હું આ બધામાં સામેલ ન થયો એટલે ખાને મારો બોયકોટ કર્યો હતો : પુનીત વશિષ્ઠ
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરની રાત્રે ક્રુઝ પર ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં થયેલા NCB ના દરોડા દરમિયાન પકડાયો હતો. ત્યારથી આર્યન ખાન સાથે શાહરુખ ખાન અને સમગ્ર પરીવારની સમસ્યાઓ વધી રહી છે. આર્યન ખાન હાલ જેલમાં છે. આ દરમિયાન કેટલાક લોકો ખાન પરિવારને સપોર્ટ કરે છે જ્યારે કેટલાક એવા કલાકારો પણ છે જેઓ આ સમયે ખાન પરીવાર અને ખાસ કરીને શાહરુખ ખાન પર કટાક્ષ કરવાનું ચુકતા નથી.
આવા જે એક અભિનેતા છે પુનીત વશિષ્ઠ. પુનીત વશિષ્ઠે આર્યન ખાનની ધરપકડ પર તાજેતરમાં જે કોમેન્ટ કરી છે તે દરેક જગ્યાએ છવાયેલી છે. આ સમયે જ્યાં શાહરુખ ખાન અને તેનો પરિવાર કપરા સમય અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે શાહરૂખ સાથે જોશ ફિલ્મમાં જોવા મળેલા પુનીત વશિષ્ઠે તેના પર પ્રતિક્રિયા આપી છે.
ફિલ્મ ‘જોશ’ વર્ષ 2000 માં આવી હતી. આ ફિલ્મમાં પુનીત વશિષ્ઠ શાહરૂખ સાથે દેખાયો હતો. તાજેતરમાં પુનીત વશિષ્ઠ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન પત્રકારો સમક્ષ અભિનેતાએ આર્યન ખાની ધરપકડ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને દાવો કર્યો હતો કે તે આ બધાનો ભાગ નથી. શાહરુખ ખાને છેલ્લા 27 વર્ષથી તેનો બહિષ્કાર કર્યો છે અને હવે ભગવાન તેમનો બહિષ્કાર કરી રહ્યા છે.
View this post on Instagram
આ અંગે મળતી માહિતી અનુસાર પુનીત વશિષ્ઠ કહેતો જોવા મળ્યો હતો કે, તેણે ‘જોશ’, ‘ક્યા કહેના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તે આ બધાનો ભાગ ક્યારેય બન્યો ન હતો, તેથી જ ખાન એટલે કે શાહરુખે તેનો 27 વર્ષ સુધી બહિષ્કાર કર્યો. પોતાનો શાહરુખ પ્રત્યેનો ગુસ્સો વ્યક્ત કરતાં તેણે વધુમાં જણાવ્યું હતું કે આ કારણથી હવે ભગવાને તેનો બહિષ્કાર કર્યો છે.
આ રીતે અભિનેતા પુનીતે શાહરૂખ ખાન પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ કોમેન્ટ હવે ચર્ચાનો વિષય બની ચુકી છે. આ વાત પરથી એકવાત પણ સામે આવી છે કે પુનીત અને એસઆરકે વચ્ચે જોશ ફિલ્મ બાદ ખટરાગ થયો હશે. તેથી જ હવે તક મળતા પુનીત વશિષ્ઠે શાહરુખને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. આ વાત તો થઈ પુનીત વશિષ્ઠની પરંતુ શાહરૂખનો બહિષ્કાર કરવાની માંગ સતત સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે.
જો કે આ પહેલીવાર નથી કે પુનીતે શાહરૂખને નિશાન બનાવ્યો હોય, આ પહેલા પણ તેણે શાહરૂખ ખાન સહિત બોલિવૂડના ટોચના અભિનેતાઓ વિશે આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. થઓજા સમય પહેલા જ તેણે કહ્યું હતું કે સલમાન ખાન હોય, શાહરુખ ખાન હોય કે રણવીર સિંહ તે વિદ્યુત જામવાલ કશું નથી…