રાત્રે સુતા સમયે જરૂરથી કરો આ ચૌપાઈનો પાઠ, મળશે દરેક સમસ્યાથી છુટકારો અને દુશ્મન પણ માનશે હાર..

મિત્રો, તમે ગમે તેટલા કપરા સંજોગોમા કે મુશ્કેલ સમયમા કેમ ના હોય, તમે જો ફક્ત એકવાર સાચા મનથી પ્રભુ શ્રી રામના નામનુ સ્મરણ કરો તો તે અવશ્ય પધારે છે અને તુરંત જ તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત કરી દે છે. આ રીતે જ વાલ્મિકી રામાયણમા જણાવવામા આવેલ તમામ ચોપાઈઓનુ પણ એક વિશેષ જ મહત્વ છે. આજે અમે તમને એક એવી શક્તિશાળી ચોપાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના વાંચનથી તમારા જીવનના તમામ સંકટ સમાપ્ત થાય છે.

image source

આ ચોપાઈ એટલી શક્તિશાળી છે કે, તે તમારા જીવનના તમામ દુ;ખોને હરી લેવાનુ સામર્થ્ય ધરાવે છે પરંતુ, હા જ્યારે તમે આ ચોપાઈનુ વાંચન કરો ત્યારે તમારે અમુક બાબતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. જ્યારે તમે આ ચોપાઈનુ મંત્રોચ્ચારણ કરવા જઇ રહ્યા હોવ ત્યારે એક વાતની અવશ્યપણે ખાતરી કરી લેવી કે, તે સ્થળ સંપૂર્ણપણે સ્વચ્છ છે કે નહિ કારણકે, રામાયણ અને પવિત્રતા ને અતુટ સંબંધ છે, જ્યારે પણ તમે રામાયણનુ પઠન કરો છો ત્યારે તમે જે જગ્યાએ પઠન કરો છો તેની શુદ્ધતાની પણ તમારે વિશેષ કાળજી રાખવી.

image source

આ ઉપરાંત જ્યારે તમે આ ચોપાઈનુ મંત્રોચ્ચારણ કરો ત્યારે તમારુ મન એકદમ સકારાત્મક હોવુ જોઈએ. તમારું મન સકારાત્મક લાગણીથી ભરપૂર રહેવુ જોઈએ. તમારા મનને એકદમ શુદ્ધ રાખો. કોઈની તરફ તમારા મનમા ઇર્ષ્યા, દ્વેષ કે વિશ્વાસઘાતની લાગણીને ઉભી થવા દો નહી કારણકે, જો તમે તમારા મનમા આવી કોઈ લાગણી ઉભી કરો તો પછી તમને ચતુર્ભુજનો લાભ કેવી રીતે મળશે? તો ચાલો હવે જે ચોપાઈનુ આપણે મંત્રોચ્ચારણ કરવાનુ છે તે ચોપાઈ વિશે માહિતી મેળવીએ.

जो प्रभु दीनदयाला कहावा। आरति हरन बेद जस गाबा।।

जपहिं नामु जन आरत भारी। मिटहिं कुसंकट होहिं सुखारी।।

दीनदयाल बिरद संभारी। हरहु नाथ मम संकट भारी।।

image source

નિયમિત સૂતા પહેલા આ ચોપાઈનુ મંત્રોચ્ચારણ કરવાથી વ્યક્તિમા ઈશ્વર પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા જાગે છે. આ ઉપરાંત તે વ્યક્તિમા આદર અને સકારાત્મક ઉર્જાનો ઉદ્ભવ થાય છે. આ સાથે જ આસપાસની નકરાત્મક ઉર્જા દૂર થઇ જાય છે. આ ઉપરાંત આ ચોપાઈના મંત્રોચ્ચારણથી તમારા પર રહેલી કુદ્રષ્ટિ પણ દૂર થઇ જાય છે.

image source

આ સિવાય જો તમારા કોઈ અગત્યના કાર્યો સમયસર પૂર્ણ ના થતા હોય અને તેને પૂર્ણ કરવામા વારંવાર તમારે કોઈ ને કોઈ અડચણનો સામનો કરવો પડે તો આ ચોપાઈનુ મંત્રોચારણ તમારી આ સમસ્યાને તુરંત દૂર કરી શકે છે અને તમારા દરેક કાર્યોમાં તમને સફળતા અપાવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ