વાંચી લો આ પોસ્ટ, જે સરોજ ખાને લખી હતી સુશાંતને આ પોસ્ટ

સરોજ ખાનની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું દુઃખ વ્યક્ત કર્યું હતું

image source

બેલીવૂડ ફરી એકવાર આઘાતમાં. સુશાંત સિંહ રાજપૂતના નિધનનું દુઃખ હજું ભુલાયું નથી તેવામાં બોલીવૂડમાં ‘માસ્ટર જી’ના નામે ઓળખાતા જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધને બોલીવૂડને ફરીથી ઉદાસ કરી દીધું છે. સરોજ ખાન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈના બાંદ્રામા આવેલી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામા આવ્યા હતા. શુક્રવાર મોડી રાત્રે 1.52 વાગે કાર્ડિયાક એરેસ્ટથી તેમનું મૃત્યું નીપજ્યું હતું. સોશલ મિડિયા પર નિયમિત રીતે સરોજ ખાન એક્ટિવ હતા, તેમણે બોલીવૂડના ચમકતા સિતારા એટલે કે સુશાંત સિંહ રાજપૂત માટે છેલ્લી ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી.

image source

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સરોજખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સંવેદનાયુક્ત પોસ્ટ શેર કરી હતી. તેમણે સુશાંતની એક તસ્વીર પોસ્ટ કરી હતી અને તેની સાથે લખ્યું હતું, – મને ક્યારેય સુશાંત સાથે કામ કરવાનો અવસર નહોતો મળ્યો, પણ તેને હું ઘણીવાર મળી ચૂકી છું. હું વિચારી રહી છું કે સુશાંતે આ પગલું કેમ ઉઠાવ્યુ ? સુશાંતે જે પગલું ઉઠાવ્યું તેની તેના પિતા અને બહેનો પર શું અસર થશે.

 

View this post on Instagram

 

A post shared by Saroj Khan (@sarojkhanofficial) on

તેમણે આગળ લખ્યું – કોઈ મોટા સાથે તું (સુશાંત) વાત કરી શકતો હતો, જે તારી મદદ કરી શક્યું હોત અને તને જીવતો જોઈ અમે પણ ખુશ રહ્યા હોત. ભગવાન તમારી આત્માને શાંતિ આપે અને મને નથી ખબર કે તમારા પિતા અને બહેનોના મનમાં શું ચાલી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે ભગવાન તેમને ખૂબ બધી શક્તિ આપે. મને તમારી બધી જ ફિલ્મો પસંદ આવી છે અને તમને હંમેશા પ્રેમ કરતી રહીશ. R.I.P

image source

ચાર દાયકાથી પણ વધારે સમયની કારકીર્દીમાં સરોજખાને લગભગ 2 હજાર કરતાં પણ વધારે ગીતોમાં પોતાની નૃત્યકળાનો જાદૂ વિખેર્યો છે. 22 નવેમ્બર 1948ના રોજ તેમનો જન્મ થયો હતો. તેઓ બોલીવૂડનું એવું નામ છે કે જેમને બધા જ જાણે છે. તેમણે જીવનમાં અત્યંત ગરીબી પણ જોઈ હતી અને શોહરત પણ જોઈ છે. અત્યાર સુધી તેમણે જીવનમાં જે પણ મેળવ્યું તે તેમની પોતાની મહેનતથી મેળવ્યું છે.

તેમને અત્યાર સુધીમાં ત્રણ નેશનલ અવોર્ડથી નવાજવામાં આવ્યા છે, અને અગણિત ફિલ્મફેર અવોર્ડ્સ તેમને મળી ચૂક્યા છે. બોલીવૂડની દિગ્ગજ હસ્તીઓએ સોશિયલ મડિયા દ્વારા તેમને આજે શ્રદ્ધાંજલી પાઠવી છે અને સામાન્ય લોકોએ પણ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

image source

માધુરી દિક્ષીત, અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, જેકલીન ફર્નાન્ડીઝ, સની લીયોને વિગેરે બોલીવૂડ સ્ટાર્સે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલી આપી છે.

Source: news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત