસંબંધ હોવાની આશંકા હતી. જેથી હસમુખે પોતાની પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગનું ફીચર ચાલુ કરી નાંખ્યું હતું. જેનાથી તેની પત્ની અજાણ હતી. બાદમાં હસમુખે થોડા દિવસો દરમિયાન થયેલા કોલ રેકોર્ડિંગ સાંભળતા અતુલ કેશવાલા સાથે પોતાની પત્નીની વાતો સાંભળી તે રોષે ભરાયો હતો અને અતુલ કેશવાલાને રહેસીં નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

હત્યા બાદ જાણે કશું જ ન બન્યું હોય તેમ આરોપી ઘરે આવી ગયો

બે દિવસ પહેલા સાંજના 7 વાગ્યે અતુલ કેશવાલા પોતાના ગામ જેપુર ગીર જતો હતો, ત્યારે રસ્તામાં ગલીયાવડ નજીક હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર આરોપી હસમુખ કામળીયાએ અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો અને ક્રૂર રીતે છરીના 17 થી 18 ઘા મારી અતુલની હત્યા કરી હસમુખ ત્યાંથી પોતાના ગામ પરત જતો રહ્યો હતો.

પોલીસ તપાસમાં હસમુખે આપી દીધી સમગ્ર માહિતી

image socure

આ ઘટનાની પોલીસને જાણ થતા તાલાલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. જેના બાદ પોલીસે અતુલ કેશવાલાના સગા સંબંધીઓ પરિવારોના નિવેદનો લેતાં શંકાની સોય હસમુખ કામળીયા તરફ તકાઈ ગઈ હતી. જેથી પોલીસે આરોપી હસમુખને ઝડપી લઈ આકરી પુછપરછ કરતાં હસમુખે સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે એક આડા સંબંધ અને મોબાઈલ રેકોર્ડિગે હસમુખને જેલમાં જ્યારે અતુલનું કાસળ કાઢી નાખ્યાની કબૂલાત કરી હતી.