શું તમને પણ છે આ બીમારીઓ? તો આજ પછી ક્યારે ના ખાતા દાડમ, નહિં તો…
મિત્રો, દાડમ તેના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લાભોના કારણે ખુબ જ પ્રખ્યાત છે. આ ફળને ઔષધીય ફાયદાઓ વાળા આરોગ્યપ્રદ ફળોમાંનું એક માનવામાં આવે છે. તે તમારા શરીરની બળતરા ઘટાડવા, ચેપ સામે લડવામાં, કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા ધરાવે છે, તેની અંદર એટલા બધા પોષકતત્વો સમાવિષ્ટ છે, જે તમારા સ્વાસ્થ્યને નીરોગી રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
સામાન્ય રીતે લોકો આખુ દાડમ ખાવાને બદલે તેના સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે દાડમનો રસ પીવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ કરે છે. જો કે, આજે આ લેખમા અમે તમને તેના ફાયદાઓ વિશે નહિ પરંતુ, તેની કેટલીક આડઅસરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે અવશ્યપણે જાણવુ જ જોઈએ. તો ચાલો જાણીએ.
દાડમનું સેવન કરીને સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે ખુબ જ સારુ સાબિત થાય છે પરંતુ, આ ફળનુ વધારે પડતુ સેવન તમારા માટે નુકશાનદાયી પણ સાબિત થઇ શકે છે. અમુક લોકોને દાડમની એલર્જી હોય તો તેમણે આ ફળનુ સેવન પણ ટાળી દેવુ જોઈએ. ઘણા એવા લોકો પણ હોય છે કે, જેને આ ફળની એલર્જી હોય છે. તેમને ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામા સમસ્યા થઈ શકે છે.
આ ફળનો રસ પીવાથી તમને બ્લડપ્રેશરની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે પરંતુ, જો એલ.ડી.એલ. કોલેસ્ટરોલનુ પ્રમાણ વધી જાય તો આ ફળનુ સેવન તમારા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આ ફળનુ સેવન તમારા ટ્રાઇગ્લિસરાઇડનુ સ્તર ઘટાડી શકે છે.
આ ફળનુ સેવન તમારી ચેપની સમસ્યાને દૂર કરવામા પણ ખુબ જ સહાયરૂપ અને લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત આ ફળના રસનું સેવન એ તમારા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે પરંતુ, આ ફળના રસનુ વધારે પડતુ સેવન હ્રદય સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉદ્ભવવા માટેનુ કારણ પણ બની શકે છે. આ ફળના રસમા સલુબ્રિઅસ એન્ટીઓકિસડન્ટ પણ ભરપૂર માત્રામા સમાવિષ્ટ હોય છે.
તે આપણને સંધિવા જેવી સમસ્યાઓ સામે લડવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે અને આપણી યાદશક્તિ પણ સુધારી શકે છે પરંતુ, તેનુ વધારે પડતું સેવન આપણી યાદશક્તિ પર નકારાત્મક અસર પણ પાડી શકે છે. આ ઉપરાંત આ ફળનુ વધારે પડતુ સેવન તમારી ત્વચા અને વાળને પણ અનેકવિધ પ્રકારની સમસ્યાઓ પહોંચાડે છે માટે શક્ય બને ત્યા સુધી આ વસ્તુનુ સેવન નિયંત્રિત માત્રામા જ કરવુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત