22 થી 28 જૂન, જન્મ તારીખ પ્રમાણે જાણી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે, આ સાથે જાણો કોને કરવી પડશે સખત મહેનત
22 થી 28 જૂન સુધી અમુક લોકોએ કરવી પડશે મહેનત, તો ચાલો જાણીએ જન્મતારીખ પ્રમાણે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે
આ અઠવાડિયું એટલે 22 જૂનથી 28 જૂન સુધી અમુક લોકોએ આકરી મહેનત કર્યા પછી પણ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે અમુક લોકો માટે આ સાત દિવસ ઘણા સારા રહેશે. તમને ખ્યાલ જ હશે કે અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના કહેવા પ્રમાણે જાણો તમારા માટે 22 જૂનથી 28 જૂન સુધીનો સમય કેવો રહેશે?
અંક 1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે એમનો અંક 1 ગણાય છે. આ અંકના લોકોને જરૂરી કામોમાં સફળતા મળી શકે છે. ઓચિંતો ધનલાભ મળવાના યોગ છે. બધા જ કામ સમયસર પૂર્ણ થઇ શકે છે. મન પ્રસન્ન રહેશે.
અંક 2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે એમનો અંક 2 ગણાય છે. નજીકના સંબંધીને મળવાની તક મળી શકે છે. કોઇ શુભ સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કોઈ બીજાના વિવાદમાં ગુંચવાશો નહીં. સમય તમારી તરફેણમાં રહેશે.
અંક 3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે એમનો અંક 3 ગણાય છે.ઘર-પરવારના કોઇ ખાસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળી શકે છે. પ્રસન્નતા જળવાયેલી રહેશે. નોકરીમાં લાભ મળી શકે છે. વડીલોની સલાહ કામ આવી શકે છે.
અંક 4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે એમનો અંક 4 ગણાય છે.આ લોકોએ સંપત્તિના મામલે સાવચેત રહેવું. કામ બગડી શકે છે. ધૈર્ય જાળવી રાખવું, થોડાં દિવસ પછી સમય તમારા પક્ષમાં આવી શકે છે.
અંક 5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે એમનો અંક 5 ગણાય છે. મિત્રોને મળવાનો યોગ બની રહ્યો છે. સુખદ સમય પસાર થશે. નાની મોટી પરેશાનીઓ આવી શકે છે, પરંતુ તમે તમારી બુદ્ધિથી તેનો ઉકેલ શોધી શકશો.
અંક 6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે તેમનો અંક 6 ગણાય છે.તમારે વધારે મહેનત કરવી પડી શકે છે, પરંતુ તો ય સફળતા મળશે નહીં. એના કારણે તમે નિરાશ થઇ શકો છે.આ સમય સાવધાન રહેવાનો રહેશે. થોડાં દિવસ પછી બધું જ ઠીક થઇ જશે.
અંક 7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે એમનો અંક 7 ગણાય છે. અન્યનો સહયોગ મળશે, જેના કારણે મોટી તકલીફો પણ દૂર થઇ શકે છે. નોકરીમાં અધિકારીઓનું માર્ગદર્શન મળશે, જેના કારણે કાર્ય પૂર્ણ થઇ શકશે.
અંક 8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે એમનો અંક 8 ગણાય છે. આ લોકોનું કોઇ મોટું કામ ગુંચવાઇ શકે છે. ધૈર્ય જાળવી રાખજો. ઉતાવળમાં કોઈ કાર્ય કરવાથી નુકસાન થઇ શકે છે. જરૂરિયાતમંદ લોકોને દાન કરશો તો મનને શાંતિ મળી શકે છે.
અંક 9.
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે એમનો અંક 9 ગણાય છે. આ લોકોને સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી, નહીંતર હાનિ થઇ શકે છે. ખરાબ લોકોથી દૂર રહેશો તો સારું રહેશે. વેપારીઓ માટે સમય ચિંતાજનક રહેશે.
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત