વધુ એક બોલિવૂડ અભિનેતા નવેમ્બરમાં લગ્ન કરશે, વિક્કી કૌશલ બાદ રાજકુમાર રાણી લાવશે
છેલ્લા થોડા દિવસથી બોલિવુડ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કપલના લગ્નની તારીખોથી માંડીને વેન્યૂ સુધીની દરેક વિગતો સામે આવી રહી છે. દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક કપલ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યું છે. આ કપલ છે રાજકુમાર રાવ અને પત્રલેખા.
પત્રલેખા અને રાજકુમાર રાવ લગ્ન કરવા જઈ રહ્યા છે. પત્રલેખા અને રાજકુમારના લગ્ન નવેમ્બર મહિનામાં થવાના છે. 10 થી 12 નવેમ્બર દરમિયાન કપલના લગ્ન પ્રસંગ યોજાશે. કપલની નજીકના કેટલાક સેલિબ્રિટીઝને આમંત્રણ પણ મોકલી દેવાયા છે. આ ઉપરાંત બંનેના સંબંધીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાયના મિત્રો પણ તેમના લગ્નમાં હાજરી આપશે. સૂત્રોનું માનીએ તો, આ લગ્ન અંગત પરિવારજનો અને મિત્રોની હાજરીમાં જ સંપન્ન થશે.
જણાવી દઈએ કે, પત્રલેખા અને રાજકુમાર રાવ છેલ્લા 10 વર્ષથી રિલેશનશીપમાં છે. ખાસ્સા લાંબા સમયથી તેઓ લિવ-ઈનમાં પણ રહે છે. પત્રલેખાએ એક ઈન્ટરવ્યૂમાં રાજકુમાર સાથેની પહેલી મુલાકાત અને એકબીજાને કેવી રીતે ઓળખતાં થયા એ અંગે વાત કરતાં કહ્યું હતું, “મેં પહેલાવાર રાજકુમારને ફિલ્મ ‘લવ સેક્સ ઓર ધોકા’માં જોયો હતો. ફિલ્મમાં તેણે જે વિચિત્ર યુવકનો રોલ કર્યો હતો તેવો તે અસલ જિંદગીમાં પણ હશે તેમ હું સમજતી હતી. તેના વિશેનો અભિપ્રાય શરૂઆતમાં જ ખરડાઈ ગયો હતો. રાજે મને કહ્યું હતું કે, તેણે મને પહેલીવાર એક એડમાં જોઈએ હતી અને તેણે વિચાર્યું હતું કે, તે મારી સાથે લગ્ન કરશે. અમારા બંનેના વિચારો એકબીજા માટે વિષમ હતા.” જણાવી દઈએ કે, પત્રલેખા રાજકુમારને પ્રેમથી રાજ કહે છે જ્યારે એક્ટર તેને પત્ર કહીને બોલાવે છે.
રાજકુમાર અને પત્રલેખા લાંબા સમયથી સાથે છે પરંતુ લગ્નનો વિચાર તેમના માટે ઘણો છેટો હતો. 2018માં પત્રલેખાને રાજકુમાર સાથે લગ્ન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તેઓ બંને જીવનમાં હજી ઘણું મેળવવા માગે છે અને લગ્નના પ્લાન આગામી 6-7 વર્ષ સુધી નહીં બને. જોકે, હવે બંનેએ રિલેશનશીપને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું નક્કી કરી લીધું છે.
એમ લાગી રહ્યું છે કે બોલીવૂડમાં પરિણયની મોસમ ખીલી છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને વિકી કૌશલ-કેટરીના કૈફના લગ્નની વાતો પછી હવે રાજકુમાર રાવ અને પત્રલેખાના વિવાહના સમાચારે જોર પકડયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકુમાર રાવ અને પત્રલેખાએ દિવાળી પછી લગ્ન કરવાનું આયોજન કર્યું છે.તેઓ નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ,લગભગ 10મી થી 12મી નવેમ્બર દરમિયાન પ્રભુતામાં પગલાં પાડશે. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે તેમણે ફિલ્મોદ્યોગના તેમના નિકટના મિત્રોને આ વાતની જાણ કરી દીધી છે.અલબત્ત, તેમના વિવાહમાં તેમના બોલીવૂડ સિવાયના મિત્રો પણ આવશે. આમ છતાં તેઓ ખાસ લોકોની ઉપસ્થિતિમાં જ પરણશે.જોકે યુગલે અધિકૃત રીતે આ વાતની જાહેરાત નથી કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે બંને આઠ વર્ષથી પરસ્પર પ્રેમમાં છે. અને સારા-નરસા સમયમાં એકમેકની પડખે અડીખમ બનીને ઊભા રહ્યાં છે. તેમના પ્રેમ સંબંધ વિશે પત્રલેખાએ જ સૌથી પહેલા ફોડ પાડયો હતો. તેણે કહ્યું હતું કે ‘ઘણી વખત તમે કોઇકની સાથે બહુ ઝગડતા હો ત્યારે તમે જાણતા નથી હોતા કે તમે તેને પ્રેમ કરો છો. પ્રેમનો અર્થ એકબીજાને મોંઘીદાટ ભેટસોગાદો આપવી એવો નથી હોતો,પરંતુ જરૂર પડયે તેમની પડખે ઊભા રહેવું એવો હોયછે. અને અમે સારા-નરસા સમયમાં એકમેકની પડખે ઊભા રહ્યાં છીએ.અમે નથી જાણતા કે ભવિષ્યમાં શું થવાનું છે. પરંતુ અમારા માટે એ જ પૂરતું છે કે અમે એકસાથે છીએ.
પત્રલેખાએ આ વાત કહી ત્યારે ભલે તેમને ખબર નહોતી કે ભવિષ્યમાં તેઓ ખરેખર પરણી શક્શે કે કેમ. પણ હવે તેમનો પ્રણય પરિણયમાં પરિણમી રહ્યો હોવાના સમાચાર આવ્યાં છે.