જ્યારે આ દેશના છોકરાઓ છુપાઈને જોતા હતા શ્રીદેવીની ફિલ્મો, પકડાઈ જાય તો થતી હતી જેલ

બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી. પરંતુ અભિનેત્રી તેની દમદાર ફિલ્મો દ્વારા તેના ચાહકોમાં હંમેશા જીવંત રહેશે. શ્રીદેવીએ ફિલ્મ ‘સોળ સાવન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જે ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ આ પછી અભિનેત્રીએ એકથી વધુ હિટ ફિલ્મો આપી, જેના કારણે લાખો લોકો તેના દિવાના બની ગયા.

image soucre

શ્રીદેવીએ કરિયરના શરૂઆતના દિવસોમાં પાકિસ્તાનમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ મેળવ્યું હતું. આ કારણોસર, ચાહકો ત્યાં પણ અભિનેત્રીની દરેક નવી ફિલ્મની રિલીઝની રાહ જોતા હતા. પરંતુ પાકિસ્તાનમાં લોકો શ્રીદેવીની ફિલ્મો ગુપ્ત રીતે જોતા હતા કારણ કે રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકના શાસન દરમિયાન પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો જોવી એ ગુનો માનવામાં આવતો હતો. આ કારણે જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો જોતા પકડાય તો તેને સજા પણ ભોગવવી પડતી હતી.

image soucre

આ વાતનો ખુલાસો બીબીસી પાકિસ્તાનના પૂર્વ સંવાદદાતા વુસતુલ્લા ખાને પોતાના રિપોર્ટમાં કર્યો છે. તેણે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, જ્યારે તે કરાચી યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે તેને એક વર્ષ પછી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રૂમ મળ્યો હતો. અહીં તેણે શ્રીદેવીના પોસ્ટર ચોંટાડ્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો જોવી ગેરકાયદેસર છે અને પકડાવા પર ત્રણથી છ મહિનાની જેલની સજા આપવામાં આવતી હતી.
વુસઅતુલ્લાના કહેવા પ્રમાણે, છોકરાઓએ સરકાર દ્વારા સજા કર્યા પછી પણ તેનું પાલન કર્યું ન હતું. તે ગમે તેમ કરીને શ્રીદેવીની ફિલ્મો જોઇ જ લેતા હતા. એ બધા મળીને પૈસા ઉમેરતા અને ભાડા પર વીસીઆર લાવતા, જેમાં તેઓ એક સાથે છ ફિલ્મો જોતા. આ છ ફિલ્મોમાંથી ત્રણ તો ફક્ત શ્રીદેવીની જ હોતી હતી.

image soucre

વુસઅતુલ્લાએ જણાવ્યું કે, આ એ સમય હતો જ્યારે શ્રીદેવીની ‘નગીના’, ‘ચાંદની’, ‘આખરી રાસ્તા’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી હિટ ફિલ્મો રિલીઝ થઈ હતી. વુસઅતુલ્લાએ એમ પણ લખ્યું છે કે, પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ હતો, પરંતુ કોલેજના છોકરાઓ તેમ છતાં ભારતીય ફિલ્મો જોતા હતા. આટલું જ નહીં આ દરમિયાન તે પોતાની હોસ્ટેલના તમામ દરવાજા અને બારીઓ ખુલ્લા રાખતા હતા. જેથી અવાજ બહાર પોલીસ ચોકી સુધી જાય. આમ કરીને તે પોતાનો વિરોધ વ્યક્ત કરતા હતા.

image socure

તમને જણાવી દઈએ કે દુબઈ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી શ્રીદેવીનું બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું. શ્રીદેવીની સફળતા પાછળ ફિલ્મ ‘હિમ્મતવાલા’નો સૌથી મોટો હાથ છે. હિમ્મતવાલા ફિલ્મે શ્રીદેવીને દરેક ઘરમાં પ્રખ્યાત કરી.